SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રેહગુપ્ત ગુરુને વંદના નમસ્કાર કરી રાજસભામાં પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ તેમણે કહ્યું કે, આ બિચારે પરિવ્રાજક શું જાણે છે? આ માટે તે પહેલ કરે અને તેની જે ઈચ્છા થાય તે મુજબ તે ખુશીથી કરે. હું તેનું સામા પક્ષ (પ્રતિસ્પર્ધિ) તરીકે નિવારણ કરીશ. રેહગુપ્તની આ વાત સાંભબળીને પરિવ્રાજક વિચારમાં પડો કે હાં માલુમ પડે છે કે, જરૂર આ કઈ પૂણે વિદ્યા સંપન્ન છે–તેને જીત એ મારી શક્તિની બહારની વાત છે. તે એની મારફત સંમત પક્ષ જ ગ્રહણ કરી તેની સાથે વાદ કરે જ ગ્ય છે. જેથી એ તેને નિરાકૃત નહીં કરી શકે. આ પ્રમાણે વિચાર કરીને પરિવ્યાજકે કહ્યું કે જીવ અને અજીવ એ બેજ રાશી છે. કેમકે, આ રીતની જ તેની ઉપલબ્ધિ હોય છે, જેવાકે શુભ અને અશુભ. પરિવ્રાજકના આ કથનને સાંભળીને રહાગુપ્ત તેને હરાવવા માટે આ સ્વસિદ્ધાંત પક્ષનું પણ નિરાકરણ કરતાં કહ્યું કે, ના, તમારે આ હેતુ અસિદ્ધ છે. કારણ કે, બે રાશીથી પણ અધિકની ઉપલબ્ધિ હોય છે, ૧ જીવ, ૨ અજીવ અને ૩ ને જીવ. આ પ્રકારે ત્રણ રાશીઓની ઉપલબ્ધિ હોવાથી તમારા આ હેતુમાં અસિદ્ધતાનું સમર્થન થઈ જાય છે. નારકીય, તીર્થંચ વિગેરે જીવ, પરમાણુ, ઘટ, આદિ અજીવ, ગૃહોધિકા, વિષમર–ઠેઢગળી વિગેરેની કચાએલી પુંછડી વગેરે નિજીવ છે. ઉત્તમ, મધ્યમ અને અધમની માફક આ ત્રણ રાશીઓ છે. આ પ્રકારે યુક્તિપૂર્વક પિતાના પક્ષને મજબૂત કરી રેહગુપ્ત પરિવ્રાજકના પ્રશ્નનું નિરાકરણ કરી તેને પરાજીત કરી દીધું. પરિવ્રાજક જ્યારે હારી ગયે ત્યારે તેણે હગપ્તનો નાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યાના પ્રભાવથી તેની ઉપર વિંછીઓ છેડયા. રાહગુપ્ત તેની સામે નિવારણ માટે મયૂરીવિદ્યાના પ્રભાવથી મોર છેડયા. મયુરોએ ભેગા થઈ વિંછી ખલાસ કર્યા ત્યારે પરિવ્રાજકે તેના ઉપર સપેને છોડવા. રેહગુખતે તેના નિવારણ માટે નેળીયાઓને છોડ્યા. આજ પ્રમાણે ઉંદરને નાશ કરવા માટે, બીલાડીઓને, મૃગલાંને નાશ કરવા માટે વાઘને, સુવર (મુંડ) ને નાશ કરવા માટે સિંહને, કાગડાઓને નાશ કરવા માટે ઘુવડને અને ચકલાંને નાશ કરવા માટે બાજને છોડયા. છેલે પરિવ્રાજકે ગધેડી છેડી. ગધેડીને આવતી જોઈ રહગુપ્ત માથા ઉપર રજોહરણને ફેર. અને તેનાથી તેને મારી મારીને ભગાડી દીધી. ગધેડી પાછી ફરી. અને પરિ. વ્રાજકની ઉપર મળમુત્ર કરીને અદ્રશ્ય થઈ ગઈ. સભાપતિ હાજર રહેલા સભ્યએ તથા સમસ્ત લેકેએ પરિવ્રાજકની નિંદા કરી અને તેને નગરની બહાર કાઢી મુકયે. આ પછી ષડુલુક જેનું બીજું નામ રેહગુપ્ત છે તે પિટ્ટશાલ પરિ. ત્રાજકને પરાજીત કરી પોતાના ગુરુની પાસે પહોંચ્યા. ગુરુને વંદના નમસ્કાર કરી પછી કહ્યું કે, હે ભદન્ત ! પરિવ્રાજકે જીવ અજીવ આ બે રાશીઓને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૫૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy