SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ વિશેષ પ્રકારે દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૯ ૧૫૭ પર્યાયન ઉત્પાદ અને વિનાશ થતો રહે છે. માટીને જે દ્રવ્ય માની લઈએ તે ઘટ કપાલ વગેરે તેના પર્યાય છે. વ્યવહાર નયની અપેક્ષા ગુણ સહભાવી અને પર્યાય ક્રમભાવી હોય છે. સમભિરૂઢ નયની અપેક્ષાથી ઈન્દનાશકન અને પૂરદાહ આદિ નગરને નાશ) વગેરે અર્થ વિશેષ અને રૂપ આદિ ભાવાન્તર ભાવભેદ ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે સંજ્ઞાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત અર્થભેદ અને સંજ્ઞાભેદ ગુણ-પર્યાયના નિમિત્તથી થાય છે. આવી રીતે જે ગુણ અને પર્યાથી યુક્ત છે અર્થાત ગુણ-પર્યાયમય છે તે જ દ્રવ્ય કહેવાય છે. - દ્રવ્ય દ્રવ્ય–અંશ છે અને પરિણામી છે, પર્યાય ઉત્પાદ અને વ્યય રૂપ હોય છે તે પરિણામ છે. ગુણ દ્રવ્યને અંશ કહેવાય છે. આ રીતે સ્થિતિરૂપ દ્રવ્યના રૂપ વગેરે અને જ્ઞાનાદિ તથા પિન્ડ, ઘટ કપાલ વગેરે ગુણ અને પર્યાય છે. કોઈપણ દ્રવ્ય કદીપણ પરિણામ રહિત હોતું નથી. ગુણ અને પર્યાય દ્રવ્યથી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે, ન એકાન્ત ભિન્ન છે અને ન એકાન્ત અભિન્ન છે તે પણ કદી કદી દ્રવ્યથી ગુણ પર્યાયના ભેદનું વિવરણ કરવામાં આવે છે. આ ભેદ વિવક્ષા અનુસાર જ કહેવામાં આવે છે કે આત્મામાં ચૈતન્ય છે આત્મા જ્ઞાનાદિ રૂપમાં સ્વયં પરિણત થાય છે આથી ચૈતન્ય અને આત્મામાં ભેદ ન હોવા છતાં પણ આત્મા માં ચૈતન્ય છે એ રીતે ભેદ રૂપથી વ્યવહાર થાય છે. તે જ પુદ્ગલ દ્રવ્ય પોતાના સ્વરૂપને પરિત્યાગ ન કરતો થકે વિશેષરૂપ આદિ અને ઘટ આદિના વ્યવહારમાં કારણ બને છે. આ રીતે કથંચિત ભિન્ન અને અભિન્ન ગુણ અને પર્યાયવાળા દ્રવ્ય કહેવાય છે. ધર્મ, અધર્મ, આકાશ કાળ અને જીવ દ્રવ્યોના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ કે તેઓ પણ ગુણ અને પર્યાયવાળા છે. દ્રવ્ય સહભાવી ગુણો અને કમભાવી પર્યાને ચગ્ય હોય છે. એમાં અગુરુલઘુત્વ તથા રૂપ વગેરે ગુણ સહભાવી છે અને પિન્ડ, ઘટ, કપાલ વગેરે પર્યાય કમભાવી છે. એવી જ રીતે ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુત્વ આકાશમાં અવગાહ હતત્વ જીવમાં જ્ઞાન દર્શન આદિ ગુણ તથા નારક આદિ પર્યાનો યથાયોગ્ય પૂર્વોક્ત પ્રકારથી વિચાર કરો. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૮ માં અધ્યયનની ૬ ઠી ગાથામાં કહે છે જે ગુણોનો આધાર છે તે દ્રવ્ય કહેવાય છે. જે ફકત દ્રવ્યમાં આશ્રિત છે તે ગુણ છે પરંતુ પર્યાનું લક્ષણ બંનેનું આશ્રિત હોય છે. તાત્પર્ય એ છે કે ગુણ અને પર્યાય બંને જ દ્રવ્યના અંશ છે પરંતુ બંનેમાં તફાવત એ છે કે ગુણ ફક્ત દ્રવ્યમાં રહે છે અને પર્યાય દ્રવ્યો તથા ગુણ બંનેને આશ્રિત હોય છે, જેમ જીવ દ્રવ્ય છે, ચૈતન્ય તેને ગુણ છે. મનુષ્ય પશુ પક્ષી આદિ જીવ દ્રવ્યના પર્યાય છે. અને મતિજ્ઞાન વગેરે ચૈતન્ય ગુણના પર્યાય છે. આમ જે દ્રવ્યને આશ્રિત હોય તે ગુણ અને દ્રવ્ય તથા ગુણ બંનેને આશ્રિત હોય તેને પર્યાય કહે છે રા મૂળ સૂવાથ—જે દ્રવ્યને આશ્રિત છે, સ્વયં નિર્ગુણ હોય તે ગુણ છે. ૩૦ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૫૭
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy