SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્મારક પણ ન હતું. આ ભૂમિને સાફ કરીને આચાર્ય મહારાજે તે સ્થળે પિતાના શિષ્યો સાથે નિવાસ કર્યો. તપ અને સંયમથી આત્માને ભાવિત કરીને તે આચાર્ય મહારાજે રાત્રિમાં સ્વાધ્યાય અને ધ્યાન કર્યા પછી પિતાના બધા શિષ્યને પોતપોતાના સંસ્કારક ઉપર શયન કરવાની આજ્ઞા આપી. આજ્ઞા મળતાં જ સઘળા પિતપતાના સંસ્મારક ઉપર સુવા લાગ્યા. એટલામાં એક સપ પોતાના આહારની શોધમાં નીકળે, એને જોઈ સમસ્ત સાધુ ગણ અદ્વિગ્નજ રહ્યું. તે સર્પ એક ઉંદરની પાછળ પડેલ હતા. જ્યારે તે ઉંદર તેના જેવામાં ન આવ્યું તો તેણે આ મુનિ ગણ તરફ એની દૃષ્ટિ ફેરવી. એની દૃષ્ટિમાં જ ઝેર હતું, એટલે એની દષ્ટિએ પડેલા આચાર્ય સહિત મુનિરાજે વિષથી આકુળવ્યાકુળ બની ગયા. સઘળાએ મળીને સમાધિ ભાવનું આલંબન કર્યું, અને તેના પ્રભાવથી તેઓ સઘળાં ક્ષપકશ્રેણી પર આરૂઢ બની શકલધ્યાનની પ્રાપ્તિથી સમસ્ત કમળને નાશ કરી કેવળીપદને પ્રાપ્ત કર્યું, તથા અંતર સુહર્તમાં શિવપદને પ્રાપ્ત કરી સિદ્ધ બની ગયા. આ કથાથી એ શિક્ષા પ્રાપ્ત થાય છે કે, શય્યાપરીષહ પર વિજય મેળવનાર મુનિ આત્મકલ્યાણ કરી મુક્તિને પામે છે, માટે શય્યા પરીષહનો વિજય પ્રાપ્ત કરે જોઈએ. જે ૨૩ હવે સૂત્રકાર બારમા આક્રોશ પરીષહના જય ને કહે છે. “”ઈત્યાદિ, અન્વયાર્થ–ચરિ ઘો-રઃ જે કઈ અજ્ઞાની મનુષ્ય વિવું–મિથું સાધુને શોનિષ-ગોરો ખરાબ વચનથી અપમાનીત કરે તે પણ તે સાધુ સંસિ-મિન તેના ઉપર 7 દિવંગ-ત્ત પ્રસિંહે ક્રોધિત ન થાય અર્થાત્ જે કઈ અશિષ્ટ ભાષાથી સાધુની સાથે અસભ્ય વહેવાર કરે, ગાળ આદિ દુર્વચન કહે તે સાધુએ તેના પ્રત્યુત્તર રૂપે ક્રોધ આવેશથી તેના પ્રતિ ગાળ વિગેરે અશિષ્ટ ભાષાને પ્રગ ન કરવો જોઈએ. કેમ કે, ગાળો દેનારને સામી ગાળ દેનાર સાધુ-જેવાની સાથે તેવા થનાર-મુનિ વાછાણં વરસો હોવાઢાનાં સદો મવતિ અજ્ઞાનીએની માફક જ માનવામાં આવે છે. તુ-તાત્ આ માટે મિલ્લૂ ન કહેમિક્ષુર સંmજે ભિક્ષુ ક્રોધ ન કરે. તાત્પર્ય આનું એ છે કે, અજ્ઞાનથી મર્દોન્મત્ત બનેલ વ્યક્તિઓના મોઢામાંથી નિકળેલા દુર્વચને કે જે ક્રોધ રૂપી અગ્નિ ઉત્પન્ન કરનાર હોય છે, તે સાંભળી તેને પ્રતિકાર કરવામાં સમર્થ હેય પણ મુનિ “ક્રોધ કષાયના ઉદય નિમિત્તથી પાપકર્મને વિપાક દુરન્ત હોય છે.” એ વિચાર કરી પિતાના હૃદયમાં ક્રોધને સ્થાન ન આપે. આથી તેવા મુનિ આક્રોશ પરીષહ પર વિજય પ્રાપ્ત કરે છે. કહ્યું પણ છે– ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૯
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy