SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધમધર્માદિના પ્રદેશપણાનું નિરૂપણ સૂ. ૬. લ્ય કાકાશના એક પ્રદેશ સૂક્ષ્મતમ અંશમાં ધર્માસ્તિકાયને જે સૂક્ષ્મતમ અંશ વ્યાપ્ત છે, તે જ ધર્માસ્તિકાયનો એક પ્રદેશ કહેવાય છે. એવી જ રીતે અધર્માસ્તિકાયના પ્રદેશ સંબંધી પણ જાણી લેવું જોઈએ. આકાશ અવકાશ આપવામાં કામ આવે છે, ધર્મ દ્રવ્ય ગતિમાં ઉપકારક થાય છે, અધર્મ દ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત થાય છે. આ રીતે બધા પ્રદેશો નું આ અવગાહન લક્ષણ સમજી લેવું જોઈએ. પ્રત્યેક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ હોય છે આ સત્યને પ્રગટ કરવા માટે સૂત્રમાં એક” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા છે. માત્ર જીવ પદને જ પ્રયોગ કરવામાં આવ્યું હોત તે જ્ઞાન-દર્શન-ઉપગ સ્વભાવ વાળા જીવ સમૂહના અર્થાતુ બધા છોને ભેગા મળીને અસંખ્યાત પ્રદેશ સમજી લેવામાં આવત, એક જીવના નહીં. આમ સંકરતા થઈ જાત “એક પદને પ્રયોગ કરવાથી એક–એક જીવના અસંખ્યાત પ્રદેશોને બોધ થાય છે. આ રીતે જીવના અસંખ્યાત પ્રદેશ તુલ્ય છે તથાપિ ચામડા વગેરેની જેમ તે સંકેચ અને વિસ્તાર સ્વભાવવાળા હોવાના કારણે તે જ જીવપ્રદેશ કદાચિત સહુથી નાના કંથવા વગેરેના શરીરમાં સમાઈ જાય છે અને કદાચિત વિસ્તાર પામીને, સંખ્યામાં તેટલા ને તેટલાં જ રહેવા છતાં પણ વિશાળ હાથીને શરીરને વ્યાપ્ત કરી લે છે. એજ પ્રકારથી છ અને અજેના આધાર ક્ષેત્રરૂપ કાકાશના પણ અસંખ્યાત જ પ્રદેશ હોય છે, ન તો સંખ્યાતા હોય કે ન તે અનન્ત પરંતુ સંપૂર્ણ લેક આલેક રૂપ આકાશના અનન્ત પ્રદેશ હોય છે, ન સંખ્યાતા કે ન અસંખ્યાત પ્રદેશ આ વાત આગલા સૂત્રમાં કહીશું. અહીં એટલું સમજી લેવું જોઈએ. જે સંખ્યાથી બહાર હોય તે અસંખ્યય કહેવાય છે. અસંખ્યાતના ત્રણ ભેદ છે—(૧) જઘન્ય (૨) ઉત્કૃષ્ટ અને (૩) અજઘન્યત્કૃષ્ટ અથવા મધ્યમાં આ સૂત્રમાં જઘન્યોત્કૃષ્ટ અસંખ્યાત ગ્રહણ કરેલ છે. જેટલા ક્ષેત્રને પરમાણુ ઘેરે છે, તેટલું ક્ષેત્ર આકાશને એક પ્રદેશ કહેવાય છે. ધર્મ, અધમ લોકાકાશ અને એક જીવના અસંખ્યાતા પ્રદેશ બરાબર બરાબર છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનનાં ત્રીજા ઉદ્દેશકના ૩૩૪માં સૂત્રમાં કહ્યું છે–પ્રદેશના પરિમાણની અપેક્ષાથી ચાર દ્રવ્ય સમાન છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ અને એક જીવ. આમાંથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ક્રિયારહિત છે અને સંપૂર્ણ કાકાશને વ્યાપ્ત કરીને સ્થિત છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં પણ સંકેચ-વિસ્તાર સ્વભાવ હોવાના કારણે નામકર્મ દ્વારા નિષ્પન્ન નાને અગર મોટા શરીરમાં રહેતે થકે તેને જ અવગાહન કરીને રહે છે. કેવલી સમૂદ્દઘાતના સમયે ચાર સમયમાં અર્થાત ચોથા સમયમાં સંપૂર્ણ લેકને વ્યાપ્ત કરી લે છે અને પછી ચાર સમયમાં ફેલાયેલા પ્રદેશને સંકેચી લે છે. એવી રીતે-કેવલી સમૂદ્દઘાતમાં આઠ સમય લાગે છે. આ ૬ છે 'अलोगागासजीवाणमणता' મૂળ સૂવાથ—અલકાકાશ અને જીવેનાં અનન્ત પ્રદેશ હોય છે. જે ૭ ) શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
SR No.006485
Book TitleTattvartha Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy