SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. પ્રદેશબંધનું નિરૂપણ સૂ. ૨૨ ૨૭ હેય છે અને પરંપરાથી ગતિ વગેરે પણ કારણ હોય છે આથી નામ કમ હેતુક પુદ્ગલેને બંધ થાય છે અથવા નામ કર્મની ઉત્તરપ્રકૃતિ શરીર નામ કર્મની અન્તર્ગત જે બઘન નામ કર્મ છે તેના કારણથી પુદ્દગલને બન્ધ થાય છે. જે કર્મના ઉદયથી પૂર્વ ધારણ કરેલા શરીરના પુદ્ગલેનો સંબંધ હોય છે, તે બધન નામ કર્મ કહેવાય છે. આ કર્મ લાકડાના બે ટુકડાઓને સાંધનારી લાખ જેવું છે. અથવા જે પ્રકારના પુદગલ પ્રદેશ બન્ધના કારણ હોય છે તે પુદ્ગલ જ્ઞાનાવરણ, દશનાવરણ વગેરે નામથી જ જાણી શકાય છે. જ્ઞાનાવરણ વગેરે નામથી તે પુદ્ગલોના સ્વરૂપનું કથન કરવામાં આવે છે કારણ કે જ્ઞાનના આવરણ અને દર્શનના આવરણ વગેરેમાં શક્તિશાળીજ પુદ્ગલેના બન્ધ થાય છે. પ્રશ્ન-એક સરખા સ્વરૂપવાળા પુદ્ગલેને આત્મા ધારણ કરે છે, એવા સંજોગોમાં તેઓ પુલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે વિશેષ સ્વરૂપોમાં આત્માની સાથે કઈ રીતે જોડાય છે ? અર્થાત જ્યારે કર્મપુલ મૂળે એક સરખા છે તે તેમના સ્વભાવમાં આત્માની સાથે તે હોવા છતાં પણ કેવી રીતે અન્તર પડી જાય છે ? ઉત્તર-જ્ઞાનાવરણ આદિ સમસ્ત મૂળ અને ઉત્તર પ્રકૃતિને વેગ્ય પુદ્ગલ જે કે ધારણ કરાતાં અગાઉ એક જેવા હોય છે, તેમનામાં જ્ઞાનાવરણ વગેરેના ભેદ હોતા નથી તે પણ આત્મા પિતાના અધ્યવસાયની વિશેષતાના કારણે તે સામાન્ય પુદ્ગલેને પણ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે ભિન્ન-ભિન્ન રૂપમાં પરિણુત કરી લે છે. તાત્પર્ય એ છે કે સામાન્ય કર્મ પુદ્ગલેમાં જ્ઞાનાવરણ વગેરે જે અલગ-અલગ પ્રકૃતિઓ ઉત્પન્ન થાય છે તેનું કારણ આત્માને અધ્યવસાય છે આ પ્રથમ પ્રશ્નોત્તરનો આશય સમજ જોઈએ. બીજા પ્રત્તરને આશય આ છે–આત્મા સમસ્ત અર્થાત દશે દિશાઓમાં સ્થિત પગલેને જે કર્મરૂપમાં પરિણુત થવા યોગ્ય હોય, ધારણ કરે છે. તિછિ દિશાઓ આઠ છે— ચાર પૂર્વ વગેરે દિશાઓ, ચાર ઈશાન આદિ વિદિશાઓ; અને ઉર્ધ્વદિશા તથા અદિશા. આ પ્રમાણે દશે દિશાઓમાં સ્થિત પુદ્ગલ સ્કંધને આત્મા ધારણ કરે છે કે એક જ દિશામાં સ્થિત પુદ્ગલેને નહીં. અથવા આત્મા સમસ્ત આત્મપ્રદેશથી કર્મવર્ગણના મુદ્દગલેને ધારણ કરે છે. સંસારી જીવના આ આત્મપ્રદેશ કેઈ ઉપર તે કેઈ નીચે હોય છે. આ સંદર્ભમાં આગળ કહેવામાં આવનાર સાતમા પ્રશ્નોત્તરથી પુનરૂક્તિ દોષ નથી. ત્યાં “સમારોનુને અર્થ “અનત્તાન રોજુ એ મુજબને અર્થ થાય છે. હવે ત્રીજા પ્રશ્નોત્તરને આશય પ્રગટ કરીએ છીએ–બધાં જીવને કર્મબન્ધ સરખે હોતે નથી બલકે બધાના કર્મબન્ધમાં ભિન્નતા હોય છે એનું કારણ છે યોગની વિશેષતા અર્થાત મન, વચન અને કાયાની ચેષ્ટા-અનુષ્ઠાન ભાષણ અને ચિન્તન વગેરેની વિચિત્રના બધાં જીના ગની પ્રવૃત્તિ સરખી ન હોવાથી કમબન્ધ પણ સરખા હોતા નથી કેઈને તીવ્ર, કેઈને તીવતર, કેઈને તીવ્રતમ અને કેઈને મઝ, મન્દતર અને મન્દતમ બન્ધ હોય છે. શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ २०७
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy