SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ તે ખર્ચમાં વપરાઈને ખલાસ થઈ જશે. આથી મૂળધન નાશ ન થાય, તેની રક્ષા કરવામાં આવે અને પિતાનું ખર્ચ નીકળી રહે, એ ખ્યાલથી કાંઈક કમાવું જોઈએ કે જેથી પિતાને ખાવા પીવાની સામગ્રીમાં થતો ખર્ચ નીકળી જાય, આ પ્રકારનો વિચાર કરી તે વેપારમાં કમાવાતું ધન પિતાના ભેગપ. ભેગની સામગ્રીમાં ખરચતે રહ્યો, અને મૂળદ્રવ્યનું રક્ષણ કરતો રહ્યો. ત્રીજાએ વિચાર્યું–મારા ઘરમાં સમુદ્રમાં રહેલા પાણીની જેમ ભરપૂર દ્રવ્ય છે. તે કેટલું છે તે કોઈ જાણતું નથી, અને કેઈ તેની ગણના પણ કરી શકતા નથી. આવી સ્થિતિ હોવા છતાં પણ પિતાએ અમને ઘરથી બહાર મોકલ્યા છે. તે વૃદ્ધાવસ્થાને કારણે તેમની બુદ્ધિ તૃષ્ણારૂપ બની ગઈ છે. શાસ્ત્રકાર કહે છે કે, બુઢાપામાં પ્રાણીને ધન આદિની તૃષ્ણ અત્યંત વધે છે. એજ હાલત અમારા પિતાની છે. નહીં તે અમને ઘરથી બહાર પરદેશમાં મોકલવાની શી જરૂર હતી ? કેણ આ કમાવાની ઝંઝાળમાં પડે. જે કાંઈ પિતાએ આપેલું છે તેને જ બેઠાં બેઠાં આનંદથી શા માટે ઉપલેગ ન કરે? કલેશકારક દ્રપાર્જનના ઉપાયમાં પડીને પોતાની જાતને કષ્ટમાં નાખી, રાખેલા દ્રવ્યમાં વધારો કરવાની ફિકરમાં કાણું પડે? આ તે એક એવી વાત છે કે, ઘરમાં ઝરતા અમૃતને છેડીને તેની પ્રાપ્તિની આશામાં પર્વત ઉપર જવું. વળી એવી પણ શી ખાત્રી કે કમાવાથી દ્રવ્યમાં વધારો થશે જ. સંભવ છે કે, મૂળ ધનમાં પણ નુકશાન આવી જાય. તે અહીં કેણ બેઠું છે કે, તે ભરપાઈ કરે. એ વિચાર કરીને ત્રીજા પુત્રે પિતા તરફથી આપવામાં આવેલા તે દ્રયને જુગાર, મજશેખ આદિ ગપગની સામગ્રીના સેવનમાં નષ્ટ કરી દીધું. તેમને ઘેર પાછા ફરવા માટે જે સમય આપવામાં આવ્યું હતું તે સમયે ત્રણે જણ ઘેર આવી ગયા. પિતાએ ત્રણેની પરિસ્થીતિ જાણી, સાંભળીને મોટા દિકરાની ખૂબ પ્રસંશા કરી અને સંતુષ્ટ બનીને તેને જ પિતાના ધનને ઉત્તરાધિકારી બનાવી દીધું. બીજા પુત્રને ઘર સંબંધી વેપારમાં નિયુક્ત કર્યો. અને ત્રીજા પુત્રને તેણે ઘરમાંથી બહાર કાઢી મૂકયે. આ પ્રકારે બીજા પુત્રે જે કે, ખાવા પીવાનું સુખ મેળવ્યું પરંતુ ખ્યાતિ અને સન્માન તેને પ્રાપ્ત ન થયાં ત્રીજા પુત્રને બીજાને ત્યાં નોકરી કરી પિતાના જીવનમાં નેકર તરી કેનાં ખૂબ ભારે કષ્ટો ભેગવવાં પડ્યાં. ૧૪૧પા છે આ રીતે ત્રણ વાણીયાનું દષ્ટાન્ત પૂર્ણ થયું છે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ १०४
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy