SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સદારકમુખવસ્તિકાને ધારણ કરી સારાએ શરીરને ખુલ્લું રાખી હેમન્ત ઋતુમાં રાત ભર ઉભે પગે રહેતા હતા, જીન વચનમાં એને અપ્રતિમ શ્રદ્ધા હતી. એક સમયની વાત છે કે, કેાઈ મિથ્યાત્વી દેવ ત્યાં આવ્યા અને તેણે પેાતાની વૈયિશક્તિથી નંદનવન જેવું સુંદર ઉદ્યાન બનાવી દીધું. અને દૃઢમતિ મુનિને કહ્યુ કે, હે મુનિ ! આ આતાપનાથી શું લાભ છે? નિરર્થક આપ આ કષ્ટને સહન કરી છે ! પરલેાક વગેરે કાંઇ પણ નથી. આથી મારી સાથે આવા અને આ નંદનવન સમાન ઉદ્યાનના સુખના યથેચ્છ અનુભવ કરી. જે સમયે દૃઢમતિ મુનિ વીરાસનમાં વિરાજીત થતા ત્યારે તે દૈવ વૈક્રિય પુષ્પશય્યાની રચના કરી એનાથી કહેતા કે, આ આસનથી બેસવામાં કયા લાભ ? આ પુષ્પની રીયા ઉપર આપ ખીરાજો. જેનું લક્ષ કરીને આપ આ બધુ કરી રહ્યા છે તેવું હું સુનિ કાંઈ છે જ નહીં. આ રીતે તપ તપતા ત્યારે પણ તે દેવ પાતાની વૈક્રિયશક્તિના પ્રભાવથી વિવિધ મિષ્ટાન્ન તૈયાર કરી તેને વિભૂષિત મનાવી કહેવા લાગતા હે મુનિ ! શા માટે બ્યમાં ભૂખ અને તરસથી આ પ્યારા પ્રાણેાને નષ્ટ કરી રહ્યા છે? જે નિમિત્તથી તમે આ બધાં કષ્ટો સહન કરી છે એવું કાંઈ પણ નથી. આથી આ વિવિધ મીષ્ટાન્નોને આરેગા. જ્યારે મુનિ રાજ ઉગ્ર વિહારી બનતા અને શ્રાન્ત બની જતા તે તે દેવ એ સમયે શિખિકા ( પાલખી )ની રચના કરી એતે બતાવતા અને કહેતા આ શિખિકા અનેક પુરૂષાદ્વારા પોતાના ખભે ઉઠાવવામાં આવી રહી છે. મહારાજ આપ થાકી ગયા છે. જેથી આ શિખિકામાં એસી જાએ. અને વિહાર કરી. કષ્ટપ્રદ એવા પગપાળા ચાલવાથી શુ' લાભ મળવાના છે? એને છેડી દો. ઉષ્ણકાળમાં પેાતાની શક્તિના પ્રભાવથી મુનિરાજ તે પાણીની ખૂબ તરસ ઉત્પન્ન કરાવી, શિતળ સુરભી નિર્મળ જળથી પરિપૂર્ણ જળાશયની રચના કરી મુનિને દેખાડીને કહેતા કે, હે મુનિ ! જુએ આ કેવું સુંદર તળાવ ભર્યું" છે. આપને આ સમય ખૂબજ તરસ લાગી રહી છે, આથી આ શિતળ મધુર જળનુ પાન કરીને તમારી તરસને છીપાવા, તરસથી આત્માને નકામા પીડીત કરવાથી શું લાભ ? પરલેાક છે જ નહી. આ પ્રકારે તે ધ્રુવે મુનિરાજ માટે અનેક પરીષહા ઉત્પન્ન કર્યાં અને તેમને સમ્યકત્વથી પતિત બનાવવા ખૂબ પ્રયત્ના કર્યા તા પણ એ મુનિરાજ લેશ માત્ર પણ ચલાયમાન થયા નહી. અને પેાતાના સયમ અને તપની આરાધનામાં મેરૂની માફક અડગ રીતે ઉભા રહ્યા અને સાગરની માફક ધીર ગભિર મની અધિક દૃઢ બનતા ગયા. સાથે સાથે તેમણે એ પણ વિચાર કરવામાં કસર ન રાખી કે ભગવાન વીતરાગી સર્વજ્ઞ હાવાને કારણે કદી પણુ અસત્ય વચનવાળા હાઈ શકતા નથી. એમનું પ્રત્યેક વચન સ ંદેહ રહીત ધ્રુવ–સત્ય છે. જીનવચનાની આરાધનાથી જ જીવાને નિશ્રેયસ (માક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે. જેથી તેના વિશ્વાસ કરવા ચાગ્ય છે. આથી આજ એક માત્ર પરમ કલ્યાણુનું સાધન છે. આ પૌગલિક સુખાથી જીવાનું ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૮૯
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy