SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજા સમયમાં જ મૃત્યુ થઈ જાય છે, ત્યારે મનઃપર્યાવજ્ઞાની એક સમય સુધી મનઃ પર્યાવજ્ઞાનીના રૂપમાં રહે છે. ઉત્કૃષ્ટ દેશાન પૂર્વકાટિ કહેવાનું કારણ એ છે કે એનાથી અધિક સંયમ રહે જ નથી અને સંયમના અભાવમાં મનઃ પર્યાવજ્ઞાન પણ નથી રહી શકતું. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્કેવળજ્ઞાની નિરનર કેટલા કાળ સુધી કવલજ્ઞાની પણમાં રહે છે? શ્રી ભગવાન–હે ગૌતમ! કેવળજ્ઞાની સાદિઅનન્ત હોય છે, કેમકે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી સદૈવ બની રહે છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! અજ્ઞાની જીવ કેટલા સમય સુધી અજ્ઞાની રહે છે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની કેટલા કાળ સુધી નિરન્તર મત્યજ્ઞાની અને યુનાજ્ઞાની બની રહે છે શ્રી ભગવન–હે ગૌતમ! અજ્ઞાની, મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની ત્રણ ત્રણ પ્રકારના હોય છે, જેમ કે અનાદિ–અનન, અનાદિ-સન, અને સાહિંસાન્ત જેણે ક્યારેય સભ્ય જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું અને જે ભવિષ્યમાં પણ કયારેય પ્રાપ્ત કરશે નહિં, તે અનાદિ અનન્ત અજ્ઞાની, મયજ્ઞ ની અગર શ્રુતજ્ઞાની કહેવાય છે, જેણે કયારેય જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. પરન્તુ કયારેક પ્રાપ્ત કરશે, તે અનાદિસાત અજ્ઞાની કહેવાય છે, જે જીવ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને પુનઃ મિથ્યા દયથી અજ્ઞાની થઈ ગએલ હોય પણ ભવિષ્યમાં પુન:જ્ઞાન પ્રત કરશે, તે સાદિક્ષા- અજ્ઞ ની છે. આ ત્રણ પ્રકારના અજ્ઞાનિયામાં જે સાદિસાન્ત અજ્ઞાની છે. તે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ અનતકાળ સુધી અજ્ઞાની રહે છે. એ પ્રકારે સાદિસાત અજ્ઞાની જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી જ અજ્ઞાની પર્યાયથી યુક્ત નિરનર રહે છે. તત્પશ્ચાત સમ્યકત્વ પ્રાપ્ત કરીને જ્ઞાની બની જાય છે તેને અજ્ઞાની પર્યાય વિનષ્ટ થઈ જાય છે. ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી તે અજ્ઞાની રહે છે. એનું કારણ પહેલા કહી દિધેલું છે. તે અનન્તકાળનું પરિમાણુ આ પ્રકારે છે–કાળની અપેક્ષાએ અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી, ક્ષેત્રની અપેક્ષાએ દેશોન અપાઈ પુગલ પરાવર્તન સુધી અતાની રહે છે. એટલા માળ પછી તે જીવને અવશ્ય જ સમ્યકત્વની પ્રાપ્તી થઈ જાય છે અને તેનું અજ્ઞાન પરિણામ દૂર થઈ જાય છે. એજ પ્રકારે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. તેઓ પણ ત્રણ ત્રણ પ્રકારના છે અને તેઓમાં સાદિ સપર્યાવતિનું અવસ્થાનકાલ જઘન્ય અન્તમુહર્તા અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વકેટિ છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! વિર્ભાગજ્ઞાની નિરન્તર વિર્ભાગજ્ઞાનીના રૂપમાં કેટલા કાળ સુધી રહે છે? શ્રી ભગવન-જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ દેશના પૂર્વકટિ અધિક તેની સાગરોપમ સુધી વિસંગણાની નિરનાર વિર્ભાગજ્ઞ ની બની રહે છે. જ્યારે કેઈ પંચેન્દ્રિય તિયચ, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૧૫૨
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy