SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બની જાય. મુનિનાં આ વચનેતે પાર્ટીની નિકુંજમાં ઉભેલા કરકન્દૂ અને કેઈ એક બ્રાહ્મણે સાંભળી લીધી. સાંભળતાં જ એ બ્રાહ્મણે ગુપચુપ ચાર આંગળ પ્રમાણ ભૂમિ ખેાદીને તે વાંસના દદંડને કાઢી લીધા અને તેને લઈને ચાલવા લાગ્યા. જ્ય રે એ દંડને લઈ જતા બ્રાહ્મણને કકન્દ્રએ જોયા ત્યારે તે તેના ઉપર કાધાયમાન બની ગયા અને જબરદસ્તીથી તેના હાથમથી તે દ ́ડ પડાવી લીધા બ્રાહ્મણે કરકન્દ્ગ ઉપર દાવે! કર્યાં. કચેરીમાં જઈને તેણે કહ્યુ કે, આણે મારા હાથમાંથી જબરદસ્તીથી દંડ છીનવી લીધા છે. તેના ઉત્તરમાં કરકન્સૂએ કહ્યું. કે જે ક્રૂડ મે' તેના હાથમાંથી હાડાવી લીધે છે તે દંડ મારાથી રક્ષણ કરવામાં આવતી સ્મશાન ભૂમિમાં ઉત્પન્ન થયેલ છે જેથી તેના ઉપર મારા અધિકાર છે, તેના નહીં. પેાતાના અધિકારની વસ્તુ લેવામાં દોષિત કરવા એના શું અધિકાર છે! ઉ૯૮ દંડના લાગી તે એણે બનવું પડશે કારણ કે, મારી વસ્તુને મને પૂછ્ય સિવાય તેણે લઈ લીધી છે. વચ્ચે બેટીને બ્રાહ્મણે તેને કહ્યું કે, મને આ દંડનું તાત્પર્યં છે માટે આ દંડને બદલે હું તને ત્રીજો દંડ આપુ અને આ દંડ તુ મને આપી કે આમાં તને કયું નુકશાન છે ? જ્યારે બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું. ત્યારે કરકન્સૂએ તેની વાતને માની નહી. ત્યારે ન્યાયાધીશે કહ્યું, કરકન્હેં એવી કઈ વાત છે કે, તુ એને બદલીમાં દંડ આપતા નથી ? ત્યારે કરકન્સૂએ ન્યાયાધીશને કહ્યું સાંભળે ! હું આ ઈંડના પ્રભાવથી રાજા બનીશ આથી આપજ વિચારશ કે, આવે ઉપયેગી દંડ કાઇ બીજાને આપી તે ખશ ! કરકનૂની વાત સાંભળીને ન્યાયાધીશને હસવુ આવી ગયું અને તેણે કહ્યુ. ખેર ! જ્યારે તુ રાજા અનો ભય ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપી દેજે. આ પ્રમાણે કરકન્હેં ન્યાયાધીશનાં વચનને માન્ય કરીને એ દંડ લઈ પેાતાને ઘેર પહોંચ્ચેા. બ્રાહ્મણે પણ પેાતાને ઘેર જઇને પેાતાના જાતભાઈઆને એવું કહ્યું કે, જુએ! ચાંડાલના ખાળકે બળપૂર્વક મારા દંડ આંચકી લીધા છે. જેથી હું જેમ ખનશે તેમ તેને મારીને પણ એ દંડ પાછા લઇ આવીશ. કર*ન્સૂનો માતાએ જ્યારે બ્રાહ્મણના આ વિચારને બીજા પાસેથી સાંભાળી લીધે ત્યારે તેના પતિની સાથે કરકન્સૂન લઈને ત્યાંથી બીજા ગામે ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતા તેએ કાંચનપુરમાં પહોંચ્યા. રાત્રીના સમય હાવાથી તે ગામ બહાર સુઈ રહ્યા. આ સમયે એ ગામનેા રાન્ન અપુત્ર ગુજરી ગયા આથી મ`ત્રીઆએ વિચાર કર્યાં કે, આ વખતે રાજ્યના કાઇ સ્વામી નથી માટે સ્વામીની શેાધ માટે રાજયના હાથીની સૂંઢમાં માળા આપીને તેને છુટા મુકવા તે જેના ગળામાં માળા નાખે તેને આ રાજ્યના માલીક બનાવવામાં આવે. આવેı વિચાર કરીને મુખ્ય હાથીની સૂંઢમાં માળા દઇને તેને છુટા મુકી દીધા. આ હાથીની સાથે ચેાદ્ધાઓને જવાની આજ્ઞા કરી રાજ્યને એ મુખ્ય હાથી ચાદ્ધાએની સાથે પેાતાની સૂંઢમાં માળા લઈને અહીંતહી ફરવા માંડયા, ફરતાં ફરતાં જ્યાં ચાંડાળ ખાળક સૂતા હતા ત્યાં આવી પહોંચ્ય ત્યાં સૂતેલા એ ચાંડાળ બાળકના ગળામાં તેણે માળા પહેરાવી દીધી. સુલક્ષણ એવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ૧૦૦
SR No.006471
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy