SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સભાની વચમાં ખંડન કરવાને પ્રારંભ કરી દીધું. પરંતુ ગૌતમસ્વામીએ જ્યારે તેની યુકિતઓનું પુરી રીતે ખંડન કર્યું ત્યારે તે પિતાની જાતને સંભાળવામાં સમર્થ ન બન્યો. ગૌતમસ્વામીના અગાધ જ્ઞાનને જોઈ એ સમય એના મનમાં એ વિચાર આવ્યો કે, વાસ્તવમાં આ ગૌતમસ્વામી વિશિષ્ટવિદ્યાનિધાન છે. પરંતુ જે તેઓ મારા આ મનેભાવને બતાવી આપે તે હું એમને શિષ્ય બની જાઉં. ગૌતમસ્વામી મન:પર્યયજ્ઞાનના ધારી હતા. આથી એજ વખતે તેમણે એના માનસિક વિચારને સ્પષ્ટ રૂપથી જાણી લીધા. અને એજ વખતે સભાની વચમાં કહ્યું કે, આ તકેસરી સમભદ્રના મનમાં એ પ્રકારને વિચાર ઉત્પન્ન થયે છે કે, “આ ગૌતમસ્વામી મહાન વિદ્યાનાનિધાન છે તેઓ જે મારા આ અભિપ્રાયને બતાવી આપે તે હું તેમના શિષ્ય બની જાઉઝ તમારવામીએ એવું કહીને સોમભદ્રને કહ્યું કે, કહે મહાનુભાવ! તમારા મનમાં આ વિચાર ઉત્પન્ન થયેલ કે નહીં? ત્યારે સમભદ્ર ગૌતમસ્વામીના આ કથનને સ્વીકાર કરીને કહ્યું, ભદંત! આપે બીલકુલ યર્થાથે કહ્યું છે. મારા મનમાં આ જ વિચાર ઉત્પન્ન થયો હતો. આ પ્રકારે પિતાના હૃદયમાંના અભિપ્રાયને પ્રગટ કરીને તેણે ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. અને તેમના શિષ્ય બની ગયા. મુનિ સેમભદ્ર અને બીજા શિષ્યો સાથે રામાનુગામ વિહાર કરતા કરતા ગૌતમસ્વામી રાજગૃહ નગરના ગુણશિલચમાં ભગવાન વર્ધમાન સ્વામીની પાસે આવ્યા. વંદના અને નમસ્કાર કરી ગૌતમસ્વામીએ પોતાનામાં ચારજ્ઞાન વિશિષ્ટતાને ગર્વ ન કરતાં પ્રભુને ઘણા વિનય સાથે કહ્યું, ભગવન! આ સમભદ્રમુનિ આપના જ પ્રભાવથી સન્માર્ગમાં અવ્યા છે. ભગવાનશ્રી વર્ધમાન સ્વામીએ શ્રમનિર્ચાને બોલાવીને કહ્યું કે, હે મુનિએ ! જુઓ ચાર જ્ઞાનના ધારી અને ચોદપૂર્વના પાઠી ગૌતમે મત્ત ગજરાજની માફક સ્વૈરવિહારી અને યુક્તિ પ્રયુક્તિઓના સ્વામી એવા આમને પિતાના જ્ઞાનવડે વશ કરીને દીક્ષિત કરેલ છે. અને તેને અહીં લઈ આવેલ છે. ગૌતમને જ આ પ્રયત્ન છે કે જે આ મોક્ષમાર્ગમાં આવેલ છે. છતાં પણ ગૌતમને પિતાના વિનય અતિશયથી આ વાતને જરા પણ ગર્વ નથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિના વિષયમાં વિષાદ પણ નથી. જેવી રીતે ગૌતમે અવધિમન:પર્યયજ્ઞાનના પરીષહને મદ નહીં કરવાથી તથા કેવળજ્ઞાનની અપ્રાપ્તિમાં વિષાદ નહીં કરવાથી જીતેલ છે. આ રીતે તમે સઘળા મુનિઓએ પણ અજ્ઞાન અભાવ અર્થાત જ્ઞાનને સદભાવ છત જોઈએ. ૪૩ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૮૦
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy