SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પછીથી મહાબલ કુમારે ઈશાન દિશા તરફ જઈને વિકારોની માફક સઘળા અલંકારને શરીર ઉપરથી ઉતારી નાખ્યા. મહાબલે ઉતારેલા એ આભૂષણેને તેની માતા પ્રભાવતીએ જ્યારે પિતાના ખોળામાં લીધાં ત્યારે તેની આંખોમાંથી એકદમ મોતીની તૂટેલી માળાથી વિખરેલાં મોતીઓની જેમ ટપક ટપક આંસુ પડવા લાગ્યાં. ધેય ધારણ કરીને તેણે મહાબલને કહ્યું કે, હે વત્સ! તમે ધર્મકાર્યમાં કદી પણ પ્રમાદી બનશે નહીં. સાચા મિત્રનાં વચનોની માફક ગુરૂદેવનાં વચનનો સદા સર્વદા આદર કરજો અને એમના કહ્યા મુજબ ચાલજો. આ પ્રકારે મહાબલને સમજાવીને રાણી પ્રભાવતી પોતાના પતિની સાથે આચાર્યશ્રીને વંદન કરીને રાજભવન તરફ પાછી વળી. મહાબલે પંચમુષ્ટિ લેચ કર્યા પછી આચાર્ય મહારાજને નમન કરીને આ પ્રમાણે નિવેદન કર્યું. ભદન્ત! સંસાર સાગરમાં ડૂબવાવાળા મને તેમાંથી પાર ઉતરવા માટે દીક્ષારૂપી નાવને સહારે આપો. આ પ્રકારે મહાબલે નિવેદન કરવ થી આચાર્ય મહારાજે તેને દીક્ષા આપી દીક્ષિત થઈને મહાબલ મુનીરાજે ઘોર એવું તપ તપીને ચૌદ પૂર્વેને અભ્યાસ કર્યો. આ પ્રમાણે અતિ ઉગ્ર એવી તપસ્યા કરતાં કરતાં મહાબલ મુનિરાજે બાર વર્ષ સુધી નિર્વિન રીતે સાધુના આચારનું પાલન કર્યું. પછીથી અંતમાં એક માસનું અનશન કરીને તેઓએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. એ ૫૧ છે આ પ્રમાણે ક્ષત્રિય રાજર્ષિએ મહાપુરૂષના દષ્ટાંતો દ્વારા જ્ઞાનપૂર્વક કિયાના ફળને પ્રગટ કરીને પછી શું કહ્યું, તે આ ગાથા દ્વારા કહેવામાં આવે છે – ધીરે' ઇત્યાદિ ! અન્વયા–રે-ધr૪ પ્રજ્ઞા સંપન્ન થઈને પણ જે ઉન્મત્ત –૩ન્મત્તરૂવ ઉન્મત્તની માફક અહિંસદેવમિર ખોટી ખોટી યુકિતઓ દ્વારા તન અપલાપ કરે છે અને નિરર્થક બકતા રહે છે તે સાધુ મર્દ -મઈ શું કરે પૃથ્વી ઉપર નિર્વિદને કઈ રીતે વિહાર કરી શકે? અર્થાત્ કરી શકતા નથી – એ પૂર્વોકત ભરત આદિએ વિષમતા-વિરાળ ચાર મિયા દર્શનનો ત્યાગ કરી જૈન દર્શનની વિશિષ્ટતા જાણીને ઘર-ઘરા સંયમને ગ્રહણ કરવા માં શૂરવીરતા ધારણ કરીને તેનું પરિપાલન કરવામાં પરમા-દદ પરમાર દઢ પ્રરાકમશાળી બનેલ છે. તે પર છે વળી પણ– “ઈત્યાદિ. અન્વયાર્થ– અવંત નિકાવાવમા–ત્રચંતનનક્ષમઃ કમબળનું શોધન કરવામાં ઘણું જ સમર્થ અથવા સમિચીન હેતુઓથી યુક્ત “જીન શાસન જ આશ્રય કરવા ચગ્ય છે” એવી આ સTaઈ-સત્યaણ સત્ય વાણી જ છે મહિલા-કથા મપિત્તા મેં કહેલ છે. તે આ વાણીને સ્વીકાર કરીને જ પહેલાં આ સંસાર સાગરથી ઘણું પ્રાણુઓ ચક-ચન્દ્ર પાર થયા છે. જોકે કેટલાક આજે પણ તાંતિ-સાત્તિ પાર થઈ રહ્યા છે, અને ગળપણ-ચનાતા કેટલાક ભાગ્યશાળી પુરૂષ તરાંતિ–વરિષ્યતિ ભવિષ્યમાં પાર થશે. આ પ૩ છે અતઃ૬ ધીરે ઈત્યાદિ. અન્વયાર્થી—ધીરે-ધીરા જે પ્રજ્ઞાશાળી આત્મા છે તે પ્રતિમા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૪૫
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy