SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વજન ન થયું. આ પ્રમાણેની પરિસ્થિતિ જોતાં રાજાને ઘણુ જ આશ્ચર્ય થયું' અને વિચારવા લાગ્યા કે, મને ધિક્કાર છે કે, મરૂં આ શરીર ધણુંજ એછા વજનનુ નિકળ્યુ. જો મારૂ આ શરીર વધારે વજનદાર હોત તેા આ બિચારા દીન કબૂતરની રક્ષા કરવામાં હું સમ થઈ શકત. હવે શું કરૂ ? કઈ રીતે આ કબૂતરની રક્ષા કરૂં ? આ પ્રકારની કરૂણાથી આદ્ર બનેલા ચિત્તથી વિચાર કરતા રાજાના મનગત ભાવાને કખતર અને શકરાના વેશવાળા એ બન્ને દેવાએ પોતપોતાના અવધી જ્ઞાનથી જાણીને પેાતાનુ અસલી સ્વરૂપ પ્રગટ કરી દીધું. આ સમયે તેઓ દિવ્ય ઋધિથી સપન્ન બની ગયા અને દિવ્ય કાતિદ્વારા દશે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા અને તેઓએ રાજાના કપાયેલા અવયવાને ચાગ્ય સ્થળે ગેાઠવીને તથા તેના શરીરમાં દિવ્ય વધુ દિવ્યરૂપ દિવ્યલાવણ્ય, પ્રગઢ કરીને, રાજાને દિવ્ય સિંહાસન ઉપર બેસાડી તેના ચરણેામાં નમી પડયા તથા હાથ જોડીને રાજાને કહેવા લાગ્યા રાજન્ ! મેઘરથ રાજાને ધમથી વિચલિત કરવામાં દેવ પણુ સમ નથી” આ પ્રકારના સૌધમેન્દ્રના વચનને સાંભળીને અમેને તે વાત ઉપર શ્રદ્ધા ન થવાથી અમેએ વેશ પરિવતન કરીને આપની પરીક્ષા કરી. આપ વાસ્તવમાં જેવુ' સૌધર્મેન્દ્ર તરફથી આપના વિષયમાં કહેવામાં આવેલ હતુ તેનાથી પણ વધુ પ્રમાણમાં આપની દેઢત્તા પ્રતીતિ થયેલ છે. આ પરીક્ષામાં અમારા તરફથી જે કાંઈ વિરૂદ્ધ આચરણ થવા પામેલ હાય તા તેની આપની પાસે ક્ષમા માગીએ છીએ. અને આશા છે કે, આપ અમારા આ અપરાધની ક્ષમા આપશે. સૌધમેન્દ્રે આપનો ધાર્મિક અનુરાગ જે સ્વરૂપથી કહેલ છે તે રૂપથી વધુ પ્રમાણમાં ધામિક અનુરાગ અમાએ અપનામાં જોયેલ છે. ધન્ય છે આપના આ પ્રખર ધર્માનુરાગને ! આપે આપના જન્મને ખરેખર રીતે આ ભૂમિમાં સફળ બનાવેલ છે. આ પ્રકારે ાજાની વારવાર સ્તુતિ કરીને એ અને ધ્રુવા પોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. આ પ્રકારની કરૂણારસની વર્ષોથી રાજાએ તીર્થંકર નામ ગાત્રનું ઉપાર્જન કર્યું. ધમ ધ્યાનથી પેાતાના સમયનો સદ્ઉપયેગ કરવાવાળા આ રાજાએ ન્યાયમા`થી પૃથ્વીનું પાલન કરીને જીવનનો કેટલેાકકાળ આનદમાં વીતાવ્યેા. એક સમયની વાત છે કે નગરના ઉદ્યાનમાં ભગવાન ધનથતું આગમન થયુ' રાજાને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ પેાતાના નાનાભાઈ વાથની સાથે તેમને વંદના કરવા માટે ઉદ્યાનમા વહેચ્યા. પ્રભુની વરાગ્યવાળી ધાર્મીક દેશનાને શ્રવણુ કરીને 1ને સાંસારીક કાર્યોથી વૈરાગ્ય જગૃત બન્યા. રાજભવનમાં પાછા ફર્યા પછી તેણે પેાતાના નાનાભાઈ વારથી કહ્યું કે, આયુષ્યમન ! હવે તમે આ રાજ્યનું સંચાલન કરે, હું દીક્ષા ગ્રહણ કરવા ચાહું છુ. પોતાના મોટાભાઈના આ પ્રકારનાં વચનોને સાંભળીને નાનાભાઇએ તેને કહ્યુ કે, આ ! હું પણુ આપના જ માર્ગનું અનુસરણ કરવા ઇચ્છું છું. મને આ રાજ્યની જરા પણ ઈચ્છા નથી. નાનાભાઈનો આ પ્રકારનો મનોભાવ જાણી લીધા પછી રાજા મેઘરથે પેાતાના ચંદ્રશેખર નામના પુત્રને રાજયાસને બેસાડીને નાનાલાઈની સાથે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૬૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy