SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણા-દિવસ નિરૂપણમ્ ા મૂલનો અર્થ–સાધુ-સાધ્વીઓએ, વર્ષાકાલના એક માસ અને વીસ દિવસ વ્યતીત થયાં બાદ, “પર્યુષણ પર' ઉજવવું જોઈએ. આ પર્વને અંતિમ દિવસ ભાદરવા સુદ પાંચમ રાખવામાં આવેલ છે. શકલ પંચમીની રાત્રિનું ઉલ્લંઘી જવી ન જોઈએ. (સૂ૦૧૯) ટીકાને અર્થ-સાધુ-સાધ્વીઓ માટે જે “પર્યુષણ' ને કાલ નકકી કરેલ છે. તે કાલ અષાઢ સુદ પૂનમના પ્રતિક્રમણથી માંડી એક માસ અને વીસ દિવસ પસાર થયાં બાદ બતાવ્યો છે. સાધુ-સાધ્વીના પેટામાં શ્રાવક શ્રાવિકાનો પણ સમાવેશ થઈ જાય છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ શુકલ પંચમીને છે. ને તે દિવસ સહિત એક અઠવાડિયું આ “પર્વ' માટે નિર્માણ કરેલ છે. એટલે “પર્વાધિરાજ પર્યુષણ' શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૫ સુધી નિર્માણ થયાં છે. શુકલ પંચમીની રાત્રિનું ઉલ્લંઘવી નહિ ક૯પે. પર્યુષણ પર્વ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ ગણાયું છે; કારણ કે અન્ય પમાં તે “ જડ” (પુદ્ગલ) નેજ આનંદ લુંટવાનો હોય છે. ત્યારે આ પર્વ ' માં શાશ્વત આત્મિક આનંદ લૂંટવાનો હોય છે. પુદ્ગલ ને આનંદ આ “ જીવ' અનંતા કાલથી લૂંટતે જ આવે છે. પણ કેઈ કાલ એ નથી ગયો કે જે કાલમાં તે પુદ્ગલાનંદથી વિરામ પામ્યો હોય, અગર તે તરફ ઉદાસીનતા દાખવી હોય. અનેક જન્મે વ્યતીત થયાં પણ કઈ દિવસે * આત્મા’ એ પોતાની જાતને યાદ કરી નથી, એટલા માટે જ જ્ઞાનીઓએ આ “પર્યુષણ” એ નિર્ધાર્યા છે. જે પર્વ માં જીવ’ કદાચ સવાલ થાય તે પિતાની ભૂલી ગયેલ “જાતને સંભારી શકે. પરિ’ નો અર્થ પૂર્ણ રૂપથી અને “ઉષણ” ને અર્થ નિવાસ કરે તે થાય છે, ને આ ક૫માં મુનિજન પૂર્ણ રીતે “યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ' વિચાર કરે છે. આ ત્રણે “કરણ' શું છે? તેની સામાન્ય સમજણ સાથે આપણે ચાલીએ તે ઠીક ! “શારદા'-જીવ સુખની કલ્પનાએ-કલ્પનાએ અને “જડ” માંથી જ આનંદ મેળવવાની લાલચે જડ” જેવો થઈ ગયો. ઘણે કાલ ભ્રમણ કરતાં કેઈ પુણ્યાનુબંધી પુણ્યના ગે સદવિચારે ચાલતા ચાલતે પૂર્ણાનંદ મેળવવાની ઇચ્છાએ. અનેક પ્રકારની અજ્ઞાનતાપૂર્વક ક્રિયાઓ કરતે “આથીજ હું મેક્ષ મેળવીશ” એમ દઢપણે માનતે સ્વચ્છ વિચર્યો. પછી સદ્ભાગ્યે તેને સદૂગુરુદેવને સંવેગ મળ્યો. આ સદૂગુરુદેવ, જેમ બાળકને આંગળીથી “ચંદ્રમા’ બતાવાય છે તેમ તે મોક્ષાથીને “આત્મ દર્શન કરાવે છે. પછી તે મેક્ષાથી પોતાના સ્વવિચાર બલે આગલ વધી “અપૂવ કરશે” શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૩૦
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy