________________
શ્રીગૌતમસ્વામી–હે ભગવન! પૃથ્વીકાયિક એકેન્દ્રિયેના તૈજસશરીર કેવા આકારના કહ્યાં છે ?
શ્રીભગવાન–હે ગૌતમ ! મસૂરની દાળના આકારના કહેલાં છે. મસૂર એક જાતનું ધાન્ય હોય છે અને અહી ચન્દ્રને અર્થ દાળ છે.
આ રીતે ઔદારિક શરીરના સંસ્થાનાનુસાર એકેન્દ્રિયને તૈજસ શરીરના સંસ્થાન કહેવાં જોઈએ. અપકાયિક, તેજરકાચિકે, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના તૈજસશરીરના તથા શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયાના તૈજસશરીરના આકાર પણ ઔદારિક જેવા જ સમજવા જોઈએ.
શ્રીગૌતમસ્વામ–ભગવન્! નારકેના તેજસશરીરના સંસ્થાને કેવા પ્રકારના હોય છે ?
શ્રીભગવાન-ગૌતમ ! જેવા નાર કોના વક્રિય શરીરના સંસ્થાના કાાં છે, તેવાં જ તૈજસશરીરના સંસ્થાન સમજી લેવાં જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્યના તેજસશરીરના સંસ્થાન એવા પ્રકારના હોય છે જેવાં તેમના ઔદારિક શરીરના હોય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! દેના તૈજસશરીરને આકાર કેવા પ્રકારને હોય છે?
શ્રીભગવાન્ હે ગૌતમ ! જેવા દેના વૈક્રિયશરીરને આકાર કહ્યો છે, એજ પ્રકારે તેમના તેજસશરીરને આકાર પણ જાણી લેવું જોઈએ.
યાવત્ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, યક્ષ આદિ આઠ વ્યન્તરો, ચન્દ્ર, સૂર્ય આદિ પાંચ તિથ્ય, સૌધર્મ ઈશન આદિ બાર કલ્પપપન્ન વૈમાનિક દે, કલ્પાતી તેમાં નવ શૈવેયકના તથા વિજય વિજયન્ત આદિ પાંચ અનુત્તરી પપાતિક દેના તેજસશરીર સંસ્થાન સરખાં જ હોય છે.
તત્પર્ય એ છે કે તેજસશરીર જીવના પ્રદેશોના અનુસાર હોય છે. તેથી જ જે ભવમાં જે જીવના ઔદારિક અથવા વેક્રિશરીરના અનુસાર આત્મ પ્રદેશને જેવો આકાર હોય છે, તે જ તે જીના તેજસશરીરને આકાર હોય છે. એ કેન્દ્રિય, દ્વાન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચના તથા મનુષ્યના તેજસશરીર ઔદારિક શરીરના અનુસાર તથા દે અને નારકેના તેજસશરીર વૈક્રિય શરીરના અનુસાર સંસ્થાનવાળાં સમજવાં જોઈએ. સૂ૦ ૮
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૭૧