SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થ સૂત્રના ૧૧૮ છે તે પણ તેમાં હેતુતૃત્વનું કથન કરવામાં આવે છે એવી જ રીતે દ્રવ્ય અને પર્યાય આદિના વનવ્યવહારમાં કાળ જો કે નિમિત્ત માત્ર છે તેા પણ એમાં હેતુકર્તૃત્વનું કથન હાવું શકય છે. શકા—સમય આદિથી જ ઉક્ત વ્યવહાર થઈ શકે છે એવી સ્થિતિમાં કાળના અસ્તિત્વનુ શું પ્રમાણ છે ? સમાધાન—સમય આદિ ક્રિયાવિશેષાની તથા સમય આદિ દ્વારા નિષ્પન્ન થનારા પાક આદિની “સમયઃ પાક” એવી સંજ્ઞાની પ્રસિદ્ધિ હેાવા છતાં પણ “સમયઃ કાલઃ” “એદનપાર્કકાલઃ” એવી રીતે કાળનું જે કથન કરવામાં આવે છે તેથી મુખ્ય કાલની સત્તાનું અનુમાન થાય છે કારણ કે મુખ્યની અપેક્ષાથી જ ગૌણ વ્યવહાર થાય છે. આ રીતે દ્રવ્યના પર્યાય-પરિણમનમાં અર્થાત્ એક પર્યાયના વિનાશ થવાથી ખીજા પર્યાયની ઉત્પત્તિ રૂપ પરિણામમાં, અપસ્પિન્દ રૂપ પરિણામમાં, જીવના ક્રોધાદિ રૂપ પરિણામમાં પુગલના વર્ણ, ગધ, રસ, સ્પર્શ આદિ રૂપ પરિણામમાં તથા ધર્મ અધર્મ અને આકાશનો અગુરુ લઘુ ગુણને વૃદ્ધિ તથા હાનિ રૂપ પરિણામમાં કાળ ઉપકારક રૂપથી હેતુ થાય છે. હલન-ચલન રૂપ ક્રિયા એ પ્રકારની કહેવામાં આવી છે. પ્રાયાગિકિ અર્થાત્ પ્રયત્નજનિત અને વૈસિસિક અર્થાત્ સ્વાભાવિકી શકય વગેરેની પ્રાયેાગિકી અને મેઘ વગેરેની સ્વાભાવિકિ ક્રિયા હાય છે, બંને પ્રકારની ક્રિયામાં કાલ નિમિત્ત કારણ છે. પરત્વ અને અપરત્વ એ-એ પ્રકારનાં છે દેશકૃત અને કાલકૃત. દેશકૃત પરત્વના અં છે દૂર અને અપરત્વના અર્થ છે પાંસે. આ અને પરસ્પર સાપેક્ષ છે. કાલકૃત પરત્વના અભિપ્રાય છે જ્યેષ્ઠતા અને અપરત્વના અભિપ્રાય છે કનિષ્ઠતા. આ સૂત્રમાં જે પરત્વ અને અપરત્વનુ ગ્રહણ કરેલ છે તે કાલકૃત સમજવા જોઈ એ. કાલના આધાર પર જ જ્યેષ્ઠતા–કનિષ્ઠતાના ન્યવહાર થાય છે આથી પરત્વ અને અપરત્વ પણ કાળના ઉપકારક છે. આ અને પણ પરસ્પર સાપેક્ષ હાય છે. આના ફિલતાથ એ છે કે પુદ્ગલ આદિ દ્રવ્ય પર્યાયાના વક્ત્તન આદિના વ્યવહાર કાલકૃત હેાવાથી કાલ જ તે બધાનું નિમિત્ત કારણ છે. શંકા—વત્તનાનું ગ્રહણ કરવાથી જ તેના ભેદ પરિણામ, ક્રિયા આદિનું પણ ગ્રહણ થઈ શકે છે આથી પિરણામ આદિનું પૃથગ્રહણ કરવું વ્ય છે. સમાધાન—કાલ બે પ્રકારના છે—પરમાર્થ કાલ તથા વ્યવહારકાલ. આ બંને પ્રકારનાં કાળાને ગ્રહણ કરવા માટે પરિણામ આદિને વત્તનાથી જુદા કહ્યાં છે. વના લક્ષણવાળા કાળ પરમાર્થ કાળ છે અને પિરણામ ક્રિયા આદિ લક્ષણવાળા કાળ વ્યવહાર કાળ કહેવાય છે આ પ્રકારે અન્ય પદાર્થોં દ્વારા પરિચ્છિન્ન અને અન્ય પદાર્થોના પરિચ્છેદ્યનુ કારણ જે ક્રિયાવિશેષ છે, તે કાલ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે—ભૂત, ભવિષ્ય, વત્ત માન. આમાંથી વત્ત માન રૂપ પરમાર્થ, કાળના વ્યવહાર થવા મુખ્ય અને ભૂત આદિના વ્યવહાર ગૌણુ છે. પરિણામ ક્રિયા આદિ રૂપ વ્યવહાર કાલમાં ભૂત, ભવિષ્ય તથા વત્ત માનને વ્યપદેશ મુખ્ય છે, કાળના વ્યપદેશમાં ગૌણ છે કારણ કે તે ક્રિયાવાન દ્રવ્યની અપેક્ષા રાખે છે અને કાલમૃત હાય છે. શ્રી તત્વાર્થ સૂત્ર : ૧ ૧૧૮
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy