SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાને અર્થ-વ્યાખ્યા સ્પષ્ટ છે. વિડ લવણને અર્થ કાળું નમક-મીઠું અને ઉભિદ્ લવણને અર્થ દરિયાઈ મીઠું થાય છે. (સૂ૦૩૪). મૂળ અર્થ –“નો જw૬” ઈત્યાદિ. સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના તુંબડાનાં પાત્રોમાં, માટીનાં પાત્રોમાં, કાષ્ઠનાં પાત્રોમાં, લોઢાનાં પાત્રોમાં, તાંબાનાં પાત્રોમાં, કલાઈનાં પાત્રોમાં કાચના પાત્રોમાં, કાંસાનાં પાત્રોમાં, ચાંદીનાં અથવા સેનાનાં પાત્રોમાં તથા એવાં બીજાં પાત્રોમાં અશન, પાન, ખાદ્ય અને સ્વાદનો પરિગ કરે ક૯૫ નથી, તથા તેમાં વસ્ત્ર વગેરે દેવું પણ કહપતું નથી. અલાબૂપાત્રાદિષુ અશનાદિનિષેધઃ પ્રશ્ન–હે ભદન્ત? કયા કારણથી એવું કહ્યું છે? ઉત્તર એ પ્રકારનાં પાત્રોમાં અશનાદિનો પરિભેગ કરનાર અને વસ્ત્રાદિ દેનાર નિગ્રન્થ-નિગ્રન્થી આચારથી ભ્રષ્ટ થઈ જાય છે. (સૂ૦૩૫) ટીકાને અથ–-સાધુ-સાધ્વીઓને ગૃહસ્થનાં તુંબડાથી માંડી સુવર્ણ સુધીનાં કઈપણુ પાત્રોમાં તથા સૂત્રમાં લખેલાં પાત્રો ઉપરાંત બીજા પણ કેઈ પ્રકારનાં કુંડાં આદિમાં અશનાદિને ઉપભોગ કરે તથા વસ્ત્રાદિ દેવાં કહપતાં નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે-“ભગવદ્ ! કયા કારણથી ગૃહસ્થનાં તુંબડા આદિનાં પાત્રોમાં અશનાદિના પરિભેગન તથા વસ્ત્રાદિ દેવાને નિષેધ કરવામાં આવ્યો છે?” ગુરુ ઉત્તર આપે છે-“હે શિષ્ય ! કારણ એ છે કે એ પ્રકારનાં પાત્રોમાં અશનાદિનો પરિગ કરનાર તથા વસ્ત્રાદિ દેનાર શ્રમણ-શ્રમણી ચારિત્રથી પતન પામે છે. દશવૈકાલિકસૂત્રના અધ્યયન ૬, ગાથા ૫૧ માં કહ્યું છે “कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो। भुंजतो असणपाणाई, आयारा परिभस्सइ” ॥१॥ ગૃહસ્થનાં વાટકા આદિ, તથા કાંસાનાં, ઉપલક્ષણથી સેના-ચાંદી-પીતળ આદિન અને માટીનાં વાસણોમાં ભજન કરનાર સાધુ ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. અહીં “મુઝ' પદ ઉપલક્ષણ છે. આથી ગૃહસ્થાના પાત્રમાં કપડાં ધોવાનું અને ગરમ પાણીને ઠંડું કરવાનું પણ નિષેધ થઈ જાય છે. (સૂ૦૩૫) શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૮
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy