SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્નપાઠકાનાં ત્રિશલાયાશ્ચ કૃતે ભદ્રાસનસ્થાપનં, જવનિકાવર્ણન, સ્વપ્નપાઠકાહાનાર્થ કૌટુમ્બિકાન્ પ્રતિ સિદ્ધાર્થસ્ય નિર્દેશઃ, સ્વપ્નપાઠકાહાનં ચ । મૂળના અ—“તપ જ લલિત્યે" ઈત્યાદિ. ત્યાર બાદ સિદ્ધાર્થ રાજાએ પાતાનાથી બહુ દૂર પણ નહીં. અને બહુ નજીક પણ નહી એવી જગ્યાએ ઇશાનકેણુમાં આઠ ભદ્રાસન મૂકાવ્યાં. તેમને સફેદ વસ્રો વડે આચ્છાદિત કરેલાં હતાં, અને શ્વેત સરસવ તથા અન્ય માંગલિક દ્રવ્યેથી તેમાં શુભકમ કરવામાં આવ્યાં. આસન મૂકાવીને વચ્ચે એક પદો ખેંચાવ્યેા. તે પદ્ય અનેક પ્રકારના મણીએ અને રત્નાથી મંડિત હતા, અતિશય દર્શનીયરૂપાળા હતા, ઘણે કિંમતી હતા અને ઉત્તમ નગરમાં વણેલા તથા બનેલા હતા. મનહર અને સેંકડા ચિત્રાવાળા હતા. ઇહામૃગ, વૃષભ, તુરંગ નર, મગર, પક્ષી, સર્પી, કિન્નર, રુરુ (એક પ્રકારનું મૃગ) શરભ (અષ્ટાપદ) ચમર (ચમરી ગાય) કુ ંજર, વનલતા તથા પદ્મલતા આદિની રચનાથી અદ્ભુત લાગતા હતા. તેના છેડા ઉત્તમ સુવર્ણ થી સારી રીતે યુકત હતા. પદોં ખેચાવ્યા પછી ચાદર તથા કમળ તિક્રયા વડે આચ્છાદિત, વિશિષ્ટ, અગાને સુખદાયી એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે ગોઠવાવ્યુ. ત્યાર બાદ કૌટુંબિક પુરુષોને ખેલાવ્યા અને કહ્યું “ હે દેવાનુ પ્રિયે! તરત જ અષ્ટાંગમહાનિમિત્તનાં સૂત્ર અને અર્થાંના પાઠકા અને વિવિધ શાસ્ત્રોમાં નિપુણ સ્વપ્નપાઠકે ને ખેલાવી લાવે, અને ખેલાવીને મારી આજ્ઞા-અનુસાર કર્યાના સમાચાર મને પહોંચાડા. રાજા સિદ્ધા દ્વારા આ પ્રમાણે કહેવાતા કૌટુંબિક પુરુષો હ` અને સ ંતેષ પામ્યાં. બન્ને હાથ જોડીને મસ્તક પર આવતા અને અંજિલ કરીને “હે નાથ ! એમ જ થશે”. આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કરે છે, બાદ તે કૌટુમ્બિક પુરુષા જ્યાં સ્વપ્નપાઠકાના ઘર હતાં ત્યાં પહોંચે છે અને સ્વપ્નપાઠકોને ખેલાવે છે (સ્૦૪૮) ત્યાર ટીકાના અ’--‘તત્ત્વ જ એ વિદ્ઘત્યે' ઈત્યાદિ. સિંહાસન પર બેઠાં પછી રાજા સિદ્ધાર્થે પોતાનાથી બહુ દૂર પણ નહીં અને બહુ નજીક પણ નહીં, પૂર્વ તથા ઉત્તર દિશાની વચ્ચે ઇશાન કેણુમાં, સફેદ વસ્ત્રોથી આચ્છાદિત, તથા શ્વેત સરસવ અને વિદ્યોના વિનાશ કરનાર બીજી માંગલિક શુભ સામગ્રીથી યુકત આઠ ભદ્રાસનેા મૂકાવ્યા, મૂકાવીને વચ્ચે એક પૌ તણાગ્યે. તે પદોં વિવિધ પ્રકારના મણીએ તથા રત્ના વડે સુશોભિત હતા. તેના આકાર અત્ય ંત રમણીય હતે. અથવા તેમાં અનેક પ્રકારની જોવાલાયક સુ ંદર સુંદર વસ્તુઓ બનાવેલી હતી તે ઘણે કીમતી હતા અને શ્રેષ્ઠ વસ્ર વણનારા દેશમાં બનેલા હતા. તેમાં મનેાહર અને સેંકડા પ્રકારની રચનાએવાળાં ચિત્ર દોરેલાં હતાં. હિામૃગ (વન્ય પશુ), બળદ, ઘેાડા, મનુષ્ય, મગર, પક્ષી, કિન્નર (એક પ્રકારના વ્યન્તર), રુરુ (એક પ્રકારનું મૃગ), અષ્ટાપદ, ચમર (જગલી ગાય), હાથી, વનમાં પેદા થતી માલતી, યુથિકા (જાહી) આદિ લતાએ, અને કમલિની, એ બધાની વિશિષ્ટરચના વડે તે અદ્ભુત લાગતા હતા. તેના સુંદર વસ્ત્રાની કિનારાના ભાગા ઉત્તમ સુવર્ણીથી રચેલ હતાં, અથવા તેના સુંદર છેડાઓમાં ઉત્તમ સુવર્ણ લગાડેલું હતું. આ જાતના સુંદર પર્દા ખેંચાવીને, ચાદર તથા કામળ તકિયાએથી આચ્છાદિત, સફેદ વસ્ત્રથી આચ્છાદિત, વિલક્ષણ અંગેાને સુખ આપનારૂ, અત્યંત કામળ ભદ્રાસન, ત્રિશલા ક્ષત્રિયાણીને માટે મૂકાવ્યું. આસન ગેઠવાવીને શ્રી કલ્પ સૂત્ર : ૦૧ ૧૬૦
SR No.006481
Book TitleKalpasutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy