SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિઐધિત કર્યાં. આ કારણે તેમની સંસાર ઉપરની વાંચ્છના પરિક્ષીણ બની ચૂકી હતી. તેથી જ તેમણે દીક્ષા અંગિકાર કરી લીધી. ઇન્દ્રાદિક દેવ વિગેરે તેમને નમન કરી પછી પાતપેાતાના સ્થાન પર ચાલ્યા ગયા. ભરત કેવલી મહારાજ પણુ દસ હજાર સાધુઓથી પરિવ્રુત બનીને ભૂમ`ડળમાં વિહાર કરવા લાગ્યા અને સ્થળે સ્થળે ભવ્ય જીવાને દેશનાનુ પાન કરાવીને તૃપ્ત કરવા લાગ્યા. એક લાખ પૂર્વથી થાડા ઓછા સમય સુધી કેવળી પર્યાયમાં રહીને પછીથી ભરત મહારાજે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી લીધી. ભરતના સ્થાન ઉપર ઈન્દ્રે તેમના પુત્ર આદિત્યયશને સ્થાપિત કર્યો. ભરત મહારાજના કુમાર કાળમાં સીત્તોતેર લાખ (૭૭૦૦૦૦૦) પૂર્વ, તથા માંડલિક પદમાં એક હજાર (૧૦૦૦) વર્ષ વ્યતીત કરી પછીથી તેમને ચક્રવર્તી પદની પ્રાપ્તિ થયેલી. છ લાખ પૂ॰માં એક હજાર વર્ષ આછાં એટલા સમય એમણે ચક્રવર્તી પદને ભાગવ્યું. આ પ્રમાણે ગૃહસ્થાવસ્થામાં રહીને તેઓએ ત્યાસી લાખ પૂર્વ વ્યતીત કરેલાં. સંપૂર્ણ શ્રામણ્ય (સાધુ) પર્યાયમાં એમણે એક લાખ પૂર્વ વ્યતીત કરેલાં. આ પ્રમાણે તેમનું આયુષ્ય (૮૪૦૦૦૦૦) ચાર્યાસી લાખ પૂર્વાંનું હતું. ૫૩૪૫ એ રીતે ભરત ચક્રવતી ની કથા સંપૂર્ણ થઈ. સગર ચક્રવર્તી કી કથા ફરીથી છાંત કહે છે—તળો વિ” ઇત્યાદિ. અન્વયા —હૈ સજયમુનિ ! હવે હું તમને સગરચક્રવર્તીનુ દૃષ્ટાંત પણ સંભળાવુ છું. નદિી-નરષિષક નરાધિપ સૌ નિસગોવિ સગર ચક્રવર્તી પણ સાગરત–લરાન્તમ્ સાગર પય*ત–ત્રણ દિશાએમાં સમુદ્ર પર્યંત તથા ઉત્તર દિશામાં ચૂલ હિમવત્ પતિ માહવાનું-મારતવર્ષેર્ ભારતવષઁનું શાસન કરીને પછીથી તેમણે હેવનું રૂમચિ હું ખ્ય અસાધારણ ઐશ્વયના ચિા–દિવા પરિત્યાગ કરીને ચાણ્ િિનવ્રુ-થયા નિવૃત્ત: સંયમનો આરાધનાથી મુક્તિને પ્રાપ્ત કરેલ છે. સગર ચક્રવતી ની કથા આ પ્રકારની છે— અયેાધ્યા નગરીમાં ઇક્ષ્વાકુ કુળના ભૂષણ સ્વરૂપ એવા એક જીતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને એક નાના ભાઈ હતા કે જેમનુ નામ સુમિત્ર હતું. રાજા છતશત્રુની રાણીનું નામ વિજ્યા હતું. તે સ`ગુણેાથી યુક્ત હતી. સુમિત્ર યુવરાજની રાણીનું નામ યશેામતી હતું. એક સમયની વાત છે કે, કામળ થયા ઉપર સુતેલી અને રાણીઓએ રાત્રિના પાછલા પહેારમાં ચૌદ સ્વપ્નાં જોયાં. તે જોએલાં સ્વપ્ન અનુસાર જીતશત્રુ રાજાની રાણીએ અજીત નામના પુત્રના, તથા સુમિત્ર યુવરાજની રાણીએ સગર નામના પુત્રને જન્મ આપ્ચા અજીત મીજા તીર્થંકર અને સગર બીજા ચક્રવતી થયા. શુકલપક્ષના ચંદ્રમાની માફ્ક આ બન્ને કુમારો કાળક્રમથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૪૪
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy