________________
ધર્મ ઉપર શ્રદ્ધા થયા પછી પણ એનું કાયાથી આચરણ કરવું અત્યન્ત દુર્લભ છે, કારણ કે, આ દુનિયાના લેકે ભોગાસક્તા અને મૂર્ણિત છે, એટલા માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૦ પરિજૂરઈ તે સરીરયં, કેસા પંડયા હવતિ તે સે સાયબલે ય હાયઈ, સમય ગાયમ મા પમાયએ ૨૧
હે ગૌતમ! તારું શરીર જીણું થઈ જાય છે, વાળ વેત (પાંડુ) થઈ જાય છે અને શ્રવણબલ હાની પામે છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૨૧ પરિજૂરઈ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે થખુબલે ય હાય, સમયે ગાયમ મા પમાયએ ૨૨
હે ગૌતમ! તારું શરીર ક્ષીણ થાય છે, તારા વાળ પાંડુ થાય છે અને તારું ચક્ષુબળ–નેત્ર જ્યોતિ ક્ષીણ થઈ રહી છે, માટે છે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ ન કર. ૨૨ પરિજૂરઇ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે ઘાણબલે ય હાયઈ, સમય ગાયમ મા પમાયએ ર૩
હે ગૌતમ! તારું શરીર ક્ષીણ થાય છે, કે સફેદ થઈ જાય છે અને સુંઘવાની શક્તિ નષ્ટ થઈ રહી છે, માટે હે ગૌતમ ! તું સમય માત્રને પણ પ્રમાદ ના કર. ૨૩ પરિજૂરઈ તે સરીયં, કેસા પંડયા હવંતિ તે સે જિબ્બલે ય હાયઈ, સમયે ગાયમ મા પમાયએ ૨૪
તારું શરીર જીણું થાય છે, વાળ વેત થાય છે અને તારું જીવા બળ ક્ષીણ થાય છે, માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રનો પણ પ્રમાદ ન કર. ૨૪
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ