SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સહુથી પ્રથમ એને અભિષેક ત્યાં જ કરી દીધા હતા. પરંતુ જ્યારે તે સિ ંહાસન ઉપર બેઠા ત્યારે રાજ્યાભિષેકની ઔપચારિક વિધિ માત્ર જ એમાં હતી. આ પ્રકા રથી રાજા દધિવાહને રાજ્યપદ પુત્રને સાંપીને કહેવા માંડયું કે, હે આયુષ્યમન્ ! કુળપરંપરાથી ચાલ્યા આવતા આ રાજ્યનું તમારે એ રીતે પરિપાલન કરવુ જોઈએ કે જેનાર્થી પ્રજાજનાને મારી યાદ ન આવે. પુત્રને આવી રીતે ચેાગ્ય શિક્ષા આપીને રાજાએ ધમ શર્માચાયની પાસેથી દીક્ષા ધારશુ કરી. દૂધના અનુષ્ઠાનથી પાતાના કલ્યાણના માને નિષ્કંટક બનાવી દીધા. આ તરફ કરકઙ્ગ રાજા પણ પેાતાની તેજસ્વી રાજપ્રભાથી ભલભલા દુશ્મને ને પણ પેાતાના ચણામાં ઝુકાવનારા અન્યા. તેમ પ્રજામાં પણ તેની ભારે ચાહના થવા લાગી. આ પ્રમાણે નીતિપૂર્વક અને રાયાનું સંચાલન ભારે ચોગ્યતાથી કરવા માંડયું. તેણે પોતાની રાજધાની ચપામાં જ રાખી અને પેલા બ્રાહ્મણને તેની ઈચ્છા મુજબનું એક સુ ંદર ગામ પણ આપ્યું. રાજા કરકર્ણાના સ્વભાવ ગેાપ્રિય હતા જેના કારણે તેણે દેશા ન્તરમાંથી સારી જાતની ગાયે મંગાવીને પોતાની ગૌશાળામાં રાખી અને તેનુ ભલીભાંતિથી પાલન પાષણ કરવામાં આવતું. અવારનવાર રાષ્ટ્ર ગૌશાળામાં જતા અને ગાયાની દેખરેખ રાખતા. એક સમય વર્ષાકાળની પછી રાજા ગૌશાળામાં ગયેલા ત્યાં તેણે સર્વાંગ સુંદર અને શુભ્ર એવા એક વૃષભને જોઇ તેના તરફ તેને ખૂબ જ વહાલ ઉપયું. આથી ગેપાળત ખેલાવીને તેણે કહ્યુ કે આ વાછડાની માનું દૂધ ન કાઢતાં એને જ પીવા દેવું અને એની મા દૂધ આપતી બંધ થાય ત્યારે બીજી ગાયાને દાહીને તેનુ દૂધ આને પાવુ' તથા એની ચેાગ્ય દેખભાળ રાખવી. રાજાના હુકમને! અમલ ગેપાળે એજ પ્રમાણે કર્યાં. જેથી વધતાં વધતાં એ બચ્ચુ જ્યારે પૂર્ણ જુવાન બન્યું ત્યારે તેની શુભ્ર શારીરિક શાભાની આગળ ચંદ્ર પણ ઝાંખા લાગે તેવુ તેનુ રૂપ ખીલી નીકળ્યુ. શરીર ઉપર માંસના ખૂબ જ ભાવા થઈ ગા કે જેથી કરીને તેનુ એક પણ હાડકું કયાંય દેખાતુ નહી. એનામાં અપાર એવું બળ ભરાયું હતું. તેની કાંધ પણ વિશાળ અને ઉન્નત ગિરીશૃગ જેવી જણાતી હતી. તેનાં શીંગ લાંખા ગાળ અને ઉચાં હતાં. જ્યારે રાજા એ બળદને બીજા બળદોની સાથે લડાવતા ત્યારે તેની સામે એક પણ ખળદ ટકી શકતા નહીં. રાજ્યકા'માં ખૂબ જ ગુથાયેલ હાવાના કારણે રાજાતે કેટલાક વર્ષો સુધી ગૌશાળાનુ નિરીક્ષણ કરવાને સમય મળ્યા નહીં. એક દિવસે ગમે તે રીતે સમય મેળવીને જ્યારે રાજાએ ગૌશાળાનું નિરીક્ષણ કર્યું ત્યારે તેની ષ્ટિ એક એવા બળદ ઉપર પડી કે, જે વૃદ્ધાવસ્થાને કારણે જજરિત ખની ગયેલ હતા અને તેનાં દાંત પણ પડી ગયા હતા, શક્તિનેા સમૂળગે અભાવ જણાતા હતા, ખમાઇએ જેના ઉપર થાકમથ જામી પડી હતી, શરીર સાવ કૃશ બની ગયું હતું, ફક્ત હાડકાંના માળખા જ દેખાતા હતા. તેને જોઇને પહેલાના બલિષ્ટ બળદની સ્મૃતિ રાજાને થઈ આવી. જેથી તેણે ગાવાળને પૂછ્યું કે, અગાઉના અલિષ્ટ બળઃ કયાં છે? રાજાતે પ્રત્યુત્તર આપતાં તે ગેાવાળે કહ્યુ કે, દેવ! આ એજ બળદ છે. ગેાવાળનાં આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૦૪
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy