SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ છેડે. કુહાડે ચદન વૃક્ષને કાપી નાખે છતાં ચન્દન વૃક્ષમાં જે સુવાસિતતાને ઉત્તમ ગુણ છે તે પિતાને કાપનાર કુહાડાને પણ આપે છે. જે એમ ન કર તે તે ચંદન શેનું? મહાત્મા પણ પિતાના શત્રુ તરફ આવું જ વર્તન રાખે છે. નહીં તે એ મહાત્મા શાના ? ધન્ય છે મહાત્મા ! તમારા આ શુભ વ્યવસાયને! આ પવિત્ર ભાવના પર ત્રણ લોકનું રાજ્ય પણ છાવર છે, કેવી સુન્દર વિચારધારા છે! આ વિચાર ધારાના બળ ઉપર શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સર્વોત્કૃષ્ટત રહેલ છે. પ્રત્યેક મેક્ષાભિલાષીએ આ અભિનંદનીય વંદનીય વિચારધારાને અપનાવવી જોઈએ કે ૨૬ છે કેવા ભાવથી વધપરીષહને સહન કરવાને કહે છે–સમજે ઈત્યાદિ. અન્વયાર્થ–સ્રોફોડ કેઈ અજ્ઞાની તથા સુત્રાફિ કઈ જગ્યાએ પણ રંગચંસંવતન પટકાય જેનું જતન કરનારા સંતાના પાંચ ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનારા તમi-શ્રમણ શ્રમણ તપસ્વી મુનિને પા ક્યા કેસ પાટુ વગે રેથી મારે એ સમયે સાચે સંવતઃ તે મુનિવર જાણો રજિ ની રચનારા વારિત જ્ઞાન સ્વરૂપ આત્માને નાશ થતું નથી પરંતુ એ પર્યાયાન્તરિત હોય છે, આથી શરીરને જ નાશ થાય છૅ gવે જન્ન-પર્વ વ્રત એવો વિચાર કરે, ભાવાર્થ-આત્માએ ક્રોધિત છે ત્યારે થવું જોઈએ કે જ્યારે તેની પિતાની વસ્તુને વિનાશ થતો હોય. જેમ સંસારી લોકે પોતાની વસ્તુઓને વિનાશ થતા કોધિત અને દુઃખ થયા કરે છે, બીજાની વસ્તુઓના વિનાશમાં નહીં. આ પ્રકારે મહાત્માને પણ કઈ તરફથી માર મારવામાં આવે કે ધાક ધમકી આપવામાં આવે ત્યારે તેણે વિચાર કર જોઈએ કે, આ શરીર પુદ્ ગલનું છે, આ કારણે તે મારી પિતાની વસ્તુ નથી, પારકી વસ્તુ છે. એને વિનાશ થવાથી હું શા માટે ક્રોધી અથવા દુઃખી બનું? મારી પિતાની જે વસ્તુ જ્ઞાનાદિક ગુણ છે તે એના આઘાતથી નાશ પામતી નથી. એ તે સદાય અક્ષય જ રહે છે. આથી ક્રોધી અથવા દુઃખી થવાની મારે લેશ માત્ર પણ આવશ્યકતા નથી. દષ્ટાંત–શ્રાવસ્તી નગરીમાં રીપુદમન નામને એક રાજા રાજ્ય કરતો હતો. તેને ધારિણી નામની એક રાણી હતી. ધારિણદેવીથી રાજાને એક કુમા રનો જન્મ થયે, જેનું નામ &દક હતું, ઔદકને એક બહેન પણ હતી. તેનું નામ પુરંદરયશા હતું. કુંભકારકટક નામના નગરના દંડકી નામના રાજાની સાથે તેને વિવાહ કરવામાં આવેલ હતું. દંડકી રાજાને એક બ્રાહ્મણ પુરોહિત હતું તેનું નામ પાલક હતું. તે મિથ્યાદિષ્ટી હતે. આ એક સમયની વાત છે કે જ્યારે વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. તેમની દેશના સાંભળીને સ્કંદકકુમારે શ્રાવકધર્મ અંગિકાર કર્યો. કેટલેક વખતે પાલકપુરેહિત શ્રાવસ્તી નગરીમાં આવ્યા. રાજસભામાં બેસીને જૈન સિદ્ધાંતનું ખંડન કરવાવાળી વાતની શરૂઆત કરી. જ્યારે તેણે વાત પુરી કરી ત્યારે તે વાત સાંભળીને ત્યાં બેઠેલા ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૫૩
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy