SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ રેમાળી ૨ મદાઝવળ નાળી ૨' તે સીતૈદા પ્રપાત કુંડના ઉત્તરદિગ્યોં તરણ દ્વારથી સીદ મહા નદી નીકળે છે, અને નીકળીને તે દેવ કુરુક્ષેત્રમાં પ્રવાહિત થતી થતી પૂર્વ અને અપર તટવતી ચિત્ર-વિચિત્ર ફૂટને–પર્વતને નિષધ, દેવકુફ સૂર સુલસ તેમજ વિદ્યુ—ભ એ સમશ્રેણિવતી પાંચ હૈદેને વિભક્ત કરતી તેમની મધ્યમાં થઈને પ્રવાહિત થાય છે. તે સંબંધમાં વિભાગક્રમ આ પ્રમાણે છે-ચિત્ર-વિચિત્ર પર્વતની વચ્ચે પ્રવાહિત થાય છે તેથી ચિત્રકૂટ પર્વતને પૂર્વમાં રાખીને અને વિચિત્ર કૂટ પર્વતને પશ્ચિમ મમાં રાખીને આ નદી દેવકુમાં પ્રવાહિત થાય છે. સમશ્રેણિવતી પાંચે પાંચ હદેને એક એક કરીને દરેક હદને આ વિભક્ત કરે છે અને તેમની અંદરથી પ્રવાહિત થાય છે. એ સમયમાં જ એ દેવકુરુવતી ૮૪ હજાર નદીઓથી યુક્ત થઈ જાય છે અને પ્રપૂરિત થઈ જાય છે. અને પછી મેરુનું જે પ્રથમ વન ભદ્રશાલ વન છે ત્યાં જાય છે. જતાં જતાં એ “રપવ રોહિં જોવળેલાં અહંવૃત્તા મેરુને તે એ ૨ યોજન દૂર જ મૂકી દે છે. આ પ્રમાણે શીદા અને મેરુ વચ્ચેને અન્તરાલ આઠ ગાઉને થઈ જાય છે. “પથિકામિમુરી” પછી से पश्चिम त२६ १७२ 'अहे विज्जुप्पभं वक्खारपव्वयं दारइत्ता मंदरस्स पव्वयस्प्त पच्चस्थिमेणं अवरविदेहं वासं दुहा विभयमाणी २ एगमेगाओ चक्कवट्टिविजयाओ अट्ठावीसाए सलिलासह. स्सेहिं आपूरेमाणी २ पंचहि सलिलासयसहस्से हिंदुतीसाए य सलिलासहस्से हिं समग्गा अहे जयं તરત ફારણ નrછું તારૂ પ્રદરિથમેળે ઢાળસમુદું સમજું” અધ ભાગવત વિદ્યુબભનામક વક્ષસ્કાર પર્વત નૈઋત્ય દિગ્વતી, કુરુગોપક પર્વતને વિભક્ત કરતી મંદર પર્વતની પશ્ચિમ દિશામાં વિદ્યમાન અપર વિદેહ ક્ષેત્રમાં અને પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં વહે છે. ત્યાં એમાં એક એક ચક્રવતી વિજયથી આવી આવીને ૨૮–૨૮ હજાર બીજી નદીઓ મળે છે. ચક્રવતિ વિજયે ૧૬ છે. એ ૧૬ ચકવતિ વિજયની ૨૮–૨૮ સહસ્ત્ર નદીઓના હિસાબથી ૪૪૮૦૦૦ જેટલી નદીઓની સંખ્યા થઈ જાય છે. તેમજ એ સંખ્યામાં દેવકુમ્મત ૮૪૦૦૦ નદીઓની સંખ્યા જેડીએ તે એ સર્વ નદીઓને પરિવાર–સર્વ નદીઓની સંખ્યા-૫૩૨૦૦૦ થઈ જાય છે, એજ વાતને સૂત્રકારે “ જાગો જવવાદ્રિવિજ્ઞાળો’ વગેરે સૂત્રપાઠ વડે સ્પષ્ટ કરી છે. એ ચક્રવતી વિજયે શીદા મહાનદીના દક્ષિણ તટ ઉપર આઠ છે અને ઉત્તર દિગ્વતી તટ ઉપર આઠ છે, દક્ષિણ દિશ્વર્તિતટ પર જે આઠ ચક્રવર્તી વિજયે છે, તેમાં ગંગા અને સિંધુ એ બે નદીઓ પોતપોતાની ૧૪ હજાર નદીઓના પરિવારથી યુક્ત છે અને ઉત્તરદિશ્વર્તી તટ તરફ જે આઠ ચક્રવતી વિ છે, તેઓમાં રક્તા અને રક્તવતી એ બે મહાનદીઓ છે. એ નદીઓની પરિવાર ભૂત અન્ય નદીઓ પણ ૧૪-૧૪ હજાર છે. આ પ્રમાણે દરેકે દરેક વિજયમાં ૨૮–૨૮ હજાર નદીઓનો સમૂહ છે. હવે ૨૬ વિજેમાં આ પરિવાર કેટલે હશે? એ જાણવા માટે ગણિત પદ્ધતિ મુજબ ૨૮ હજારની સાથે ૧ને ગુણાકાર કરીએ તે આ પરિવાર પૂર્વોક્ત રૂપમાં આવી જાય છે. અને પછી તેમાં દેવકુમત નદીઓની સંખ્યા જેડીએ તે એ પરિવાર ૫ લાખ, ૩૨ હજાર થઈ જાય છે. પછી આ નદી ત્યાંથી વળીને જંબુદ્વીપના પશ્ચિમ દિગ્ગત જ્યન્ત દ્વારની જગ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૪૧
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy