SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં ન આવે તે અસ્વાધ્યાયિક છે. સ્વાધ્યાય કરવાના ચાર કાળ છે. તે આ છે. ૧ પૂર્વાહ, ૨ અપરાહ, ૩ પ્રદેષ, ૪ પ્રત્યુષ-પ્રાતઃ, દિવસને જે પ્રથમ પ્રહર છે તે પૂર્વાહ છે. ચેાથે પ્રહર તે અપરાહ્ન છે. તથા રાત્રિને પ્રથમ પ્રહર પ્રદેશ છે. અને રાત્રિને ચે પ્રહર પ્રત્યુષ છે. પ્રહરનું નામ જ સિદ્ધાંતિક પરિભાષા અનુસાર પૌરૂષી છે. અસ્વાધ્યાયિક કાળ બે પ્રકારના છે–૧ આત્મસમુથ, ૨ પરસમુથ, પરસમુત્ય પાંચ પ્રકારના છે-સંયમપઘાતિક (૧) ઔત્પાતિક (૨) સદેવ (૩) ચુદુગ્રહ (૪) અને શરીર (૫) આ પાંચમાં સ્વાધ્યાય કરવાવાળા આજ્ઞાભંગ આદિ દેના ભાગી બને છે. એને સંયમની તથા આત્માની વિરાધના થાય છે. સંયમની વિરાધનાનું તાત્પર્ય જ્ઞાનાચારની વિરાધનાથી છે. જ્યારે આવી વાત છે તો શું કારણ છે કે, અસ્વાધ્યાયિક કાળમાં સ્વા. ધ્યાય કરે છે? ઉત્તર–એ એવું સમજીને એ કાળમાં અધ્યયન કરે છે કે, પૌરૂષીકાળ થડો બચેલ છે અને અધ્યયન અથવા ઉદ્દેશ હજુ સુધી પણ સમાપ્ત થયેલ નથી. આથી આ પૌરૂષીના પુરા થવા છતાં એને સૂર્યના અસ્ત થવા છતાં પણ સ્વાધ્યાય કરે છે. અથવા–“અસ્વાધ્યાયિક” કાળ છે. એવું સાંભળીને પણ જે અધ્યયન તથા ઉદ્દેશ કરે છે તેના ત્રણે જ્ઞાનાદિક વાસ્તવમાં ગયાં જ જાણવાં જોઈએ. કેમકે એવી વ્યક્તિ તીર્થંકર પ્રભુની આજ્ઞાને ભંગ કરે છે. આ કારણે તે જ્ઞાનાદિક ત્રયથી વિહિન બની ચૂકેલ છે. એવા જીવનું નરક નિગોદ આદિ ભવ ભ્રમણરૂપ સંસારમાં નિપતન જ થાય છે. પ્રથમ આસ્વાધ્યાયિક કાળમાં જે સંયમના ઉપઘાતક છે સમસ્ત કાયિક અને વાચિક ચેષ્ટાઓ, પ્રતિલેખના કિયા તથા સ્વાધ્યાય કરે તે નિયમતઃ નિષિદ્ધ છે. આ સમયમાં તે ફક્ત કાર્યોત્સર્ગ જ કર્તવ્ય છે. બાકી પરસમુથ, ત્પાતિક આદિ ચાર અસ્વાધ્યાયિક કાળમાં સ્વાધ્યાય જ કરવાને નિષેધ કરાયેલ છે. કાયિક અને વાચિક ચેષ્ટાઓને તથા પ્રતિલેખનાદિ ક્રિયાને નિષેધ કરવામાં આવેલ નથી. સંયમપઘાતિક જે પ્રથમ અસ્વાધ્યાય કાળ છે તે શું છે ? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. કાર્તિક, અગહન, પિષ અને માઘ આ ચાર મહિના ગર્ભમાસ કહેવાય છે. આ મહિનામાં મિહિકા-ધુમ્મસ અને સચિત્ત રજ જે દિશાઓમાં દેખાય છે. આ મિહિકા અને સચિત્ત રજને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વર્જન કરવું જોઈએ. (૧) દ્રવ્યથી મિહિનું અને સચિત્ત રજ હૈયતે સ્વાધ્યાયાદિ વજેવા ક્ષેત્રથી જે ક્ષેત્રમાં એ હોય ત્યાં સ્વાધ્યાયાદિ ન કરવાં. (૨) કાળથી જેટલા કાળ સુધી એ દેખવામાં આવે એ કાળમાં (૩) ભાવથી એ સમયમાં ઉચ્છવાસ ઉમેષના વગર જીવન જ રહી શકતું નથી. ગમનાગમનમાં પ્રતિ LI , ાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006472
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy