SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા અને પુરોહિત અને પેાતાના પિરવાર જનાના કહેવાથી પોતાના પુત્રોની દુઃખદ અવસ્થા જાણીને આ રાહાચાય ની પાસે આવ્યા. આચાર્ય મહારાજને વંદના કરીને અને તેમની સમક્ષ રાતાં રાતાં પ્રાર્થના કરવા લાગ્યા કે, હું ભદન્ત ! અમારા ઉપર પ્રસન્ન થાઓ, કૃપા કરે, અમારાં ખળકાની રક્ષા કરી, વિગેરે. આ રાહાચાર્ય કહ્યું, હે રાજન! આ વિષયમાં હું કાંઈ જાણતા નથી. મહેમાનરૂપમાં મહામુનિ પધાર્યા છે તેમની પાસે જાઓ અને તેમને કહે. આય રાહનાં વચન સાંભળી રાજા પુરેાહિતને સાથે લઇને અપરાજીત મુનિની પાસે ગયા. અને તેમને વંદના કરીને કહેવા લાગ્યા કે, હે ભદન્ત ! તમારા ભાઈના પુત્રને જીવતદાન આપેા. મુનિએ કહ્યું કે, હે રાજન ! રાજનીતિ એવા પ્રકારની છે કે, જ્યારે આપના પુત્ર સાધારણ જનતાને પણ અપરાધ કરે તે તેને માટે શિક્ષા છે તે મુનિરાજને પિડા પહોંચાડનારાઓ માટે રાજાએ જરૂર ધ્યાન રાખવુ જોઈએ. અપરાજીત મુનિની વાત સાંભળીને રાજાએ સમજી જઈ ને કહ્યું કે, મહારાજ ! હવેથી એવું નહી અને. આપ મારા આ અપરાધને ક્ષમા કરશ. રાજકુમાર અને પુરાહિ તના પુત્રે પણુ અપરાજીત મુનિની ક્ષમા માગી. ત્યાર બાદ ઉપદેશ સાંભળીને તે મને પ્રત્રજીત અન્યા. પ્રવ્રજ્યા લીધા પછી રાજપુત્રે શુદ્ધ ભાવથી ચારિત્રનું પાલન કર્યું, પરંતુ જે પુરોહિતના પુત્ર હતા તે જાતીના મન્નના કારણે સંયમનુ આરા ધન પૂર્ણ રીતે કરતા ન હતા અને પોતાના પેટની પીડાને યાદ કરતાં કરતાં અપરાજીત મુનિ ઉપર ક્રોધભાવ રાખતા હતા. અંતમાં એ અને ચારિત્રનું પાલન કરતાં કરતાં કાળધમને પામીને દેવલેાકમાં દેવ થયા. આ તરફ કૌશાંબી નામની એક નગરી હતી. એમાં તાપસ નામને એક હિંસક જીનવાન માણસ રહેતા હતા. તે લેાલવશે કરીને પેાતાના જ ઘરમાં સૂવર ( ભૂંડ ) રૂપે જન્મ્યા. પેાતાના પૂના મકાન આદિ જોઈ ને આ સૂવરના ખચ્ચામાં જાતિસ્મરણ જ્ઞાન થયું. એક દિવસની વાત છે. પુત્રાએ પેાતાના માપના શ્રાદ્ધ નિમિત્તે આ સૂવરને મારી નાખ્યું. ત્યાંથી મરીને ફરીથી પેાતાના એજ ઘરમાં સર્પ થયા. આ ભવમાં પણ તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પુત્રોએ પેાતાના ઘરમાં આમ તેમ ઘુમતા સર્પને જ્યારે જોચા ત્યારે તેને મારી નાખ્યા. મરીને ત્રીજાભવમાં પોતાના પુત્રના પુત્ર (પૌત્ર) તરીકે જન્મ્યા. પિતાએ તેનુ' નામ અશાકદત્ત રાખ્યુ. આ અવસ્થામાં પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેણે મૌનવ્રત ધારણ કરી લીધું. પહેલા ભવમાં જે મારી પુત્રવધૂ હતી તે આ ભવમાં મારી માતા થઈ છે તા કેવી રીતે હું માતા કહીને ખેલાવું. જે મારા પુત્ર હતા તે અત્યારે મારા બાપ થઈ ગયેલ છે તેથી હવે તેને પિતા તરીકે કેમ સાધન કરૂં ? એમ મનમાં વિચાર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧ ૧૩૨
SR No.006469
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy