SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાઓ થાય છે. અસંયત મનુષ્યમાં ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયા પ્રત્યાય અને અપ્રત્યાખ્યાન કિયા. પ્રારંભની ત્રણ લેશ્યાઓમાં અર્થત કૃષ્ણ, નીલ અને કાપિત લેશ્યાઓને લઈને તિષ્ક અને વિમાનિકના વિષયમાં પ્રશ્ન ન કર જોઈ એ, કેમકે તેમનામાં આ ત્રણ લેશ્યાઓ હતી જ નથી. એ પ્રકારે જેમ કૃષ્ણલેશ્યાવાળાઓને વિચાર કરાયેલ છે. એ જ પ્રકારે નીલેશ્યા વાળાને પણ વિચાર કરી લેવું જોઈએ, કેમકે એ બન્ને સમાન છે, અર્થાત્ જેવા કૃષ્ણ લેશ્યાના દંડક કહ્યા તેવા જ નલ વેશ્યાના પણ દંડક કહેવા જોઈએ. કેવળ “કૃષ્ણવેશ્યા પદની જગ્યાએ નીલલેશ્યા પદનું ઉચ્ચારણ કરી લેવું જોઈ એ. કાત લેશ્યા નીલલેશ્યાના સમાન નારકેથી આરંભીને અસુરકુમાર આદિ દશ ભવનપતિમાં, પૃથ્વીકાવિક આદિ એકેન્દ્રિમાં, વિકલેન્દ્રિમાં, તિર્યંચ પંચેન્દ્રિમાં મનુષ્યમાં તથા વાનવ્યન્તરામાં કહેવી જોઈએ. પરંતુ નીલેશ્યાની અપેક્ષાએ કાપત લેશ્યામાં વિશે ષતા એ છે કે કાપિત લેશ્યાવાળા નારકેનું કથન સમુચ્ચય નારકોના સમાન સમજી લેવું જોઈએ. અર્થાત્ કાપિત લેશ્યાવાળા નારક બે પ્રકારના કહ્યા છે-સંજ્ઞીભૂત અને અસંસી. ભૂત ઇત્યાદિ પ્રકારે સમજી લેવા જોઈએ. અસંસી જીવ પણ પ્રથમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કાપિત લેશ્યાને સદ્ભાવ છે. હવે તેને લશ્યાની પ્રરૂપણ કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! તેજલેશ્યાવાળા અસુરકુમાર શું સમાન આહાર, સમાન શરીર, સમાન ઉચ્છવાસ-નિઃશ્વાસવાળા હોય છે? એ પ્રકારે શું સમાનકમ, સમાન વર્ણ, સમાન વેશ્યા, સમાન વેદના, સમાન કિયા અને સમાન ઉપાયાતવાળા હોય છે. આ નવ પ્રશ્ન કરવા જોઇએ અહીં એ સમજી લેવું જોઈએ કે નારક, તેજસ્કાયિક, વાયુકાયિક તથા વિલેન્દ્રિય જેમાં તેને લેસ્થા નથી હોતી. એ કારણે પહેલાં જ અસુરકુમાર વિષયક પ્રશ્ન કરાય છે. તેથી એ ફલિત થયું કે તેજકચિક અને વિલેન્દ્રિય સંબંધી પ્રશ્નન કરવું જોઇએ. અસુરકુમારનું કથન સમુચ્ચય અસુકુમારના કથનના સમાન સમજવું જોઈએ, અભિપ્રાય થી કહે છે-હે ગૌતમ ! જેમ ઔધિક અર્થાત લેશ્યાદિ વિશેષણથી રહિત સમુચ્ચય અસુરકુમારનું કથન કર્યું છે, તે જ પ્રકારે તેજા શ્યાવાળા અસુરકુમારોની પ્રરૂપણા-વક્તવ્યતા પણ સમજી લેવી જોઈએ. સમુચ્ચય અસુરકુમારની અપેક્ષાએ વેદનાના વિષયમાં વિશેષતા છે. વેદનાના વિષયમાં જતિષ્કના સમાન વક્તવ્યતા કહેવી જોઈએ તથા સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂતની જગ્યાએ માયી મિથ્યાદષ્ટિ ઉપપનક અને અમાયી સમ્યશ્રષ્ટિ ઉ૫૫નક કહેવા જોઈએ. કેમકે અસંજ્ઞી જીવ તેનલેશ્યાવાળાઓમાં ઉત્પન્ન નથી થતા. પૃથ્વીકાયિક, અષ્કાયિક, વનસ્પતિકાયિક, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યની પ્રરૂપણ સમુચ્ચયની સમાન જ સમજવી જોઈએ, પરંતુ ક્રિયાઓને લઈને મનુષ્યના વિષયમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy