SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે સ્વ સંવેદન રૂપ પ્રત્યક્ષથી તેની ઉપલબ્ધિ થાય છે. કેવલીઓને તે બધા આત્માને ઉપલંભ થાય છે. આને તે નિષેધ થઈ શકે તેમ નથી. અર્થાત–દ્ધિઓની અસતા પ્રગટ કરવા માટે પણ આપે જે અનુપલંભ રૂપ હેત કહેલ છે તે પણ ઠીક નથી. આ સ્થળે અનુપલંભ સ્વ સંબંધી ગ્રહણ કરેલ છે, કે સર્વ સંબંધી ? સ્વ સંબંધિ અનુપલંભ પણ કેવો ? નિયત દેશકાળ અપેક્ષ કે અનિયત દેશકાળ અપેક્ષ. પ્રથમ પક્ષમાં સિદ્ધ સાધનતા છે. અર્થાત્ એ વાત અમે પણ માનીએ છીએ કે, આ પંચમકાળની અંદર ભરતક્ષેત્રમાં અદ્ધિઓના અનુપલંભ છે. બીજા પક્ષમાં હેતુ અનેકાન્તિક છે. દેશવિપ્રકૃષ્ટ મેવદિ કેનું કાલવિપ્રકૃષ્ટ પિતામહ આદિકનું અનુપલંભ હોવા છતાં પણ તેને સદભાવ માનવામાં આવે છે. કોઈ કઈ સ્થળે કદી કદી લબ્ધિના પ્રભાવથી ચરણરજને સ્પર્શ આદિ કરવા માત્રથી વ્યાધિની શાંતિ થતી જોવામાં આવે છે. એજ રીતે અહિં ભરત આદિ ક્ષેત્રોમાં પણ પહેલા સમયમાં લબ્ધિએને સદૂભાવ રહે છે. સર્વસંબંધિ અનુપલંભ તે અસિદ્ધ જ છે. અર્થાત સર્વસંબંધિ અનુપલંભ ત્રાદ્ધિઓની અભાવાત્મકતા પ્રગટ કરવામાં અસમર્થ છે. “હું કામસુખથી વંચિત બની ગયે છુંઆ વાત કહી છે તે પણ ઠીક નથી. કેમકે, વિષયસુખ રાગદ્વેશ મેહની ઉત્પત્તિનું દ્વાર હોવાથી અતૃસિકાંક્ષા સુખ શોક અને વિષાદ આદિને ઉત્પન્ન કરતાં રહે છે, તેનાથી વિવિધ કર્મોને બંધ થતું રહે છે. તેના ઉદયથી જીવ ચારે ગતીઓમાં ભ્રમણ કરતાં કરતાં અનેક દુખ પરંપરાને ત્યાં ભગવતે રહે છે. માટે કામને સુખ માનવું એ ભ્રમ છે. આથી તત્વજ્ઞાનીઓ માટે એ ઉપાદેય નથી. વિચારવામાં આવે તે વિષમિશ્રીત અન્નની માફક એ કામ સુખ કયા વિવેકીના મનને આનંદ પોંચાડી શકે છે? અર્થાત કેઈને પણ નહીં. તપને યાતનાત્મક કહેવું એ માટે અનુચિત છે કે, એનાથી કેઈને પણ કષ્ટ પહોંચતું નથી. આ કારણે તે સકળ દુઃખનું મૂળ કારણ અને કમને ક્ષય કરનાર છે. મન ઇન્દ્રિય તથા વેગ એને હાની ન પહોંચે તેવા રૂપથી યથાશક્તિ તપસ્યા કરવાનું વિધાન છે. કહ્યું પણ છે– मनइन्द्रिययोगाना,-महानिः, कथिता जीनैः। यऽतोत्र तत्कथं तस्य, युक्ता स्यात् दुःखरूपता ॥१॥ તપમાં મન અને ઈન્દ્રિયોના યોગોની હાની થતી નથી એવું ભગવાને ફરમાવ્યું છે. તે પછી તપમાં દુખરૂપતા કેમ માનવામાં આવે ? અર્થાત્ તપ દુઃખ રૂ૫ નથી પરંતુ સુખરૂપ છે. કેશલેચન આદિ ક્રિયાઓ જે કે પિડાજનક કહેવાય છે તે પણ સમીહિત સિદ્ધિનું કારણ હોવાથી તેનામાં સર્વથા દુઃખદાયકતા નથી. કહ્યું પણ છે— दृष्टा चेष्टार्थ संसिद्धौ, कायपीडाप्यदुःखदा। रस्नादिवणिगादीनां, तद्वदत्रापि भाव्यताम् ॥ १ ॥ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૭
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy