SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કુશળતા નથી. આ પ્રમાણે કહીને ઉદાયન રાજાએ પિતાના રથને મંડલાકાર ફેર. ચંડપ્રદ્યોતને પણ પિતાના હાથીને એની પાછળ પાછળ દેડાવ્યા. જેમ જેમ હાથી દેડવા માટે પગને ઉપાડવા લાગ્યો તેમ તેમ ઉદાયને પિતાના તીક્ષણ તીરે દ્વારા એના એ પગલાનું વેધન કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે ચરણેથી ઘાયલ બનેલ એ ગજરાજ આકુળ વ્યાકુળ થઈને યુદ્ધ ભૂમીને છોડીને ભાગવા માંડયો. હાથીને ભાગતે જોઈને ઉદાયને હાથીની પીઠ ઉપર બેઠેલા ચંડપ્રદ્યોતનને યુકિતથી પાશ નાખીને નીચે પછાડી દીધું. અને પછી અગ્નિમાં તપાવેલા લોઢાનાસળીયાથી તેના મસ્તક ઉપર “આ દાસી પતિ છે” આ પ્રકારના અક્ષરેને અંકિત કરાવી દીધા. પછીથી લાકડાના એક પાંજરામાં તેને બંધ કરીને તેને સાથે લઈને પિતાના દેશ તરફ રવાના થઈ ગયા ચાલતાં ચાલતાં રસ્તામાં વર્ષાઋતુને પ્રારંભ થઈ ગયો અને પ્રસ્તાઓ ચારે તરફથી જળથી ભરાઈ ગયા હતા. રાજા ઉદાયને જ્યારે આ પ્રકારની સ્થિતિ જોઈ ત્યારે તેણે પિતાના સિન્યને નગરના એક ભાગમાં સ્થાપિત કરી દીધું. અર્થાત સિન્યને અલગ અલગ સ્થળેએ નગરમાં વસાવી દીધું. અને એ સ્થળે માટીથી એક મકાન તૈયાર કરાવીને દસ રાજાઓને એના રક્ષણ માટે નિયુકત કર્યા. આ પ્રકારે સોના વસવાટથી વેપાર માટે કેટલાક વેપારીઓ પણ ત્યાં આવીને વસ્યા. આ નગરનું નામ દસ રાજાઓના રક્ષણ તળે રખાયેલ હોવાથી દસપુર એવું પડયું. રાજા ઉદાયને પિતાની સાથે પકડીને લાવેલા ચંડપ્રદ્યોતનને આદર સત્કાર સારી રીતે કરવામાં કોઈ જાતની ઉણપ ન રાખી, તેમ જ પિતાની માફક તેની રક્ષા કરી. એક દિવસે પર્યુષણ પર્વથા સંતત્સરીના દિવસે રાજા ઉદાયને પિષધ કર્યું. ત્યારે રસેયાએ ઉદાયનની આજ્ઞાથી ચંડપ્રદ્યોતનને પૂછયું-રાજન્ ! આજે આપ શું જમશે? રસોયાનો આ પ્રશ્ન સાંભળીને ચંડપ્રદ્યોતને મનમાં વિચાર કર્યો, આજે નિશ્ચયથી ઝેર આપીને આ લેકે મને મારી નાખવા ચાહે છે. નહીંતર આ પ્રશ્ન કરવાની આજે શું જરૂર હતી ? આજ સુધી તે મને પૂછયા વગર આ લેકે મને ખાવા માટે સારામાં સારૂં ભેજન આપતા હતા. તે પછી આજે “આપ શુખાશે?” આ પ્રશ્ન પૂછવાનું કારણ શું? ચંડપ્રદ્યોતન જ્યારે આ પ્રકારના વિચારમાં મગ્ન હતા ત્યારે તે સમયે આ પ્રશ્નનું રૂપષ્ટીકરણ કરતાં રસોઈયાએ કહ્યું-આજે આપને એ ખાતર પૂછવામાં આવે છે કે આજે સંવત્સરી દિવસ છે, એટલા માટે રાજાએ સપરિવાર પિષધ કરેલ છે. રાજા ચંડપ્રદ્યોતને આ વાત સાંભળી ત્યારે તેને ઘણીજ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા કે, દેવાનુપ્રિય ! આજે તે ઘણું જ સારું કર્યું છે કે, આજે સંવત્સરી પર્વ હેવાના સમાચાર મને આપ્યા. હું પણ શ્રાવકને પુત્ર છું, જેથી હું પણ આજે પિષધ કરીશ. દસે ઈયાયે ચંડપ્રદ્યોતનનું આમ કહેવું સાંભળીને ઉદાયન રાજને નિવેદન કરતાં કહ્યું કે, મહારાજ ! આજે ચંડપ્રદ્યોતને પણ પિષધ કરેલ છે. કારણુમાં તેમનું એવું કહેવાનું છે કે, હું પણ શ્રાવક છું. ર યાની વાત સાંભળીને ઉદાયને કહ્યું, હું જાણું છું, કે એ શ્રાવક છે. પરંતુ માયારૂપ આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૩૬
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy