SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ એક ભાગના સાતિયા પાંચ ભાગ થાય છે, તેને અહીંની રાશીમાં મેળવવામાં આવે તે એકસડિયા બેંતાલીસ ભાગ તથા એકસઠિયા બે ભાગને સાતમે ભાગ થાય છે. આથી અહીંયાં એમ સમજવું કે-ચેથા ચંદ્રમંડળની ઉપર બાર સૂર્ય માર્ગો હોય છે. અને બાર સૂર્ય માર્ગ પર બે જન જેટલું જવાથી સૂર્યમંડળ હોય છે. એ સૂર્યમંડળ પાંચમા ચંદ્રમંડળની પછી આત્યંતરમાં પ્રવિણ થાય છે, તે એકસઠિયા છેતાલીસ ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા બે ભાગ હોય છે. તથા સૂર્યમંડળને એકસઠિયા ભાગ તથા એકસડિયા એક ભાગના સાતિયા પાંચ ભાગ શેષ રહે છે. આટલું પ્રમાણ પાંચમાં ચંદ્રમંડળમાં મળેલ હોય છે. એ પાંચમા ચંદ્રમંડળનો સૂર્યમંડળથી બહાર નીકળેલ એકસહિયા ચેપન ભાગ તથા એકસઠિયા એક ભાગના સાતિયા બે ભાગ થાય છે, આ રીતે પાંચ સર્વાત્યંતર ચંદ્રમંડળ સૂર્યમંડળથી મળેલ હોય છે. ચાર ચંદ્રમંડળમાં બાર બાર સૂર્ય માળે હોય છે. આ સારાંશ છે. હવે છથી લઈને દસમા સુધીના પાંચ ચંદ્રમંડળો કે જે સૂર્યમંડળને સ્પર્શ કરતા નથી તેનું કથન કરવામાં આવે છે. તેમાં પાંચમા ચંદ્રમંડળની પછી છી ચંદ્રમંડળને અધિકૃત કરીને કહેવાય છે કે તેનું અંતર પાંત્રીસ જન અને એક એજનના એકસઠિયા ત્રીસ ભાગ અને એકસઠિયા એક ભાગના સાતિયા ચાર ભાગ હોય છે, તેમાં પાંત્રીસ જનના એકસઠ ભાગ કરવા માટે ગણિત ક્રિયાથી એકસઠથી ગુણવા. એવી રીતે ગુણીને ઉપરને એકસઠિયા એકત્રીસમો ભાગ તેમાં મેળવે તે બે હજાર એકસો પાંસઠ ૨૧૬૫ થાય છે. તથા પાંચમા ચંદ્રમંડળનો સૂર્યમંડળથી બહાર નીકળેલ જે એકસઠિયા ચોપનમે ભાગ તથા એકસઠિયા બે ભાગના સાત ભાગો છે. તેને એમાં મેળવે તો બાવીસ ઓગણીસ ૨૨૧૯ થાય છે. સૂર્યને વિકંપ બે જન અને એક એજનના એસઠિયા અડતાલીસ ભાગ અધિક છે, તેમાં બે એજનને એકસઠથી ગુણવાથી એકસડિયા એક શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૩૭૪
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy