SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ યમાં ગ્રાહ્ય થવા છતાં પણ ઉપલબ્ધ નહાય તા તેનેા અભાવ માનવે એ વાત પણ ખરાખર નથી, જેમ ઈન્દ્રિય ગ્રાહ્ય ઘટ આદિ આપણને કાઈ પ્રદેશ વિશેષમાં ઉપલબ્ધ નથી થતા તા કહી દેવાય છે કે, અહિં ઘટ નથી. પરંતુ જ્યાં મૂળમાં જ ઇન્દ્રિયોના વિષય નથી ખની શકતે એનેા અનુપલબ્ધ (ન મળવાથી) થવાથીઅભાવના નિશ્ચય નથી કરી શકાતા. જેમ પિશાચ આદિઈન્દ્રિયાથી અવિષયભૂત છે, આથી અનુપલબ્ધ હાવાથી શું કાઈ એના અભાવના નિશ્ચય કરી શકે છે ? એમ કરવું આપના તરફથી ઉપસ્થીત કરવામાં આવેલા સંશયનું કારણુ બની જાય છે. જો આના ઉપર એવું કહેવામાં આવે કે, “આત્માને જો સા *ક અને માધક પ્રમાણુ નથી તે આત્માને સશય જ્ઞાનને વિષય જ શા માટે માની લેવામાં આવે ? સાધક ખાધક પ્રમાણુના અભાવમાં જ તા સ`શય ઉત્પન્ન થાય છે. ” તે આ પ્રમાણે કહેવુ ખરાખર મનાતું નથી. કારણ કે, આત્માનું સાધક પ્રમાણુ મેાજીદ છે. અને તે છે અનુમાન પ્રમાણુ. હું જોઈ શકું છું, હું સુંઘુ છે. ઈત્યાદિ જે એકાકાર પ્રતીતિ થાય છે તે જો કદાચ આત્મા ન હોય તે ન થઇ શકે. આથી એ પ્રકારની અનુગત પ્રતીતિથી આત્મા છે” એ સિદ્ધ બની જાય છે. “ હું જોવાવાળા છું, હું સુંધવાવાળા છું, હું રસાસ્વાદને લેનાર છું, હું સંભાળનાર છું. '' આ પ્રમાણે લેાકેામાં પ્રત્યેક જીવને સ્વ પોતાપણાનેા અનુભવ થાય છે. જો આત્માના અસદ્ભાવ માનવામાં આવે તા કર્તાના સિવાય દર્શન, ઘ્રાણુ, આદિ ક્રિયાએ પણ કઈ રીતે ખની શકે? ક્રિયા કર્તાના સદ્ભાવમાં જ સંપન્ન હાય છે. કદાચ એમ કહેવામાં આવે કે, એ ક્રિયાના કર્યાં આત્મા નથી પરંતુ ઇન્દ્રિયા છે. તે એમ કહેવું પણુ વ્યાજબી નથી. કેમ કે, ‘હું જ સુછુ છું, હું જ સાંભળું છું' અર્થાત્ જેને મે' પહેલાં સુધેલ હતું તેને ફરીથી સંધુ છું, સાંભળુ છું. આ પ્રમાણે જે દશનાદિક ક્રિયાઓમાં એક કર્તૃકતાની પ્રતીતિ થાય છે તે ઈન્દ્રિયને કર્તા માનવાથી થઇ શકતી નથી કેમકે, પ્રત્યેક ઇન્દ્રિયોના વિષય ભિન્ન ભિન્ન છે. ભિન્ન વિષયામાં ઇન્દ્રિયાની એક કર્તૃકતા આવતી નથી, “જે ચક્ષુ ઇન્દ્રિય જોવાવાળી તે એજ ઇન્દ્રિય સાંભળનાર છે.' આવી એક કર્તૃકતા એ ઇન્દ્રિયામાં આવી શકતી નથી. આ ઉપરાંત એક જ ઈન્દ્રિયથી બીજી ઇન્દ્રિયાના વિષય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ३२७
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy