SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જીસમે ॰ ત્ત” સુમતિ ૧, પ્રતિશ્રુત ૨, સીમંકર, સીમંધર ૪, ક્ષેમકર ૫, ક્ષેમધર ૬, વિમલવાહન, ચક્ષુષ્માન ૮, યશસ્વાન ૯, અભિચન્દ્ર ૧૦, ચન્દ્રાભ ૧૧, પ્રસેનજિત ૧૨, મરુદેવ ૧૩, નાભિ, અને ઋષભ ૧૫. આ કથનનુ તાત્પર્ય આ પ્રમાણે છે કે જ્યારે આ કાળની સમાપ્તિ થવામાં એક પચેપમ પ્રમાણ કાળ શેષ રહે છે ત્યારે આપવ્યેાપમ પ્રમાણ કાળના ૮ ભાગા કરવા અને સાત ભાગ પ્રમાણ પલ્યાપમ જ્યારે સમાપ્ત થઈ જાય અને ૮ મા ભાગ પ્રમાણ પચેપમ જ્યારે શેષ રહી જાય ત્યારે એ સમયમાં એ ૧૫ કુલકરા ઉત્પન્ન થાય છે. એ લેક-વ્યવસ્થાપક હોય છે. એથી જ એમને કુલકર કહેવામાં આવેલ છે. એમનુ કામ કુલેાની રચના કરવાનુ છે. એએ બુદ્ધિશાળી હાય છે, એથી એમને પુરુષ વિશેષ પણ કહેવામાં આવે છે. અહી શંકા એવી ઉદ્ભવે છે કે ‘સ્થાનાઙ્ગ’ વગેરે સૂત્રોમાં “નવુદ્દીને પીવે માટે વાલે મીસે પ્રો/વળીવ સત્તરુવા દોસ્થા-તં નન્ના पढमित्थ विमलवाहण १, चक्खुमं २, जसमं ३, चउत्थमभिचंदे ४, तत्तोपसेणई ५, पुण મહેવે ૬, શૈવ સામાય ૭, આ પાઠ મુજબ ૭ જ કુલકર આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં થાય છે, આમ કહેવામાં આવ્યું છે. પછી તમે અહી' ૧૫ ના ઉલ્લેખ કરી રહ્યા છે. તે આ આગમામાં પરસ્પર વિરૃધ કેમ છે ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે સૂત્રની ગતિ વિચિત્ર હોય છે એથી ત્યાં સાત જ કુલકર કહેવામાં આવેલ છે અને અહી ૧૫ કહેવામાં આવ્યા છે તેમાં કોઈ પણ જાતને દ્વેષ નથી. શકા-તમે જે આમ કહ્યું છે કે આ કાળને તૃતીય ત્રિભાગ જયારે એક ફક્ત પત્યેાપમના ૮ આઠમા ભાગ જેટલેા અવશિષ્ટ રહે છે ત્યારે ૧૫ કુલકર ઉત્પન્ન થાય છે, તેા આ કથન સંગત થતુ' નથી કેમકે અસત્કલ્પનાથી લ્યેાપમના ૪૦ ભાગેા કલ્પિત કરવા જોઈએ. એ ૪૦ ભાગેામાં ૮ ના ભાગકરવાથી એક ભાગ ૫-૫ ભાગેાથી ચુંક્ત થાય છે. આ પ્રમાણે પ ભાગ યુક્ત જે ૮ મા ભાગ છે તેમાં ૧૫ કુલકરા ઉત્પન્ન થાય છે, આ વાત આગમથી સિદ્ધ થાય છે. એ પાંચ ભાગેામાંના ચાર ભાગેા તે। પડ્યે પમના દસમા ભાગ પ્રમાણ આયુવાળા આદિના સુમતિ નામના કુલકરના આયુમાં જતા રહ્યા. શેષ પલ્યોપમના એક ભાગ બાકી રહ્યો હત!, તેમાં અસંખ્યાત પૂર્વની આયુવાળા શેષ ૧૨ કુલકર થયા આમાં સંખ્યાતપૂર્વના આયુષ્યવાળા, નાભિ થયા અને ૮૯ ૫ક્ષ અધિક ૮૪ લાખ પૂર્વ જેટલા આયુવાળા, ઋષભદેવ થયા. તે પછી એક ૪૦ મા ભાગમાં પ્રતિશ્રુત આદિ ૧૪ કુલકર્ાની કે જેઓ ખૂબ લાંબા આયુષ્યવાળા હતા-ઉત્પત્તિ કેવી રીતે સ`ભવી શકે ? તે આ શંકાને ઉત્તર આ પ્રમાણે છે કે એક ૪૦ મા ભાગમાં અસંખ્યાત પૂર્વી હોય છે અને એ અસંખ્યાત પૂ યથાક્રમે હીન-હીન હાય છે તેમજ પ્રતિશ્રુતિ, સીમ ્કર, સીમન્ધર, ફ્રેમ કર, ક્ષેમન્ધર, વિમલ વાહન, ચક્ષુષ્માન્. યશસ્વાન્, અભિચન્દ્ર, ચન્દ્રાભ, પ્રસેનજિત અને મરુદેવ એ ૧૨ કુલકરની આયુના પ્રમાણે હોય છે. નાભિની આયુનું પ્રમાણ સખ્યાત પૂર્વાંતું હતું અને ઋષભના આયુષ્યનું પ્રમાણ ૮૪ લાખ પૂ હતુ. શેષ કુલકરાના આયુષ્યનું પ્રમાણ ૮૯ પક્ષાધિક ૮૪ લાખ પૂર્વ જેટલું હતું. આ પ્રમાણ ૪૦ ભાગમાં ૧૪ કુલકરાની ઉત્પત્તિની સભાવનામાં શુ' વિરોધથઇ શકે છે ? એટલે કે કોઇ પણ જાતના વિરોધ સભવી શકે જ નહિ. ાસૂત્ર॰ રૂણા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૯૮
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy