________________
આ તરફ્ ધનુમ ંત્રીએ દીર્ઘરાજા સમક્ષ એ પ્રકારની વિનતી કરી કે, હવે હું વૃદ્ધ થઈ ગયા છું. રાજ્યનું કામ મારાથી ખરાખર થઈ શકતું નથી. આથી મારી ભાવના એવી છે કે, મારા ઉપરના આ ભાર હું મારા પુત્રને સાંપી દઉં અને પરલેાક માટે હિત વિધાયક એવા ધાર્મિક કબ્યાનું હુ આરાધન કરૂં. મંત્રીની આ વાતને સાંભળીને રાજાએ વિચાર કર્યાં કે નિવૃત્ત થઈને એ અન્ય સ્થળે જશે તે ત્યાં તે મારી ખુરાઈ એ જાહેર કરશે જેથી એને એહીં જ રોકી રાખવા જોઈએ કે જેથી બહાર મારી બુરાઈઓ જાહેર ન થાય. આ પ્રકારે વિચારીને પછી તેણે મંત્રીને કહ્યું કે, મંત્રી ! તમારી પુત્ર વરધતુ તમારા પદને સંભાળે તેા એમાં મને કાંઇ વાંધા નથી. ભલે તે તમારૂ કામ સંભાળે, પરંતુ તમે અહીંથી અન્ય જગ્યાએ ન જાવ અને અહી રહીને જ દાનાદિક સત્કાર્યાનુ` આરાધન કરતાં રહેા કે જેથી તમારા પરભવ સુધરે.
દીર્ઘરાજાની આ વાતના મંત્રીએ સ્વીકાર કર્યાં અને પોતાના પુત્રને મંત્રીપદે સ્થાપિત કરીને ગંગાના કિનારે તેમણે રહેઠાણુ કર્યુ ત્યાં તેમણે સુંદર પાણીની પરબ બંધાવી. વિશાળ ભેાજનશાળા તૈયાર કરાવી. અનાથ, અપંગ, અભ્યાગતાને ત્યાં ભાજન આપવાનો પ્રમ ધ કર્યાં, અને પછીથી મંત્રી પતે પણ એજ સ્થળે રહેવા લાગ્યા. અન્ન આદિની પ્રાપ્તિથી સંતુષ્ટ એવા માણસે મારતે ગંગાનદીના એ તટ સ્થાનેથી માંડીને તે લાક્ષાગૃહ સુધીની બે ગાઉ લાંબી એવી સુર’ગ તેમણે તૈયાર કરાવી જેમાં એક દ્વાર પણ મૂકાવી દીધું અને તેને એક પત્થરથી ઢાંકી દીધું. મત્રીએ આ સુરંગના નિર્માણની અને તે પૂર્ણુ થઈ ત્યાં સુધીની દરેક વાતથી પેાતાના પુત્રને વખતે વખત વાકેફ્નાર રાખ્યો હતા. સાથેસાથ પુષ્પચૂલ રાજાને પણ ગુપ્ત રીતે આ વાતની ખબર પહેાંચાડી હતી.
આ તરફ દીર્ઘરાજાએ કુમારના વિન્નાહ પુષ્પસૂલ રાજાની દાસી પુત્રી સાથે કરી દીધે, વિવાહ કરી કુમાર પેાતાની નવવધૂ સાથે પેાતાની રાજધાનીમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૬ ૦