SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપમાં સૌથી ઓછા અને સૌથી અધિક સર્વાગરૂપથી કેટલાં તીર્થકર હોય છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જોયમાં ! = પણ ચત્તાર હે ગૌતમ ! જઘન્ય પદમાં ચાર તીર્થકર હોય છે અને તે આ પ્રમાણે હોય છે. જમ્બુદ્વીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં શીતા મહાનદીના બે ભાગ કરીએ તે દક્ષિણ ઉત્તર ભાગમાં એક-એક તીર્થકરના સદૂભાવથી બે તીર્થકર થાય છે તથા અપરવિદેહમાં પણ શીદા મહાનદીના દક્ષિણ-ઉત્તર ભાગ હયમાં તેજ પ્રમાણે બે તીર્થકર થાય છે–આ રીતે જઘન્ય પદમાં ચાર તીર્થકર હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં એકાન્ત સુષમકાળમાં તીર્થકર હતાં નથી. “રણોસણ રોરીલં નિત્ય તથા ઉત્કૃષ્ટ પદમાં ૩૪ તીર્થકર હોય છે એવું “બંને ” સર્વસંકલનાથી કહેવામાં આવ્યું છે, આ ૩૪ તીર્થકર આ પ્રમાણે હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં ૧-૧ તીર્થકર હોવાની અપેક્ષા ૩૨ તીર્થકર હોય છે અને ભરતક્ષેત્ર તેમજ ઐરતક્ષેત્રમાં ૧-૧ તીર્થકરના સદૂભાવથી ૨-૨ તીર્થકર હોય છે. આ પ્રમાણે ૩૪ તીર્થકરો થવાનું કહેવામાં આવ્યું છે. આ કથન વિચરમાન તીર્થકરની અપેક્ષાથી કહેવામાં આવ્યાનું જાણવું. જન્મની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. તેમ જાણવાનું નથી કારણ કે જન્મની અપેક્ષાથી ૩૪ તીર્થકર હેવાનું કહેવામાં આવ્યું નથી- કારણ કે એ પ્રમાણે થવું અશકય છે. “ગંદીવેલું મંતે ! ટીવે છેવફા જાણવા ઉmોસTણ વા વદી સદવોનું પુનત્તા” હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં જઘન્ય રૂપથી કેટલા ચકવતી રહે છે અને ઉત્કૃષ્ટ રૂપથી કેટલાં ચક્રવતી રહે છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“જો ! svg રત્તાનિ' હે ગૌતમ ! એાછામાં ઓછા ચાર રહે છે જમ્બુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં શીતા મહાનદીના દક્ષિણ ઉતર ભાગ દ્વયમાં ૧-૧ ચકવતીને સદુભાવ રહે છે તથા શીદા મહાનદીના દક્ષિણ ઉત્તર ભાગદ્વયમાં ૧-૧ચક્રવર્તીને સદ્દભાવ રહે છે-આ રીતે જમ્બુદ્વીપમાં ઓછામાં ઓછા ૪ ચક્રવતી હોવાનું કહેવામાં આવ્યું છે અને ઉત્કૃષ્ટ પદમાં ૩૦ ચક્રવર્તી રહેવાનું કહેવામાં આવ્યું છે તેઓ આ પ્રમાણે છે-૩૨ વિજયમાં વાસુદેવ સ્વાભાવિક અન્યતર ૪ વિજયને છોડીને ૨૮ વિજ ના ૨૮ ચક્રવર્તી અને ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના ૨ ચક્રવતી એ રીતે મળીને ૩૦ ચક્રવત રહેતાં હોવાનું કહેલ છે. જ્યારે મહાવિદેહમાં ઉત્કૃષ્ટ પદમાં ૨૮ ચક્રવતી જોવામાં આવે છે ત્યારે નિયમથી ચાર અર્ધચકિઓના સદૂભાવથી તેમના દ્વારા નિરૂદ્ધ ક્ષેત્રમાં ચક્રવતી રહેતાં નથી કારણ કે ચક્રવર્તી અને અર્ધચક્રવર્તી એ બંનેને સહાનવસ્થાન લક્ષણ વિરોધ છે, જ્યાં ચકી હોય છે ત્યાં અર્ધચકી લેતા નથી અને જ્યાં અધચક્રી હોય છે ત્યાં ચક્રી હતાં નથી. “વવા રિવા જેવ =ત્તિવા જાવરી” જેટલાં ચકવતી હોય છે તેટલાં જ બળદેવ હોય છે અર્થાત્ જઘન્યપદમાં ચાર બળદેવ હોય છે અને ઉત્કૃષ્ટ પદમાં ૩૦ બળદેવ હોય છે. “ વાવ તરિયા રે’ વાસુદેવ પણ આ પ્રકારે જ હોય છે, કારણ કે આ વાસુદેવ બળદેવના સહચારી હોય છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫૬
SR No.006456
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy