________________
અભય, સુપાત્ર અને કરૂણાદાન દઉં. યુગબાહુ યુવરાજે પિતાની પત્નિના પ્રત્યેક ભાવની ઘણું જ સારી રીતે પૂર્તિ કરી. ભાવની પૂર્તિથી મદનરેખાનું મન ખૂબ જ આનંદમાં રહેવા લાગ્યું ને ગભ પણ કાળકમ પ્રમાણે આનંદપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો.
એક દિવસની વાત છે કે, મદરેખા પિતાના મહેલની અગાશીમાં બેસીને સ્નાન કરી રહી હતી, એ સમયે મણિરથ રાજાની દ્રષ્ટિ તેના ઉપર પડી. સ્નાન કરતી મદન રેખાને જોતાં જ તેનું અંતઃકરણ કામની વ્યથાથી વ્યાકુળ બની ગયું અને “આ મારા હાથમાં કઈ રીતે આવે” એ પ્રકારના ઉપાયો તે શેાધવા લાગે. ભાગ્યવશાત્ એ સમયે એક એવા પ્રકારની ઘટના બની કે, દક્ષિણ દિશા તરફ એને રાજ્યમાં રૂદ્ર નામના કેઈ રાજાએ આક્રમણ કર્યું. મણિરથે જ્યારે આ વાત સાંભળી ત્યારે એને સામને કરવા જાતે જવા તૈયાર થયો. યુદ્ધમાં જવા માટે તેણે સૈનિકે તૈયાર કરવા માંડ્યા-યુગબાહુએ પિતાના લાઈની યુદ્ધમાં જવાની તૈયારીની વાત જાણી. આથી તેણે મણિરથને કહ્યું કે, હું હાજર હોવા છતાં આપને યુદ્ધમાં જવું ઉચિત નથી. માટે યુદ્ધમાં શત્રુએને પરાસ્ત કરવા માટે જવાની મને આજ્ઞા આપે. જ્યારે હું શત્રુઓને પરાસ્ત કરવામાં સમર્થ છું, તે પછી આપને જાતે જવાની કોઈ જરૂર નથી. પિતાના નાનાભાઈ યુગબાહુની વાત સાંભળીને રાજા મણિરથે તેને યુદ્ધમાં જવાની અનુમતી આપી. મોટાભાઈની આજ્ઞા મેળવીને યુગબાહુ એ પ્રદેશમાં યુદ્ધ માટે રવાના થશે. યુગબાહુના ગયા પછી મણિરથે મદનરેખાને પ્રસન્ન કરવા નિમિત્ત દાસી સાથે પુષ્પ, તાખુલ, વન અને આભૂષણ ઈત્યાદિ મદનરેખાને મોકલ્યાં. મદનરેખાએ તે “આ મારા જેઠજીને પ્રસાદ છે” એમ સમજીને દાસી પાસેથી લઈ લીધાં. એક દિવસની વાત છે કે, મણિરથે દાસી દ્વારા મદનરેખાને કહેવરાવ્યું કે, મને તારા અનુપમરૂપે મેહિત કર્યો છે. જે દિવસે મારી આંખ એ તારી અનુપમ રૂપરાશીનું પાન કર્યું ત્યારથી મારૂં મન તારા રૂપમાં પાગલ બની ગયું છે. આથી જે તું મારે સ્વીકાર કરીશ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૩૪