________________
દેવભદ્ર અને યશભદ્ર રાખ્યાં. એ બને બીજના ચદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. જ્યારે તેમાં થોડું ઘણું સમજવા લાગ્યા ત્યારે પુરોહિતે તેમને સમજાવતાં કહ્યું કે, બેટા ! જેના મેંઢા ઉપર સદરકમુખવસ્ત્રિકા બાંધેલી હોય છે, સફેદ એલપ જેઓ પહેરે છે, તથા સફેદ જ વસ્ત્ર જેઓ એઢતા હોય છે અને હાથમાં તેઓ સદા રહરણ રાખે છે, જેળીમાં પાત્ર રાખે છે, જેમનું માથું સદા ઉઘાડું રહેતું હોય છે, ઉઘાડા પગે જેઓ ચાલતા હોય છે, આ પ્રકારના જે સાધુ મુનિઓ હોય છે તેઓ ઉપરથી તો ઘણું જ ભદ્ર દેખાતા હોય છે પરંતુ તેઓનું હદય કપટથી ભરેલું હોય છે. તેમના બોલવામાં જે મીઠાશ ભરેલી હોય છે તે ઉપરની ક્રિયા માત્ર સમજે. અંદરથી તો તેઓ હળાહળ વિષથી ભરેલા હોય છે. “જીની વિરાધના ન થઈ જાય” એવું લેકેને દેખાડવા માટે જ એ ધીરે ધીરે જોઈ જોઈને જમીન ઉપર ચાલતા હોય છે. પરંતુ એમનું હદય મલિન હોય છે. તેઓ રાક્ષસી વૃત્તિ વાળા હોય છે. તેઓ પિતાના પાત્રોની અંદર તીણ ધારવાળી છરી, કાતર ચાકુ વગેરે શસ્ત્રોને છુપાવીને રાખતા હોય છે. તેઓ બાળકને પકડીને જંગલમાં લઈ જાય છે અને ત્યાં ચાકુથી તેનું નાક કાપે છે, કાતરથી કાનને કાતરે છે અને છરીથી પેટને ચીરી નાખે છે. આ માટે હું તમને સમજાવું છું કે, તમે ભૂલેચૂકે પણ તેમની સંગત ન કરતા. જ્યારે એ સાધુએ આવતા તમારી દષ્ટિએ દેખાય ત્યારે તેની સામે ન જોતાં ઘર ભાગી જજે. એમની સામે કદી પણ ન જતા. આ પ્રકારનાં પિતાનાં વચન સાંભળીને એ બન્ને બાળક સાધુએથી પરાંમુખ બની ગયા.
એક દિવસની વાત છે કે, એ બન્ને બાળકે કેઈ ગલીમાં રમતા હતા ત્યારે તેમણે રમતી વખતે પ્રાસક અન્નપાન આદિને લઈને તેમની સામે આવતા મુનિઓને જોયા. જોતાં જ એ બન્ને ભયભીત બનીને વનની તરફ ભાગી છૂટ્યા. ત્યાં તેઓ વિશાળ એવા એક વડલા ઉપર ચડી ગયા અને પાંદડાથી ભરપૂર એવી એક ડાળ ઉપર જઈને છુપાઈ ગયા. આહાર આદિ સામગ્રી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૩૧૩