SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવ્રત કલ્પ: . છ8 મહાવ્રત ક૯પને કહે છે– ઈત્યાદિ મલાઈ સાધુ અને સાદેવીઓએ ભાવનાસહિત પાંચ “મહાવત’ નું પાલન કરવું જોઈએ | સૂ૦ ૭ | ટકાથ-જીવનપર્યન્ત ત્રણ કરણ અને ત્રણ વેગથી સમસ્ત સાવદ્ય વ્યાપારને ત્યાગ કરે તેને “મહાવત’ કહે છે. અથવા અણુવ્રતોની અપેક્ષા મહાન હોવાથી મહાવ્રત કહેવાય છે. કરણ એટલે કરવું, કરાવવું અને અનમેદવું, કેટલાક લોકો કાર્ય જાતે કરે છે કેટલાક જાતે નહિ કરતા અન્ય પાસે કરાવે છે, કેટલાક જાતે કરવા તથા કરાવવા અશક્ત હોવાને કારણે બીજા લે તે કાર્ય કરતા હોય તે તેને અનુમોદના આપે છે. એટલે તે કાર્યને મનથી પ્રોત્સાહન આપી વધાવી લે છે. આ ત્રણે કરણથી 'પાપલાગે છે. ' યોગ એટલે જેગ મેળવ, આવા રોગ ત્રણ છે (૧) મનગ (૨) વચનગ (૩) કાયયોગ, મનથી કાર્ય કરવું, વચનથી કાર્ય કરવું, અને શારીરિક પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરવું, જગતના કોઈ પણ કાર્ય મન-વચન-કાયા ના યોગ દ્વારા જ થાય છે. મહાવ્રત પાંચ છે–(૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાનવિરમણ (૪) મૈથુનવિરમણ (૫) પરિગ્રહવિરમણ. જેમ ઘરને બહાર દિવાલ હોય છે ને તે દિવાલથી ઘરને ચાર ડાકુ વિગેરેથી રક્ષણ થાય છે તેમ પાંચ મહાવ્રત” પિ સંયમ ઘરની રક્ષા માટે દરેક વ્રતની પાંચ પાંચ એમ મળી પાંચ મહાવ્રતની પચીસ ભાવનાઓ છે. આ “ભાવના” નું જો સાધુ-સાધ્વીઓ પરિપૂરું પાલન કરે તો કોઈ દિવસ પણ “વત’ ખંડન થતાં જ નથી. (૧) પ્રાણાતિપાત-વિરમણ-પ્રાણને અતિપાત-જીવ અને કાયા જુદાં કરવાં તે પ્રાણાતિપાત કહેવાય, તેથી નિવૃત્ત થવું તેને પ્રાણાતિપાત-વિરમણ કહે છે. આ વ્રતને નિભાવવા માટે પાંચ ભાવનારૂપી દિવાલે છે જેના નામ આ પ્રમાણે છે. (૧) ઈર્ષા સમિતિ (૨) મન: સમિતિ (૩) વચન સમિતિ (૪) એષણસમિતિ (૫) નિક્ષેપસમિતિ (૧) ઈર્યાસમિતિ એટલે રસ્તે જતાં સાડા ત્રણ હાથની ભૂમિ સુધી આગળ દષ્ટિ રાખીને ચાલવું. (૨) મનઃસમિતિ એટલે મનના વિચારો ઉપર સંયમ. આ મન:સમિતિથી અનેક પ્રકારના દુષ્ટ વિચારો આવતાં બંધ થાય છે. (૩) વચન સમિતિ એટલે વચન ઉપર કાબુ-વાણીને સંયમ. આનાથી વાણીથી થતાં અનેક પ્રકારનાં સાવધ વ્યાપાર બંધ થાય છે. (૪) એષણસમિતિ આહાર આદિની ગવેષણમાં સાવધાન રહેવું. (૫) નિક્ષેપસમિતિ-ભાંડ ઉપકરણ આદિના લેવા મૂકવા વિગેરેમાં યાતના રાખવી. શ્રી કલ્પ સૂત્ર: ૦૧ ૨૧
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy