SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વજનમાં તેમજ મિત્રામાં છે ભેદ કરાવનારી છે ૪૭, બીજાના દેને પ્રકા. શીત કરવાવાળી છે ૪૮, દેરી વગરના ફાંસલા જેવી છે , કરેલા પાપના પશ્ચાત્તાપથી દૂર રહેનારી છે ૫૦, અકાર્યમાં પ્રવૃત્તિ કરનાર હોય છે ૫૧, નામ વગરને એ રોગ છે પર, આકૃતિ વગરને ઉપસર્ગ છે પ૩, ચિત્તને વ્યગ્ર બનાવનાર છે ૫૪, વાદળ વગરની વિજળી જેવી છે, કેઈથી તેને વેગ રોકી શકાતું નથી આ કારણે તે સમુદ્રના વેગ જેવી છે. કહ્યું છે કે न तथाऽस्य भवेन्मोहो बन्धश्चान्य प्रसंगतः। योषित्संगाद् तथा पुसो, यथा स्त्री संगिसंगतः ॥१॥ पदाऽपि युवतिं भिक्षुर्न स्पृशेदारवी मपि । स्पृशन् करीव बध्येत, करिण्या अंग संगतः ॥२॥ પુરૂષને ચિના સંગથી તેમજ વિષય વિલાસીના સંગથી જે પ્રકારને મેહ અને બંધ થાય છે, તે પ્રકારને મેહ અને બંધ બીજાથી થતું નથી. આ માટે મુનિઓએ લાકડાની પુતળીને પગથી પણ સ્પર્શ ન કર જોઈએ. કારણ કે, સ્પર્શ કરવાથી જેમ હાથી હાથણીના અંગસ્પર્શથી બંધાઈ જાય છે, એજ રીતે મુનિ પણ કામ રાગમાં બંધાઈ જાય છે. કહ્યું છે કે–આ પ્રકારે સાદ્ધિઓને માટે પણ પુરૂષને સંગ તજવા ગ્ય છે, કારણ કે પુરૂષનોસંગ સાવિને બ્રહ્મચર્યના નાશમાં અસાધારણ હેતું છે કહ્યું પણ છે– धृतकुम्भसमा नारी, तप्ताङ्गारसमः पुमान् । तस्माद् धृतंच वहींच नैकत्र स्थापयेद् बुधः ॥१॥ સિ ઘીના ભરેલા ઘડા સમાન છે અને પુરૂષ પ્રજવલિત અગ્નિ સમાન છે, માટે વિદ્વાને જાણવું જોઈએ કે ઘી અને અગ્નિને એક સ્થળે ન રાખે. આ પ્રકારે તે લાવણ્યપૂર મુનિરાજે વિચાર કર્યો વિચાર કરીને પછીથી કામવિહળ બનેલી તે વેશ્યાને પોતાની અમૃતતુલ્ય વાણીથી સમજાવવાને આરંભ કર્યો અને કહ્યું ! હે દેવાનુપ્રિયે! તું શું કરવા માટે પ્રવૃત્ત બની છે? તને શું ખબર નથી કે, કુશીલ સેવનને માર્ગ મહાપુરૂષે આચરવા ગ્ય નથી. તેમાં કેઈ એ લાભ નથી જે આત્માને હિતકારક હય, એનાથી જન્મ, જરા અને મરણનાં દુઃખ ભેગવવા સીવાય બીજું કાંઈ મળતું નથી. બ્રહ્મચ માં જે કાયર હોય છે તેજ આમાં આનંદ માને છે. આ વિષયભોગ પ્રમાદ તપ તથા સંયમના પાલનમાં પ્રબળ અંતરાય સ્વરૂપ છે. અધર્મને પ્રધાન માર્ગ છે, આ કુશીલ સેવન કિચડ, ખાઈ, તથા જાળ સમાન છે. અર્થામનુષ્ય તેમાં ગબડી જાય છે, ફસાઈ જાય છે, બંધાઈ જાય છે. આ અબ્રહ્મચર્ય સેવનનું ફળ છને નરક નિગેદના અનંત દારૂણ દુઃખને ભેગવવાના રૂપમાં પ્રાપ્ત થાય છે. આના સેવનના ફળ સ્વરૂપ આશાતવેદનાઓ પલ્યોપમ સાગરેપમ સુધી ભોગવવી પડે છે. માટે આ પાપાચરણથી વિરકત થવામાં જ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧ ૧૪૦
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy