SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગળરૂપ નથી પરંતુ ભારે મંગળરૂપ છે. ચકના જે નવ આરા તૂટી ગયા છે એનાથી એ સૂચિત થાય છે કે, તમારી નવી પેઢી સુધી આ રાજ્ય અચલ અને સ્થિર રહેશે. પછી ચાણક્ય, રાજા પર્વત અને ચંદ્રગુપ્ત બધા રાજભવનમાં ગયા. નંદ રાજાના એ રાજ્યના ચાણક્ય બે ભાગલા પાડ્યા. એક ભાગ રાજા પર્વતને અને એક ચંદ્રગુપ્તને સુપ્રત કરવામાં આવ્યે. નંદના રજભવનમાં એક વિષકન્યા ઉછેરવામાં આવી હતી. પર્વત એને જોઈ એના ઉપર મોહીત બની ગયો. તેણે એ કન્યાના શરીરને સ્પર્શ કર્યો કે તુરત જ તેના સમસ્ત શરીરમાં વિષ પ્રસરી ગય. પર્વતના શરીરમાં પ્રસરી ગયેલા વિષને દૂર કરવા ચંદ્રગુપ્ત તત્પર બન્યા એજ વખતે ચાણયે તેને તેમ કરતાં અટકાવ્યો. આથી તેણે તેમ કરવું માંડી વાનું. વિષના ભારે પ્રકોપથી પર્વતનું મૃત્યુ થયું. પર્વતના મૃત્યુને કારણે રાજા નંદનું સમગ્ર રાજ્ય ચંદ્રગુપ્તના એક છત્ર નીચે આવી ગયું. રાજ્યનું પરિવર્તન થવાથી રાજ્યનું શાસન બદલાતાં કેટલાક લેકેએ ચેરી આદિ ઉપદ્રવને પ્રારંભ કરી દીધું. ચાણકયે ચેરી આદિ ઉપદ્રવ કરનારાઓ સામે સખ્ત હાથે કામ લેવાને તેમજ દમનને કેરડે વીંઝવાને વિચાર કર્યો, પરંતુ તેમ કરવું અત્યારના સંજોગોમાં તેને ઉચિત ન લાગ્યું. એક દિવસ આજ બાબ તને વિચાર કરતાં કરતાં ચાણક્ય નગરની બહાર જતા હતા, ત્યાં રસ્તામાં એક સ્થળે એક નબદામ નામના કવિન્દ (વણકર)ને જે. જે પોતાના પુત્રને કરડનારા મંકોડાનું દર શેધી રહ્યો હતો. તેને ચાણકયે પૂછ્યું, કુવિન્દ શું શેધી રહ્યો છે? ઘણા જ ક્રોધના આવેશથી અહીં તહીં ફરી રહેલા કુવિજે કહ્યું, મારા પુત્રને એક મંકોડાએ કરડી ખાધેલ છે, હું તેના ઘરને ગેતી રહ્યો છું. આ પ્રકારની કુવિન્દની વાત સાંભળી ચાણક્ય વિચાર્યું કે, આ માણસ બદલે લેવામાં મેગ્ય છે. આમ વિચારી તેને સમજાવી પછીથી ચાણયે તેને નગરના કેટવાળાની જગાએ નીમ્યા. એક સમયની વાત છે–રાજ્યના ખજાનાને ભરપુર બનાવવા ચાણયે કેઈ દેવની આરાધના કરી. ચાણક્યની આરાધનાથી પ્રસન્ન થઈ દેવે ચાણક્યને વિજય અપાવનાર એવા ચાર પાસા તેને આપ્યા. આ પછી ચાણકયે વરદાન નના રૂપમાં મળેલા એ પાસાને પ્રયાગ કરવાનું વિચારી એક થાળમાં સુવર્ણ મુદ્રાઓ ભરી ઘતક્રિડામાં નિપુણ એવા એક પુરૂષને પાસા સાથે તે થાળ આપી નગરીમાં જુગાર રમવા મેકલ્ય. સોનામહેરથી ભરેલ થાળ તથા પાસા લઈ તે પુરૂષ નગરમાં ઘોષણા કરતે ફરવા લાગે. કે જે કઈ મને દાવમાં હરાવે તે સેનામહોરથી ભરેલ આ થાળ આપી દઉં અને સામો માણસ હારે તો તેણે મને ફક્ત એક જ સેનામહોર આપવી. એની આવી ઘેષણ સાંભળીને અનેક માણસો જુગાર રમવા આવવા લાગ્યા. જુગાર રમવાને પ્રારંભ થઈ ચુકયે. તેણે રમવા આવનાર દરેકને જીતી લીધા પણ તેને કઈ પરાજીત કરી શકયું નહીં. સારાંશ–દેવના આપેલા પ્રસાદરૂપ પાસાના પ્રભાવથી જેવી રીતે એ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૨૦૫
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy