SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવન –હે ગૌતમ ! દશ સંજ્ઞાઓ કહેલી છે, તેઓ આ પ્રકારે છે–આહાર સંજ્ઞા યાવત્ ઓઘ સંજ્ઞા અર્થાત્ પૂર્વોક્ત બધા અસુરકુમારની જેમ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્વનિતકુમાર દેવમાં પણ પૂર્વોક્ત દશે સંજ્ઞાઓ મળી આવે છે. એ જ પ્રકારે પૃથ્વીકાયિકાથી લઈને વૈમાનિક સુધી અર્થાત્ પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, વિલેન્દ્રિય, પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક દેવામાં પણ દશ સંજ્ઞાઓ સમજી લેવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારક જીવ શું આહાર સંજ્ઞામાં ઉપયુક્ત અર્થાત્ આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા થાય છે, અથવા ભય સંજ્ઞામાં ઉપગ વાળા થાય છે, અગર મૈથુન સંજ્ઞામાં ઉપગવાળા થાય છે અગર પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા થાય છે? શ્રી ભગવાહે ગૌતમ બહુલતાથી બાહ્ય કારણોની અપેક્ષાએ નારક ભયસંજ્ઞાના ઉપયોગવાળા થાય છે. મૂલપાઠમાં “પ્રયુક્ત” “બોસ શબ્દ બહુલતાથી બાને વાચક બને છે. નારકમાં પરમધામિક દેના દ્વારા વિકિયા કરેલા શલ શક્તિ ભાલા વિગેરે શને ભય ઘણે રહે છે. “સખ્તતિ ભાવ અર્થાત્ આન્તરિક અનુભવ રૂપ ભાવની અપેક્ષાએ નારક જીવ આહાર સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે. મિથુન સંજ્ઞામાં પણ ઉપયુક્ત થાય છે અને પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયેગી થાય છે. તાત્પર્ય એ છે કે આમ તે નારકમાં આહારાદિ બધી સંજ્ઞાઓ થાય છે. પરંતુ સંજ્ઞા અધિક હોય છે. હવે સંજ્ઞાઓની અપેક્ષાએ નારકોના અલ્પ બહુત પ્રદર્શિત કરે છે શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્આહાર સંજ્ઞામાં ઉપગવાળા, ભય સંજ્ઞામાં ઉપયોગવાળા, મિથુન સંજ્ઞામાં ઉપગવાળા, અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપગવાળા નારકમાં કોણ કોની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે? શ્રી ભગવાન - હે ગૌતમ!મિથુન સંજ્ઞામાં ઉપયોગવાળા નારક છે ધાથી ઓછા છે. કેમકે તેઓને નિમેષ માત્ર પણ સુખનો અનુભવ નથી હતા. તેઓ નિરન્તર પ્રબલ દુઃખ રૂપી આગમાં બળતા જ રહે છે. કહ્યું પણ છે રાતદિવસ દુઃખના અગ્નિમાં શેકાતા નારકને આંખના પલકારા જેટલા સમયમાં પણ સુખ મળતું નથી, તેમને નિરન્તર દુઃખ જ દુઃખ થાય છે. એવી સ્થિતિમાં એમને મૈથુનની ઈચ્છા નથી થતી, કિન્તુ કદાચિત કવચિત કેઈને થઈ જાય તે તે થોડા સમય સુધી જ રહે છે. તેથી પ્રશ્નના સમયે અલ્પનારક જ મિથુન સંજ્ઞામાં ઉપગપાળા થાય છે. મિથુન સંજ્ઞાના ઉપગવાળાની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં ઉપગપાળા સંખ્યાત ગણ અધિક છે. કેમકે બે દુઃખી નારકમાં પ્રચુર કાળ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૧૬
SR No.006448
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy