SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શાબ્દાદિ પણ પુદ્ગલના જ ભેદહેવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨૫ બધાને જ ગ્રહણ કરે અને જે ન ગ્રહણ કરે તે કઈ પણ પદાર્થને ગ્રહણ ન કરે આથી યાહકના વિશેષથી જ ગ્રાહ્યની દૃષ્ટિ જ કારણ હોય છે. અન્યથા અર્થજ્ઞાન એ વ્યવહાર પણ ન હોવો જોઈએ કારણ કે વ્યવહાર ઉપકારથી પ્રભાવિત થાય છે નિમિત્ત નૈમિત્તિકભાવ રૂપ ઉપકાર અવિનાભાવ હોવાથી અન્યથા અનુપપન્ન છે. આ રીતે વર્ણ ગંધ રસ અને સ્પર્શથી યુકત હોવાના કારણે પુદ્ગલ જીવથી ભિન્ન છે અને જીવના જ્ઞાનાદિ પરિણમેથી પણ ભિન્ન છે. તાત્પર્ય એ છે કે પુદ્ગલ જીવ અગર તે વિજ્ઞાનનું પરિણામ નથી. તે ૧૯ सबंधयार उज्जोय पभा छायातपबंध सुहुमवायरसंठाणमेया ॥ મૂળસૂવાથ-શબ્દ, અધિકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, સૂફમત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલરૂપ છે. | ૨૦ | તત્ત્વાર્થદીપિકા–પુદ્ગલ કેવળ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાત્મક જ નહીં પરંતુ શબ્દ આદિ પણ પુદ્ગલ જ છે. એ નિરૂપણ કરવા માટે કહીએ છીએ– શબ્દ, અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ, બન્ધ. સૂફમત્વ, બાદરત્વ, સંસ્થાન અને ભેદ પણ પુદ્ગલના જ પર્યાય છે. આથી પુદ્ગલ શબ્દાદિ વાળા હોય છે. ૨૦ છે તત્વાર્થનિર્યુકિત-પહેલા કહેવાઈ ગયું છે કે પુદ્ગલ રૂપ, રસ, ગન્ધ, અને સ્પર્શ પર્યાયવાળા હોય છે. હવે એ કહે છે કે શબ્દ વગેરે પર્યાય પણ પુદગલના જ છે. શબ્દ બે પ્રકારના છે ભાષાત્મક અને અભાષાત્મક. ભાષાત્મક શબ્દના બે ભેદ છે સાક્ષર અને અનક્ષર શબ્દ. જે શબ્દ વર્ણ પદ તથા બાહ્યાત્મક હોય છે. શાસ્ત્રને અભિવ્યંજક હોય છે, સંસ્કાયુક્ત અને સંસ્કારહીનના ભેદથી આર્ય અને અનાર્યજનના વ્યવહારનું કારણ હોય છે તે અક્ષરાત્મક કહેવાય છે. અનક્ષરાત્મક શબ્દ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચે. ન્દ્રિય પ્રાણિઓના જ્ઞાનાતિશયન પ્રતિપાદનને હેતુ હોય છે. તેમને જ્ઞાનાતિશય એકેન્દ્રિય જીવની અપેક્ષાથી જાણવું જોઈએ. એકેન્દ્રિય જીવોને સામાન્ય જ્ઞાન હોય છે અતિશયજ્ઞાન હોતું નથી. અતિશય જ્ઞાનવાન સર્વજ્ઞ એકેન્દ્રિયના સ્વરૂપનું નિરૂપણ કરે છે તે તીર્થકર ભગવાન પરમાતિશયજ્ઞાની હોય છે. આ શબ્દો પ્રાયગિક હોય છે. અભાષાત્મક શબ્દ પણ બે પ્રકારના છે. પ્રાયોગિક અને વૈસિક. પ્રાયોગિક શબ્દના ચાર ભેદ છે—તત વિતત ઘન અને સુષિર પુષ્કર ભેરી, દુદુભિ દદુર આદિ ચર્મવેષ્ટિત વાદ્યોને શબ્દ તત કહેવાય છે. વીણ સુઘાષા વગેરેના શબ્દ વિતત કહેવાય છે. તાલ ઘંટ વગેરે વગાડવાથી ઉત્પન્ન થનાર શબ્દ ઘન કહી શકાય છે, તથા વાંસળી અને શંખ વગેરેથી ઉત્પન્ન શબ્દ સૌષિર છે. વૈસિક શબ્દ મેઘ આદિને કહેવાય છે જે ગર્જનાત્મક હોય છે. આ બધા શબ્દ પુદગલના પર્યાય હોવાથી પગલિક છે. જોવામાં અવરોધ ઉભું કરનાર પ્રકાશના વિરોધી તેમના નામથી પ્રસિદ્ધ અધિકાર પણ પૌગલિક છે. ચન્દ્ર, સૂર્ય, અગ્નિ, મણિ પતંગીયા વગેરેથી ઉત્પન્ન થનાર પ્રકાશ ઉધોત છે તે પણ પૌગલિક છે. પ્રભા જેને દીપ્તિ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૨૫
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy