SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ લેાભી આત્મા ધનની પ્રાપ્તિની ચિંતામાં જ મસ્ત ખની રહે છે, કામુક કામિનીમાં મસ્ત છે, ઉન્મત્ત સર્વત્ર બ્રાંતિયુંક્ત બની રહે છે. પરંતુ ક્રેાધથી વ્યાકુલ ખનેલ આત્મા જોવા છતાં પણ આંધળા બની રહે છે. ૧ આ ક્રધનુ' નિવારણ કરવું હાયતા આ પ્રકારની ભાવના કરવી જોઇએ કે હું આત્મા ! તું તારા ઉપર અપકાર કરવાવાળા ઉપર જે પ્રકારે ક્રાય કરે છે એ પ્રકારે તે અપકાર કરવાવાળા ક્રાય ઉપર ક્રેા કેમ નથી કરતા. કેમકે એ તારા ખુબ મોટો અપકારી છે. કારણ કે તેના સદ્ભાવમાં ધર્મ, અર્થ, કામ અને મેાક્ષના સથા વિનાશ થાય છે. એથી ચર્તુવના વિનાશ કરવાવાળા હાવાથી એ તારા બધાથી વધુ અપકારી છે. ક્રોધ પર ક્રાધ કરવો એને મતલબ છે કે ક્રાધ કદી ન કરવા જોઇએ. ક્રાયને દબાવી દેવામાં દૃષ્ટાંત આ પ્રકારે છે— કાઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખ્યા, તે કુળપુત્ર મરણ જનીત દુઃખથી આર્ત્તધ્યાન કરતી માતાને જોઇ તુરતજ પેાતાના ભાઈના એ ઘાતકને પકડીને માતાની સન્મુખ ઉભું રાખી કહ્યું, અરે મધુ ઘાતક ! ખેલ તને આ તરવાર કયે સ્થળે મારૂં. તેણે ડરીને કહ્યું-જ્યાં શરણમાં આવેલાં પ્રાણીને મારવામાં નથી આવતાં એ સ્થળે આપ મને મારા. મને મારનારનાં આ પ્રકારનાં વચનને સાંભળી કુળપુત્રે માતાના મુખની સામે જોયુ. માતાએ ધૈર્ય ધારણ કરી દયાયુક્ત બની કહ્યુ કે હે બેટા ! શરણમાં આવેલાને વીરપુરૂષો કદી મારતા નથી કેમકે આટલા પ્રાણી અવધ્ય હાય છે. सरणागया य वीस, त्था पणया वसणपत्ता य । रोगी अजंगमा य, सप्पुरिसा णेव पहरति ॥ १ ॥ ગાથા-શરણાગત, વિશ્વાસપાત્ર, કષ્ટમાં પડ્યા, રાગી અને અપગ, એમના ઉપર મહાપુરૂષ પ્રહાર કરતા નથી, પરંતુ તેની રક્ષા કરે છે. માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને કુળપુત્રે કહ્યું ઠીક છે. આ અવધ્ય છે. પરંતુ હે માતા ! આ રાષ જે મારામાં ઉત્પન્ન થયા છે તેને હું કઈ રીતે શાન્ત કરૂ? માતાએ કહ્યું પ્રિય પુત્ર! ઉત્પન્ન થયેલ રાષ બધી રીતે સફળ કરવામાં આવે એવા કોઇ નિયમ નથી, માતાનાં આવાં વચનોથી સંતુષ્ટ બની કુળપુત્રે રાષને શાંન્ત કરીને તેણે પોતાના બંધુના ઘાત કરનાર વૈરીને કોઈ તકલીફ આપ્યા વગર છોડી દીધા. મારનાર વૈરીએ પણ બન્નેના ચરણામાં પડીને પેાતાના અપરાધની ક્ષમા માગી અને ખુશ થતા તે પાતાના ઘર તરફ ચાલી ગયા. પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે કુળપુત્રની માફક પોતાનામાં ઉત્પન્ન થયેલ ક્રાયને દબાવવામાં સચેષ્ટ રહે. ( ચિં પિચં ધારિષ્ના પ્રિય પ્રિય ધાāત્ત ) શિષ્યનું કર્તવ્ય છે કે તે ગુરુ મહારાજ દ્વારા કહેવામાં આવેલ અપ્રિય વચનાને પણ પ્રિય વચન માની હૃદયમાં ધારણ કરે. ગુરુ મહારાજના વચન પિરણામમાં સંતાપને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ 3333 ૩૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy