SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^ ^w ૧૧૬ તત્વાર્થસૂત્રને સમજવો જોઈએ. રાજા દ્રવ્ય આદિ આપીને નોકરને ઉપકાર કરે છે, સેવક હિત સાધીને અને અહિત રેકીને રાજાને ઉપકાર કરે છે. આચાર્ય આ લેક તથા પરાકમાં ઉત્તમ ફળ આપનાર ઉપદેશ અનુસાર ક્રિયા કરાવીને શિષ્યને ઉપકાર કરે છે. શિષ્ય આચાર્ય માટે અનુકૂળ કાર્ય કરીને આચાર્યને ઉપકારક થાય છે. આવી રીતે જીવેના સુખ, દુઃખ, જીવન તથા મરણ પણ જીવકૃત ઉપકાર છે. જે જીવ બીજા જીવને સુખ પહોંચાડે છે તે તેને અનેકવાર સુખી બનાવે છે આથી ઉલટું જે જીવ જેને દુઃખ આપે છે તે બદલામાં તેને વારંવાર દુઃખી બનાવે છે. જે જેનો ઘાત કરે છે તેને તેની દ્વારા ઘણીવાર મરવું પડે છે વળી કહ્યું પણ છે કે અરે જીવ ! તું તારા પુત્ર-પત્ની વગેરે પરિવાર માટે જીવોની જે હિંસા કરીશ, તેના ટુકડે-ટુકડા કરીશ, દુઃખ ઉપજાવીશ તે યાદ રાખજે કે તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે / ૧૭ છે તત્વાર્થનિર્યુકિત–પહેલા ધર્મ, અધર્મ, આકાશ, અને પુદ્ગલ દ્રવ્યના ઉપકારક રૂપમાં લક્ષણ કહેવામાં આવ્યું છે. જે માટે ધર્મ અધમ આદિ બધાં ઉપકારક હોય છે, ધર્મ, અધર્મ તથા આકાશપુગલેના ઉપકારક હોય છે, આકાશ ધર્મ, અધર્મ અને પુગલોનો ઉપકારક હોય છે. ઈત્યાદિ રૂપથી કથન કરવામાં આવ્યું છે હવે જીવ કે ઉપકારી હોય છે એ માટે કહીએ છીએ—જીવ પરસ્પર એક બીજાને ઉપકાર કરવામાં નિમિત્ત બને છે. એક જીવ બીજા જીવને ભલાઈનો ઉપદેશ આપીને તથા અહિતથી રેકીને ઉપકાર કરે છે. એવી જ રીતે ભવિષ્યમાં અથવા વિદ્યમાન કાળમાં જે હિત છે, યોગ્ય ક્ષેમ અગર ન્યાચ્ય છે તેનું પ્રતિપાદન કરીને તથા હિતથી વિપરીત અહિતનો પ્રતિષેધ કરીને પરસ્પર ઉપકારક થાય છે. એક જીવ બીજાને, બીજે ત્રીજા, ત્રીજે થાને ઉપકાર કરે છે અને આવી રીતે ઉપકારની પરમ્પરા ચાલુ રહે છે. જેમ ધર્મ, અધર્મ આકાશ કાળ અને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવથી જ ઉપકારક્તા છે તેવી જીમાં સ્વભાવથી ઉપકારકતા નથી. જીની ઉપકારતા તો અનુગ્રહ બુદ્ધિથી જ સમજવી જોઈએ. આ પ્રકારે પરસ્પર હિતાહિતને ઉપદેશ આપીને જીવ બીજા જીવને અનુગ્રહ કરે છે, પુદગલ આદિ એવું કરતા નથી. અથવા જીવના સુખ આદિના સાધક-એક-એક પુદ્ગલ વગેરે થઈ શકે છે. હમેશાં બે વગેરેને ઉપકારક થાય છે, એક-એકનો નહીં. આ રીતે પહેલા પુગલ આદિન ગૌણ ઉપકાર પ્રતિપાદિત કર્યો અહીં જીવ દ્વારા થનારો મુખ્ય ઉપકાર સમજ જોઈએ. જીવ જેટલે અધિક ઉપદેશ દ્વારા અને ઉપકારક થાય છે તેટલે ધન વગેરે દ્વારા ઉપકાર કરતા નથી. શંકા–પહેલા જીવનું લક્ષણ ઉપયોગ બતાવ્યું તે પછી તેનું બીજું લક્ષણ બતાવવું નકામું છે. સમાધાન—ઉપગ જીવનું અન્તરંગ લક્ષણ છે. અહીં જે પરસ્પર ઉપકાર કરવાનું લક્ષણ કહેલ છે તે તેનું બહિરંગ લક્ષણ છે. શંકા–એવું છે તે ધર્મ આદિનું પણ બીજું લક્ષણ કેમ ન બતાવ્યું ? શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૧૧૬
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy