SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ–બહુશ્રુત સંયમીઓના ગુણ મુકિત પ્રદાન કરનારા હોય છે. તેથી સંયમીનું કર્તવ્ય છે કે તેમણે અંગે પાંગારિરૂપ આગમનનું ખૂબ અધ્યયન કરવું જોઈએ. પિતાના આત્માને આગમનની સાથે એક રૂપ બનાવી લે. આમ કરવાથી તે મુકિતને અધિકારી બનશે. અને તેના ઉપદેશથી અન્ય ભવ્ય જન પણ મોક્ષના અધિકારી બનશે. આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને પ્રભુ દ્વારા ઉપદિષ્ટ આ તત્વ સમજાવ્યું છે ૩૨ છે છે ઉત્તરાધ્યયનસૂત્રની પ્રિયદર્શિની નામની ટીકાના બહુશ્રત નામના અગિયારમાં અધ્યયનનો ગુજરાતી અનુવાદ સમાપ્ત ૧૧૫ બારહર્વે અધ્યયનકી અવતરણિકા ઔર હરિકેશબલ મુનિકા ચરિત્ર વર્ણન બારમા અધ્યયનનો પ્રારંભ અગ્યારમું અધ્યયન કહેવાઈ ગયું હવે બારમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનનું નામ હરિકેશીય અધ્યયન છે. આમાં હરિકેશબલ મુનિના ચરિત્રનું વર્ણન કરવામાં આવે છે. અગીયારમા અધ્યયનની સાથે આ અધ્યયનને સંબંધ આ પ્રકાર છે. અગીયારમા અધ્યયનમાં સૂત્રકારે બહુશ્રતની પ્રશંસા કરેલ છે. આ બારમા અધ્યયનમાં તેઓ એ સમજાવે છે કે, બહુશ્રુતે પણ તપસ્યા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે તપ સમૃદ્ધિના વર્ણનને સંબંધ બતાવતા આ હરિકેશીય નામના બારમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનની શરૂઆત હરિકેશબલ મુનિના ચારિત્ર વર્ણનથી થાય છે. તે આ પ્રકારે છે પૂર્વ સમયમાં મથુરા નામની મહાનગરીમાં એક રાજા રહેતા હતા જેનું નામ શંખ હતું. પ્રજા એમનાથી ખૂબ સંતુષ્ટ હતી. દીન દુઃખિયાઓના દુઃખેને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૨૧૮
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy