SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરદત્તે આ પ્રમાણે કહ્યુ' એટલે વરધનુ બુદ્ધિલના કુકડાને જોવા લાગ્યા. બુદ્ધિલે જાણ્યુ કે વધતુ મારા કુકડાને જોઇ રહેલ છે ત્યારે તેણે વરધનુને ધીરેથી ખાનગી રીતે કહ્યુ કે, મહારાજ આપ કહી દ્યોકે, કાંઈ પણ નથી. આપને હું પચાસ હજાર રૂપીયા આપીશ. વરધનુએ બુદ્ધિલને શાંત રહેવા કહી તેના કુકડાને તપાસ્યું. તેમાં તેણે જોયુ કે, કુકડાના પગમાં ઝીણી સેાય આંધી હતી તેને કારણે ત્રાસ પામીને સાગરદત્તના કુકડા હારી ગયેા હતા. વરધનુએ ધીરે ધીરે એ સેયને તેના પગમાંથી કાઢી લઈ ને કહ્યું કે, ' બુદ્ધિલના કુકડા જોઈ લીધા છે તેમાં કાંઇ પણ નથી. એવું કહીને વરધતુ ત્યાંથી એક ખાજી ખસી ગયા અને એ વાત સાગરદત્તને એવી રીતે કહી કે, જેની બુદ્ધિધને ખબર પણ ન પડી. આ પછી સાગરદત્ત ફરીથી પેાતાના કુકડાને બુદ્ધિલના કુકડા સાથે લડાઈ કરવા તૈયાર કર્યાં. બન્ને કુકડા ફરીથી લડવા લાગ્યા. આ વખતે સગરદત્તના કુકડાએ બુદ્ધિલના કુકડાને હરાવી દીધા. આ રીતે બુદ્ધિલ પણ એક લાખ રૂપીયાહારી ગયા. આ વખતે સગરદત્ત ખૂબજ પ્રસન્ન બન્યા એણે વરધનુને કહ્યું આ ! આપની કૃપાથીજ મારા આ કુકડા આ વખતે જીત્યા છે, મારી પ્રતિષ્ઠા પણ જળવાઈ ગઈ છે. આથી આપ મારે ઘેર પધારા તે ખૂબ જ યા થશે. આ પ્રકારે કહીને સાગરદત્ત એ બન્ને જણાને પેાતાના રથમાં બેસાડીને પેાતાને ઘેર લઈ ગયા. પેાતાના મકાન ઉપર પહેાંચીને તેણે એ બન્ને જણાની ખૂબ આગતાસ્વાગતા કરી, સાગરદત્તના પરમ સ્નેહ જોઈ ને એ બન્ને જણા તેને ત્યાં રહેવા લાગ્યા. રહેતાં રહેતાં એ બન્નેને કેટલેક સમય વીતતાં એ બન્ને પાસે એક દાસ ત્યાં આવ્યા. તેણે એકાન્તમાં વરધનુને એક હાર આપ્યા અને કહ્યુ કે, કુકડાના પગમાં બાંધેલ સેાયની રચનાને ગુપ્ત રાખવા માટે બુદ્ધિલે આપને વિનંતિ કરી હતી અને તેના બદલામાં આપને પચાસ હજાર રૂપીયા આપવાનું કહ્યું હતુ તે તે નિમિત્તે તેણે આ હાર આપને મેલેલ છે. વધતુ એ હારના ખાને લઈને કુમારની પાસે આવ્યે અને બુદ્ધિલે દાસ મારફત જે સમાચાર માકલેલ હતા તે કહી સભળાવ્યા અને હારને ડખામાંથી બહાર કાઢીને તેને બતાવ્યા. કુમારે તે હારનું નિરીક્ષણ કરવા માંડયુ. જોતાં જોતાં તેના એક ભાગમાં સ્વનામ અંકિત એક લેખ જોચે. તે જોઈ ને કુમારે વધતુને કહ્યુ, જુએ મારા નામથી અંકિત એક લેખ આહારમાં છે એ કે લખેલ હશે ? કુમારની વાત સાંભળીને સમાધાન ખાતર વરધનુએ કહ્યું; બ્રહ્મદત્ત નામની તા અનેક વ્યક્તિએ છે. કાણુ જાણે કયા બ્રહ્મદત્તના નામને અહી' અકિત કરવામાં આવ્યું હશે. આ પ્રમાણે કહીને વરધનુ કુમારની પાસેથી ચાલ્યા ગયા. અને એ લેખને ખાળ્યે તે તેમાં આ પ્રમાણેની લખેલ ગાથા જોઈ, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ २७०
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy