SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ બને ઉપર પરમ ઉપકાર કરેલ છે. આથી “આપ કોણ છે એ જાણવા ચાહે છું. અપરાજીત કુમારે એના પ્રત્યુત્તરમાં કાંઈ ન કહ્યું. પરંતુ વિમલબોધેજ અપરાજીત કુમારનો પરિચય વિદ્યાધરને કહી સંભળાવ્યા. કુમારનો તેના મિત્રના મુખેથી પરિચય સાંભળીને રત્નમાળાને અપાર હર્ષ થયે. આ સમયે રત્નમાળાના માતાપિતા પણ તેની શોધખોળ કરતાં કસ્તાં ત્યાં આવી પહોંચ્યાં તેમણે વિમળાધના મુખેથી સંપૂર્ણ વૃત્તાંત યથાવત જાણીને આનંદની સાથે રત્નમાળાને વિવાહ ત્યાંજ કુમારની સાથે કરી દીધો. તથા સૂરકાન્તને અભયદાન આપી કલેશમુકત બનાવ્યું. પ્રત્યુપકારના રૂપમાં અથવા પિતાની ભકિત પ્રદર્શિત કરવાના અભિપ્રાયથી સૂરકાન્ત તે બન્ને મણિમૂલિકાઓને તથા શાન્ત ત્પાદક ગુટીકાઓ કુમારને આપવાનો વિચાર કર્યો અને જયારે તે આ વિચાર કરીને તે ગુટીકાઓ કુમારને આપવા લાગ્યો ત્યારે કુમારે તે ગુટીકાઓ લેવ માં પિતાની અનિચ્છા બતાવી. જ્યારે સૂરકાન્ત એ ગુટીકાઓ લેવાની કુમારની અનિચ્છા ભાળી ત્યારે તેણે તે ગુટિકાઓ અપરાજીત કુમારના મિત્ર વિમળબોધને આપી. અપરાજીત કુમાર અને વિમળબધ બને એ ત્યાંથી ચાલવાને વિચાર કર્યો. અને રત્નમાળાના પિતાને અપરાજીત કુમારે એવું કહ્યું કે, જયારે હું મારા ઘેર પહોંચી જાઉં ત્યારે આપ આપની પુત્રીને એકલી આપશો. આ પ્રમાણે કહીંને કુમાર વિમળબંધન સાથે ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં છેડે દૂર જવા પછી અપરાજીતકુમારને ખૂબ તરસ લાગી. એટલે અપરાજીતકુમારને આંબાના વૃક્ષની છાપામાં બેસાડીને વિમળબંધ એ મને માટે પાણી લેવા ગયે. પાણી લઈને જયારે તે પાછો ફર્યો ત્યારે તેણે કુમારને ત્યાં ન જેવાથી કુમારની શોધખોળ કરવા નિમિત્તે અહીંતહીં ઘુમવા લાગ્યો પરંતુ એને કુમારને ક્યાંય પણ પત્તો ન મળે. આથી એના મનમાં કુમારનું અનિષ્ટ થયાની શંકા જાગી આથી તે મૂચ્છિત થઈને જમીન ઉપર પડી ગયો. કેટલીકવાર પછી જ્યારે તેનામાં ચેતન આવ્યું ત્યારે તે ખૂબ રોયે. રેતાં રેતાં એનું હૃદય શેકના આ વેગથી કાંઈક હલકું થયું ત્યારે ફરીથી તેણે કુમારની તપાશ કરવાનો પ્રારંભ કરવા વિચાર કર્યો. અને શે ધખેળ કરતાં કરતાં તે નંદિપુરના ઉદ્યાન માં પહોંચે. ત્યાં પહોંચીને જ્યારે તે શુનમુન બનીને વિશ્રામ કરવાની ચેષ્ટા કરવા લાગ્યું કે, એટલામાં તેની પાસે બે વિદ્યાધર આવ્યા ને બોલ્યા- ભુવનમાં પ્રસિદ્ધ ભુવનભાનુ નામના વિદ્યાધરના અધિપતિ છે. એને કમલિની અને કુમુદિની નામની બે કન્યાઓ છે. તિષીએ એ બને કન્યાઓના પતિ તરીકેનું અપરાજીતનું નામ બતાવેલ છે એ કારણે વિદ્યાધરાધિપતિ ભુવનભાનુએ અમોને એમને લેવા માટે મોકલેલ છે. અમે લોકે એની શોધખોળ કરતાં કરતાં વિદ્યાના પ્રભાવથી એ જંગલમાં ગયા કે જ્યાં કુમાર તરસથી પીડાઈ રહ્યા હતા તેમને આંબાના વૃક્ષ નીચે બેસાડી આપ પાણી લેવા ગયા ત્યારે અમે ત્યાંથી તેમનું હરણ કર્યું અને અહીં ભુવનભ નુની પાસે લઈ આવેલ છીએ. ભુવનભાનુને કુમારના આગમનથી ઘણેજ હર્ષ થયો છે. એણે કુમારને ખૂબ સત્કાર કર્યો અને ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૨૧૦
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy