SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ગુજરાતી અનુવાદ અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૮ વત્ત તે એવા વ્યવહારને વિષય હોતી નથી. કારણ કે સૂર્યની ગતિમાં પણ તેને સદ્ભાવ છે આથી વનંતે એ પ્રકારના વ્યવહારના વિષય બનનારા તમામ પદાર્થોની વર્તાના આદિને નિર્વાહક કાળ કેઈ જુદો જ હોવો જોઈએ. જે કાળનું અસ્તિત્વ ન માનીએ તે કાલાશ્રિત વૃત્તિ પણ ન મનાય. કાળ નિશ્ચીત હોવાથી જ કાલાશ્રિત વૃત્તિ કહી શકાય છે. આ રીતે સકળ પદાર્થોમાં થનારી વર્તાના કાળ વગર ઘટિત થઈ શક્તી નથી આથી પદાર્થોનાં પરિણમનને કારણે કાળનું કાર્યથી અનુમાન થાય જ છે. કાળ દ્રવ્યના વાચક ઘણાં શબ્દો પણ લેકમાં પ્રસિદ્ધ છે તેઓ વસ્તુની ક્રિયામાત્રના વાચક હોઈ શકતા નથી. તે શબ્દો આ પ્રમાણે છે-યુગપદ (એક સાથે) અયુગ૫૬ (એક સાથે નહીં) ક્ષિપ્ર (શીધ્ર) ચિર (ડુ) રિશેખ (ડેથી) આ પર છે. આ અપર છે, આ વર્તશે, આ વર્તશે નહીં આ વતી રહ્યું છે આ અંદર વતે છે વગેરે બધા શબ્દો કાળની અપેક્ષા રાખે છે. આખ પુરુષ આ જ રીતે વ્યવહાર કરે છે. આવી જ રીતે વીતેલે કાળ આવનારે કાળ આજ, હવે, અત્યારે પરમ દિવસે ત્રીજા દિવસે સવારે પ્રાતઃ વગેરે વ્યવહાર કાળવાચક પ્રયાગ કાળના અભાવમાં થઈ શક્તા નથી આથી કાળદ્રવ્યને અવશ્ય સ્વીકાર કરવો જોઈએ. પરિણામ પુદ્ગલ આદિ દ્રવ્યને એક પર્યાય છે જે પોતાની જાતિને ત્યાગ ન કરતા હલન-ચલનથી ભિન્ન પ્રગ દ્વારા ઉત્પન્ન થાય છે જેવી રીતે અંકુર અવસ્થાવાળા વનસ્પતિકાયના મૂળ ડાળી થડ પાંદડા, શાખા ફુલ ફલને સદ્ભાવ રૂપ પરિણામ થાય છે. આ અંકુર હતું, હવે સ્કંધવાન થઈ ગયું આ વર્ષમાં આ કુલશે ફાલશે. પુરુષ છવદ્રવ્યના પરિણામ શૈશવ બાલ્ય પૌગંડ, યૌવન, વૃદ્ધાવસ્થા આદિ છે. પરિણામ બે પ્રકારના છે–અનાદિ અને સાદિ. અમૂર્ત ધર્મ અધમ આકાશ, કાળ અને જીવમાં અનાદિ પરિણામ થાય છે જ્યારે મૂર્ણ વાદળ, ઈન્દ્રધનુષ્ય આદિમાં તથા સ્તંભ કુંભ વગેરેમાં સાદી પરિણામ છે. એવી જ રીતે (૧) હેમન્ત (૨) શિશિર (૩) વસન્ત (4) ગ્રીષ્મ (૫) વર્ષા અને (૬) શરદુ નામની છ ઋતુઓ પણ કાળના જ શક્તિભેદ રૂપ પરિણામ વિશેષ છે જેમનું વિભિન્ન કાર્યોની ઉત્પત્તિથી અનુમાન કરવામાં આવે છે. જેમ કે હેમન્ત ઋતુમાં કપાસ આદિના કુલ હિમવર્ષાથી બળી જાય છે, વટેમાર્ગુઓના હાથ સંકેયાઈ જાય છે, તેમનાં દાંત કડકડે છે. શરીર થર-થર કાંપવા લાગે છે અને તેઓ પતંગીયાની જેમ અગ્નિ તરફ ઉમટી પડે છે ઝાકળ બિન્દુના સંપર્કથી અત્યન્ત શીતળ વાયુ જીને કલેશ ઉત્પન્ન કરે છે. શિશિર ઋતુમાં ચંદ્રના કિરણે અત્યન્ત ધુમ્મસથી ઢંકાઈ જાય છે બેરડીના વૃક્ષની શાખાઓ ફળના ભારથી ઝુકી જાય છે અને બાળકો તેની હેઠળ હરે ફરે છે, હવા બરફના કણેથી વિશદ્ કુન્દ તથા માલતી વગેરેના પુષ્પોથી સુવાસિત થાય છે. વસંતમાં ચારે બાજુ કુંજલતાઓના ફૂલ કિંચિત વિકસિત થાય છે, કેસર તિલક કુરબક શિરીષ વગેરેના ફળની સુગંધથી યુક્ત તથા તરુણ જનેના મનને હરણ કરનાર પવન ધીમે ધીમે વાય છે. આંખોની મંજરીના રજ તથા પરાગથી ખરડાયેલા શરીરવાળા ભમરા મનહર ગુંજન કરે છે. કેયેલ પિતાના મુહૂ-કુહુના કલરવથી આમ્રવનેને શોભાયમાન કરે છે. મલયા શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧ ૨૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy