SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વેષ કરે છે એ જ પ્રકારની આ સમયે તારી હાલત બની રહી છે. આથી યાદ રાખ કે, જો તુ હવે આ જગતના ઉપકારક એવા પ્રભુ ઉપર નિષ્કારણુ દ્વેષ કરીશ તેા તારી કાઇ પણ રીતે રક્ષા થઈ શકવાની નથી. આથી તારા માટે એજ ઉચિત છે કે, તું તુરત જ આ તારા પાપના અધ્યવસાયને છેાડી દે. ધરણેન્દ્રનાં આ પ્રકા રતાં વચન સાંભળીને એ અસુરે યાં પેાતાની નજર નિચે કરી કે, તેને ધરણેન્દ્રથી સેવાય રહેલા પ્રભુ ઉપર તેની દૃષ્ટિ ગઇ. આ પ્રકાર જોઇને તેને મહાન આશ્ચય થયુ અને મનમાં વિચારવા લાગ્યા કે, મારી તેા આટલી જ શકિત હતી હવે હું શું કરૂ. મારી એ શિત આ સમયે શૈલની સામે ખરગેશની માફક આ પાત્ર પ્રભુની સામે નિષ્ફળ ખની ગઈ છે. બીજું આ પ્રભુ તેા પેાતાની એક જ મુઠીના પ્રહારથી ભારેમાં ભારે વાને પણ ચૂ। કરી નાખવાની શકિતવાળા છે. છતાં પણુ ક્ષમાના ધારક એવા પ્રભુ દરેકના ઉપર ક્ષમા દૃષ્ટિવાળા છે પરંતુ મારા જેવા દુષ્ટને તે આ નાગદેવ ક્ષમા કરનાર નથી. મને તે એનેા ભય લાગી રહ્યો છે પરંતુ આ કરૂણાના સાગર પ્રભુના અપરાધથી મને બચાવી શકે તેવું આ જગતમાં ખીજુ કાઈ પણ નથી. આથી મારૂ ભલું તે એમાં:જ છે કે, હું એમના શરણે જાઉં. આ પ્રકારના વિચાર કરીને એ અસુરે મેઘાને પોતપોતાના સ્થાને મેાકલી દીધા. અને પાર્શ્વનાથ પ્રભુના ચરણામાં જઇને પડી ગયા. પ્રભુના ચરણામાં પડીને તે અસુરે પેાતાના અપરાધાની ક્ષમા માગી. અને પછી તે ત્યાંથી પેાતાના સ્થાને ચાલ્યા ગયા. સવાર થયુ. એટલે પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી ગયા. વિચરતાં વિચરતાં ભગવાન સત્યાસીમા ૮૭ દિવસે વારાણસી નગરીની પાસે બહારના ઉદ્યાનમાં પહેાંચ્યા. અચાશીમા ૮૮ દિવસે ધ્યાનાવસ્થામાં બેઠેલા એ પ્રભુ પાર્શ્વનાથને સૂર્યોંદયના સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે સઘળા ઇન્દ્રોનાં સ્થાન કપાયમાન બન્યાં આથી તેમણે અવિધજ્ઞાન દ્વારા પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું જાણીને ઘણા જ આનંદૅ મનાન્યેા અને એજ સમયે એ સઘળા દેવેન્દ્ર પાતપેાતાના અનુચરે ને સાથે લઈને ત્યાં પ્રભુની પાસે પહાંચ્યા આવીને તેમણે ત્યાં પ્રભુના સમવસરણની રચના કરી. પેાતાના અતિશય સે સજાત આસન ઉપર સમવસરણમાં પ્રભુ ખિરાજમાન થયા આ પ્રકારે બિરાજમાન થઈને પ્રભુએ સુર અસુરના એસી ગયા પછી ચેાજન સુધી જેના પડઘા પડે એવી વાણીદ્વારા દેશના દેવાને પ્રારંભ કર્યાં. ઉદ્યાન પાલકના મુખેથી પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે તેવી જાણ થતાં એમના દર્શન માટે ઉત્કંઠિત અનેલા અશ્વસેન રાજા વામાદેવીને સાથે લઈને ત્યાં ભગવાનની પાસે આવ્યા અને તેમને સ્તુતિ પૂર્ણાંક નમન કરીને ધમ શ્રવણુ કરવાની ભાવનાથી એસી ગયા ભગવાને એ સમયે જે ધમ દેશના આપી. એને સાંભળીને ત્યાં બેઠેલા અનેક સ્ત્રી પુરૂષોએ પ્રતિ એધિત બનીને દીક્ષા ધારણુ કરી લીધી. કેટલાક સ્ત્રી પુરૂષોએ શ્રાવક ધમ ના સ્વીકાર કર્યાં. એ સમયે જેટલાએ દીક્ષા લીધેલ હતી. એમાંથી આ દત્ત આદિ દસમુનિ ભગવાનના ગણુધર બન્યા. આ ગણુધરાએ પ્રભુએ કહેલ ત્રિપદિ દ્વારા દ્વાદશાંગની રચના કરી. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૬૮
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy