SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ઇન્દ્ર નમિરાજર્ષિની જીન પ્રવજ્યા પ્રત્યેની દઢતાની પરીક્ષા કરવા માટે કહે છે–“વાસનં પત્તાનું ઈત્યાદિ. અન્વયાર્થ– મ હુવા-મનુનાધિપ હે રાજન ! ઘોરાક જરૂ-ઘોરાક. અસરજ્ઞા અતિ દુષ્કર હોવાથી ઘેર એવા જે તાપસ આદિના આશ્રમને પરિત્યાગ કરીને તમે નં ગામ ઘેતિ-અન્યૂ આશ્રમં પ્રાર્થથતિ આ જૈન પ્રત્રજ્યા લક્ષણ આશ્રમને કે જે અનાયાસ સાધ્ય છે, જેની સાધના કરવામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ સહન કરવું પડતું નથી એવી પ્રવજ્યાને સ્વીકાર કરી રહ્યા છે, તે તેની અપેક્ષાએ પણ સુખસાધ્ય આ ગૃહસ્થાશ્રમ છે. આથી તેમાં રહીને અષ્ટમી ચતુર્દશી આદિ તિથીઓનું આરાધન કરતા રહો. “ઘરાશ્રમનું તાત્પર્ય એ છે કે, તાપસ આદિ આશ્રમમાં રહેવાવાળાને ગ્રીષ્મકાળમાં પંચાગ્નિ તપવું પડે છે, ઠંડીના કાળમાં નદિ આદિ જળમાં અવસ્થિત રહેવું પડે છે, અને કઈ કે વૃક્ષની ડાળી ઉપર રસી વગેરેથી પગને બાંધીને ઉંધેમાથે લટકવું પડે છે. એક પગથી પણ ક્યારેક ક્યારેક ઉભા રહેવું પડે છે, કદી કદી લેખંડના કાંટાની શા ઉપર પણ શયન કરવું પડે છે, કદી કદી આસન માંડીને બેસી રહેવું પડે છે, કઈ કઈ વખત ઉંચું મુખ રાખીને બેઠાં બેઠાં સુવું પડે છે. ક્યારેક કયારેક નિચે મે રાખીને સુવું પડે છે, વગર માગ્યે જે કાંઈ મળી જાય તેમાં જ સંતોષ માનીને ઉદરપૂતિ કરી લેવી પડે છે, જે કદી કઈ કાંઈ ન આપે તે ભૂખે પણ રહેવું પડે છે, આ રીતે એ તાપસ આદિના આશ્રમ પાળવા ખૂબજ કઠણ છે. સાધારણ વ્યકિત આને ધારણ કરી શકતી નથી. આ કારણે તમે એ ઘેરાશ્રમને પરિત્યાગ કરી જે આ જૈન દીક્ષા લીધી છે, તેમાં એના પાલન કરવામાં આવી જાતને કઈ કઠીન નિયમોનું પાલન કરવાનું તે હોતું નથી, તેમ એવી કઠીન તપસ્યાઓનું અનુષ્ઠાન પણ કરવું પડતું નથી. આ માર્ગ તે ઘણોજ સુગમ છે-જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઇ લે, જે ખાવા છે તે ખાઈ લે, આના સેવનમાં એવાં કઈ કષ્ટ નથી. આથી હું આપને સલાહ આપું છું કે, આનાથી પણ અધિક સુગમ આ ગૃહસ્થાશ્રમ છે જેને તમે પરિત્યાગ કરી રહ્યા છે દેવ પાસરો મવાણિ-દૈવ પધરતઃ અ એમાં રહીને જ ધર્મ સાધન કરે, વ્રત કરે, ઉપવાસ આદિ તપસ્યા કરો, પર્વ તિથિઓની પૌષધ વ્રતથી આરાધના કરે, સઘળા પર્વોમાં પૌષધ આદિ કરે એ શ્રેષ્ઠ મનાયેલ છે. પરંતુ અષ્ટમી ચૌદશ અને પુનમે એ તે અવશ્ય પિષધ વ્રત કરવું જોઈએ. કહ્યું પણ છે – સર્વેશ્વર રોજ રાતઃ ૪ug अष्टम्यां पंचदश्यां च नियतं पौषधं वसेत् ॥१॥ ४२ ॥" શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૧૭૨
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy