SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તીમાન ક્ષણવતી નૈયિક આદિ વૈમાનિક પર્યંત ચાવિસ ડકના જીવ ક્ષણાન્તરમાં ચ્છિન્ન થઈ જશે. આથી એવું માનવું જોઈએ કે, સઘળા જીવા દિક પદાથ પ્રતિક્ષણમાં નષ્ટ થઈ રહ્યા છે. સ્થિર નથી. અને જ્યાં અક્રિયા કારિતા છે તે જ સત્ય છે. માથી અતિરિક્ત-જ્યાં અથક્રિયા કારિતા નથી તે સત્વ નથી. જે કાર્ય કરનાર નથી તેમાં પણુ સત્વ માનવામાં આવે તે શશશ્ચં’ગ ( સસલાના શીંગ) વગેરે પદાર્થીમાં પણ સત્વ માનવું પડશે આથી “ ફેવ અર્થયિા િસમેત્ર વર્માર્થ સત્ આ સિદ્ધાંત સિદ્ધ થાય છે. અક્રિયા કારિતા રૂપ સત્વ ક્ષણભંગુર પટ્ટાના અતિરિક્ત નિત્યપદામાં કોઇ દિવસ આવી શકતા નથી, કેમકે, નિત્ય પદાર્થવાદીએથી એવુ પુછવામાં આવે કે, નિત્યપદાથ ક્રમથી અક્રિયા કરે છે કે, યુગપત્ ( એકી સાથે ) અક્રિયા કરે છે? જો એમ કહેવામાં આવે કે, ક્રમથી અક્રિયા કરે છે તે આ પ્રકારની માન્યતામાં તેમાં નિત્યત્વની હાની આવે છે. મી. કાલાન્તરવતિ સમસ્ત અČક્રિયાએ તેના ક્રમથી થઈ પણ કેમ શકે ? કેમકે, નિત્ય જ્યારે એક સ્વભાવવાળે છે તે એ જ સ્વભાવથી તે સમસ્ત અક્રિયાઓ કરશે આ અપેક્ષા સમસ્ત અક્રિયાઓમાં એકતા હોવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જો તેમાં ભિન્ન ભિન્ન સ્વભાવતા માનવામાં આવે તા તે રીતે તે સ્વભાવ પરિવર્તન હાવાથી એક સ્વભાવની હાની થશે. અને તેના કારણે ત્યાં અનિત્યતા માનવી પડશે. જો એમ કહેવામાં આવે કે, નિત્ય પદાર્થ યુગપત્ અક્રિયા કરે છે તા એવુ કહેવુ. પણ ઠીક નથી. કેમકે, જ્યારે તે એક જ ક્ષણમાં સમસ્ત કાર્યને કરી દેશે તે ખીજી ક્ષણમાં તે શું કરશે ? આ અપેક્ષા એ તેમાં અવસ્તાપત્તિ માનવી પડશે, તથા એક જ ક્ષણમાં તેમાં કાર્યની અકરણતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તેનું કારણ એ માનવુ' જોઈ એ કે, ક્ષણિક વસ્તુ જ કાર્ય કરે છે. એટલા માટે પદ્મા ક્ષણિક છે, ક્ષણિકના અથ નિરન્વય વિનાશ થાય છે. વસ્તુ પ્રતિક્ષણુ ઉત્પન્ન થતી રહે છે. અને પ્રતિક્ષણે નાશ થતી રહે છે. જેમકે આકાશમાંની વિજળી અથવા પાણીના પરપોટા વગેરે પદાર્થો જેવી રીતે ક્ષણજીવી છે તેની માકજઅશ્વમિત્ર મુનિની આ વાત સાંભળીને ધર્માચાય કૌડિન્ચે કહ્યું, હે વત્સ ! પ્રતિક્ષણ વસ્તુના સર્વથા વિનાશના તમે સ્વીકાર ન કરે. એ વાત તા સિદ્ધાંતથી સ્વીકારાયેલી છે કે, ચિજમાત્ર સદા એક જ હાલતમાં કદી રહેતી નથી, તેમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાયે ઉમેરાતા જાય છે અને પહેલાંના પાઁચાને ક્ષય થતા જ રહે છે. આ અપેક્ષાએ તેના કઈક અંશે વિનાશ પણ માનવામાં આવે છે. આ પ્રકારને સ્વીકાર કરવાથી એવું તાત્પર્ય નિકળતુ નથી કે, વસ્તુના સર્વથા નિરન્વય વિનાશ થાય છે. પદાર્થના નિરન્વય વિનાશ તા ત્રણે કાળમાં પણ થતા નથી. છતાં પણ જો પદાથ ના નિરન્વય વિનાશ માનવામાં આવે તા ખીજીજ ક્ષણે એ પદાર્થ જેમના તેમ પ્રત્યક્ષ દેખાય છે તે શકય નથી. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ܕܙ ૨૪૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy