SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તા નથી. આથી ત્રીજે પ્રશ્ન “નામદાળ ઈત્યાદિથી ભાવ શત્રુ જયના વિષયમાં કરાયેલ છે. ૩ શત્રુઓમાં સહુથી પ્રબળ શત્રએ આત્મા માટે ઉત્કટ કષાય તથા કષાયાત્મક રાગ 6ષ છે. આ કારણે છેદના વિષયમાં “વસતિ' ઇત્યાદિ ! ચોથે પ્રશ્ન થયેલ છે. જો લોભ કષાય દુરત છે, આ કારણે પાંચમા પ્રશ્નનમાં આ લેભ રૂપ કષાયને ઉખેડવાની વાત તો દિવસમણા'' ઇત્યાદિથી પૂછવામાં આવેલ છે. પા લેભ કષાયને ઉછેદ પણ કષાય રૂપ અગ્નિના નિર્વાણ વગર સંભવિત હોતે નથી આથી છઠા પ્રશ્નમાં અગ્નિના રૂપક દ્વારા તેના નિર્વાણ પણના વિષયમાં “સંઘનણિ ” ઇત્યાદિથી પ્રશ્ન કરવામાં આવેલ છે. દિ અગ્નિનું નિર્વાણ જ્યાં સુધી મન નિગ્રહિત થતું નથી ત્યાં સુધી થઈ શકતું નથી. આ કારણે મન રૂપ દુષ્ટ અશ્વના નિગ્રહના વિષયમાં “ચાં સાહસિt * ઈત્યાદિથી સાતમે પ્રશ્ન થયેલ છે. જયાં સુધી સીધા માર્ગનું પરિજ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી મનરૂપ દુષ્ટ અવને નિગ્રહ થવા છતાં પણ અને સ્વાભિમત મોક્ષરૂપની પ્રાપ્તિ થઈ શકતી નથી, આથી સમ્યફ માર્ગના વિષયમાં “ઈત્યાદિથી આઠમો પ્રશ્ન કરેલ છે. ૮ તે સમ્યક માર્ગ જન પ્રણીત ધમ જ હોઈ શકે છે. બીજે નહીં આ વિષયને સ્પષ્ટ કરવા માટે “મા ૩ ઈત્યાદથી નવા પ્રશ્ન કરેલ છે. ૯ જીન પ્રણીત ધર્મમાં જ સન્માતા છે. આની સંપૂર્ણ સમજુતિ માટે તથા એમાં જ મહાદક વેગનું નિવારણ કરવાની શકિત છે આ વાતને બતાવવા માટે એક જ ધર્મમાં દઢતા ધારણ કરવી જોઈએ કેમકે, તે સંસાર સમુદ્રથી પાર કરાવવામાં શક્તિશાળી છે. આ વાતને પુષ્ટ કરવા માટે આ “અવં”િ ઇત્યાદિથી દસમે પ્રશ્ન કરવામાં આવેલ છે. ૧૦ “ચંધવારે” ઈત્યાદિથી અગ્યારમે પ્રશ્ન એ સ્પષ્ટ કરે કરે છે કે, જીનપ્રણીત ધમ જે એક સમ્યક્ માર્ગ છે. પરંતુ અન્ય તીર્થિક જન જેઓ આ વિષયને માનતા નથી તે એમની અજ્ઞાનતા છે. એમનું અઃ અજ્ઞાન રૂપ તમ (અંધારૂ) આજ માર્ગને આશ્રય કરવાથી નષ્ટ થઈ શકે છે. ૧૧ “ સામાજ” ઈત્યાદિથી બારમે પ્રશ્ન એ બતાવે છે કે, આ જ માગવી મેક્ષ રૂપ સ્થાનની પ્રાપ્તિ થાય છે. અન્ય સ્થાનની નહીં ૧રા આ પ્રકારથી એ બાર ૧૨ પ્રશ્નનો સમન્વય જાણુ જોઈએ. ૫૮૪ કેશી શ્રમણ કહે છે–“સ” ઈત્યાદિ ! હે ગૌતમ આપની પ્રજ્ઞા ઘણી જ સારી છે. મારે સંશય હવે આપે દૂર કરેલ છે. આથી તે સંશયાતીત ! તથા સર્વસૂત્ર મહોદધિ સ્વરૂપ ! આપને મારા નમસ્કાર છે. પ૮પા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૮૯
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy