SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તત્વાર્થસૂત્રને - જેમની દૃષ્ટિ મિથ્યાત્વરૂપી અંધકારથી આચ્છાદિત થઈ ગઈ છે, જેઓ રાગ અને દ્વેષથી યુક્ત છે, એવા જીવ ભવ્ય હોવા છતાં પણ જિનેન્દ્ર ભાખેલા ધર્મ પર રુચિ રાખતા નથી ? - મિથ્યાદષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચન પર તે શ્રદ્ધા રાખતું નથી પરંતુ ઉપદિષ્ટ અથવા અનુપદિષ્ટ અસદૂભાવ પર અર્થાત્ વિપરીત તત્વ પરત્વે શ્રદ્ધા રાખે છે. જે જીવ સૂત્ર-આગમમાં કથિત એક પણ પદ અગર એક પણ અક્ષર પ્રત્યે અશ્રદ્ધા રાખે છે, તે કદાચ શેષ સમગ્ર આગમ પર શ્રદ્ધા સખતે હોય તે પણ તેને મિથ્યાદૃષ્ટિ જ સમજ જોઈએ છે ૩ છે તત્વાર્થ શ્રદ્ધા રૂપ આત્માનું પરિણામ સમ્યક્ત્વ કહેવાય છે. સમ્યકત્વ પાંચ પ્રકારના છે(૧) ઔપથમિક (૨) સાસ્વાદન (૩) વેદક (૪) ક્ષાપશમિક તથા (૫) ક્ષાયિક. અનન્તાનબન્ધી ક્રોધ, માન, માયા, લેભ અને દર્શન મેહનીયની ત્રણ એમ સાતે પ્રકૃતિઓને ઉપશમ થવાથી ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે આ સભ્યત્વ અન્તર્મુહૂર્ત માત્ર જ રહે છે. ત્યારબાદ અનન્તાનુબન્ધી કષાયને ઉદય થઈ જાય છે અને અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી-સમ્યકત્વને ચોકકસપણે નાશ થઈ જાય છે. કહ્યું પણ છે અગર સંજનનો અર્થાત અનન્તાનુબંધી કષાયને ઉદય હેત તો સાસ્વાદન સમ્યકત્વ પણ થઈ જાય છે અને જે તેને અભાવ થાય છે તે નિર્દોષ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે . ૧ ક્ષાપશમિક સમ્યક્ત્વના અંતિમ પુદ્ગલેને અનુભવ કરવાના કાળમાં વેદક સમ્યક્ત્વ થાય છે. ઉદયમાં ન આવેલા મિથ્યાત્વના મુદ્દગલોને ક્ષય, અને ઉદયમાં ન આવેલા મિથ્યાત્વને ઉપશમ થવાથી ક્ષાયોપથમિક સમ્યકત્વ થાય છે. સંપૂર્ણ દર્શન મેહનીય ક્ષય થવાથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. એવું નથી કે વિશુદ્ધ પુદ્ગલેને નાશ થવાથી તત્ત્વાર્થ શ્રદ્ધા રૂપ પરિણામને અભાવ થઈ જાય. કહ્યું પણ છે સમ્યકત્વ મેહનીયને પુદ્ગલેને નાશ થઈ જવાથી સમ્યગદષ્ટિ કેવી રીતે માનવામાં આવે છે? એને જવાબ એ જ છે કે ત્યાં દ્રવ્યને ક્ષય માનવામાં આવ્યા છે, પરિણામનો ક્ષય નહીં ! ૧ છે સમ્યગ-મિધ્યત્વ વેદનીય પહેલા સમ્યકત્વ ને ઉત્પન્ન કરતો થક, ત્રણ કરણ કરીને, ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ મિથ્યાત્વના દળને શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ એ રીતે ત્રણ ઢગલાના રૂપમાં પરિણત કરે છે. કહ્યું પણ છે ત્યારબાદ સમ્યક્ત્વગુણ દ્વારા મિથ્યા કર્મનું તેવી જ રીતે વિરોધ કરે છે, જેમ છાશ વગેરેથી મદનકદ્રવ ને શુદ્ધ કરવામાં આવે છે ? આ રીતે દર્શનમોહનીય કર્મની ત્રણ ઉત્તર-પ્રકૃતિઓનું પ્રતિપાદન કરીને હવે પચીશ પ્રકારના ચારિત્રમેહનીય કર્મની ઉત્તરપ્રકૃતિ રૂપ બન્ધનું પ્રતિપાદન કરીએ છીએ. ચારિત્ર મેહનીય કર્મ બે પ્રકારના છે–કષાયમેહનીય અને નોકષાયમહનીય. કષાયમોહનીયના સેળ ભેદ છે; જેવા કે-ક્રોધ, માન, માયા, અને લેભ. આ ચારેય કક્ષાના અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલનના ભેદથી ૪૪૪=૧૬સેળ ભેદ થાય છે શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૮૨
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy